Mysamachar.in-જામનગર:
જામનગર એસ.પી.દીપન ભદ્રન અને એ.એસ.પી.નીતેશ પાંડેના માર્ગદર્શન હેઠળ એલસીબી પી.આઈ.એસ.એસ.નીનામા અને તેની ટીમ જામનગર જીલ્લામાં વધી રહેલ ઘરફોડ ચોરીઓના ગુન્હાઓનો ભેદ ઉકેલવાની દિશામાં સતત પ્રયત્નશીલ હતા તેમાં ટીમને અંતે જબરી સફળતા મળી છે અને ધરફોડ ચોરી તથા મંદિર ચોરીને અંજામ આપનાર આંતરરાજય ગેંગની ત્રિપુટીને જામનગર એલસીબીએ દબોચી લીધી છે. ગત તા.01/08/2021 ના રોજ રાત્રીના જામજોધપુર વિસ્તારમાં કોટડા બાવીસી ગામમાં “કોટડા બાવીસી માતાજી” મંદિર તેમજ તા.07/09/2021 ના રોજ રાત્રીના જામજોધપુર ટાઉનમાં “જલારામ મંદિર તેમજ તા.27/09/2021 ના રોજ રાત્રીના જામજોધપુર ટાઉનમાં “ગાયત્રી મંદિર” માં ત્રણેક મહિના પહેલા રાત્રીના કાલાવડ ટાઉનમાં અમીપરીની દરગાહ પાસે આવેલ મકાનમાં ચોરીના બનાવ બનેલ જે અંગે અજાણ્યા ઇસમો વિરૂધ્ધ ફરીયાદો દાખલ થઇ હતી,
આ ચોરીઓની તપાસ દરમ્યાન જામનગર, રાજકોટ, દ્વારકા, મોરબી, સુરેન્દ્રનગર, પોરબંદર, જીલ્લામા મંદિર ચોરીની એમ.ઓ વાળા સક્રિય એમ.સી.આર ઇસમોને ચેક કરવામા આવેલ,તેમજ ટેકનીકલ એનાલીસીસ સતત એલસીબી દ્વારા કરવામાં આવેલ હતું.જે દરમ્યાન ધાનાભાઇ મોરી તથા ફીરોજભાઇ દલ, રધુવીરસિંહ પરમાર નિર્મળસિંહ.એસ.જાડેજાને ખાનગી બાતમીદારથી હકિકત મળેલ કે જામજોધપુર ટાઉનમાં તથા કાલાવડ ટાઉનમાં અલગ અલગ સ્થળોએ ધરફોડ ચોરી તથા મંદિર ચોરીમા પરપ્રાતિય ઇસમોની સંડોવણી હોવા અંગેની હકિકત બાતમી મળેલ હતી, જે બાતમી આધારે જામજોધપુર ટાઉનમાં માર્કેટીંટ યાર્ડ રોડ ઉપર ત્રણ ઇસમોને પકડી પાડી તેઓના કબ્જામાથી ચોરીમા ગયેલ રોકડ રૂપીયા ચાંદી છતર વિગરે ૪૮૦૦ ગ્રામ, સોના દાગીના,ધાતુની મુર્તી-01 એક મળી અલગ અલગ ચોરીમાં ગયેલ મુદામાલ કિ.રૂ.2,84,970/- સાથે પકડી પાડી ત્રણેય ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે,
-કોણ છે આરોપીઓ
-પ્રભુ મેઘજીભાઇ બામણીયા ધંધો મજુરી રહે.હાલ જામજોધપુર રહે.નવાનગર તા.ધાનપુર દાહોદ
-રાકેશ જેનુભાઇ ભુરીયા ધંધો મજુરી રહે હાલ જામજોધપુર મુળ રહેહગામ તા.ગરબાડા જી.દાહોદ
-લખમણભાઇ ચનુભાઇ ભુરીયા ધંધો મજુરી રહે.તા.ગરબાડા જી.દાહોદ
-ક્યાં ક્યાં શહેરોમાં આપ્યો છે ચોરીને અંજામ
મજકુર ત્રણેય ઇસમીએ ગુજરાત રાજયના, જામનગર, મોરબી, રાજકોટ,ગીરસોનાથ, જૂનાગઢ, સુરેન્દ્રનગર, અમરેલી, અમદાવાદ, ભરૂચ,ગાંધીનગર, તથા મધ્યપ્રદેશના ગરબડા જીલ્લામાં અલગ-અલગ જગ્યાએ ચોરીમાં આશરે 40 લાખથી વધુ રકમના રોકડ, સોના ચાંદીના દાગીના વિગેરેની ચોરી કરેલ છે. હાલ તપાસમાં દરમ્યાન વધુ ગુનાઓનો ભેદ ઉકેલવા માટે એલ.સી.બી. દ્વારા પ્રયત્નો ચાલુમા છે.આરોપીઓ મંદિરના તાળા તોડી તેમજ બંધ રહેણાક મકાન તથા ફેક્ટરીના તાળા તોડી રાત્રી દરમ્યાન ચોરીઓને અંજામ આપતા હોવાનું પૂછપરછમાં સામે આવ્યું છે.
-કામગીરી કરનાર જામનગર સ્થાનિક ગુન્હાશોધક શાખાની ટીમ
આ કાર્યવાહી પોલીસ ઇન્સ્પેકટર એસ.એસ.નિનામા, પીએસઆઈ આર.બી.ગોજીયા, કે.કે.ગોહીલ, બી.એમ.દેવમુરારી, તથા એલ.સી.બી.ના માંડણભાઇ વસરા, અશ્વિનભાઇ ગંધા, હરપાલસિંહ સોઢા, ફીરોજભાઇ દલ, વનરાજભાઇ મકવાણા, રઘુવીરસિંહ પરમાર, ભગીરથસિંહ સરવૈયા, નિર્મળસિંહ.એસ.જાડેજા, હરદિપભાઇ ધાધલ, ચશપાલસિંહ જાડેજા ધાનાભાઇ મોરી, નાનજીભાઇ પટેલ, ભરતભાઇ પટેલ, શરદભાઇ પરમાર, હીરેનભાઇ વરણવા, યોગરાજસિંહ રાણા, બળવંતસિંહ પરમાર, લખમણભાઇ ભાટીયા,સુરેશભાઇ માલકીયા, એ.બી.જાડેજા તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા