Mysamachar.in-જામનગર
રાજ્યમાં ફાયર સેફટીના નિયમો કડક કરવા માટે ગાંધીનગર ખાતે તૈયારીઓ ચાલી રહી છે, અને 26 જાન્યુઆરીથી આ નિયમો ગુજરાતભરમાં લાગુ પડી જશે, ત્યારે વારંવાર ફાયર સેફટી સીસ્ટમની તાકીદ છતાં અમુક ખાનગી હોસ્પિટલો ટસની મસ થવા તૈયાર નથી, એવામાં જામનગર શહેરના અંબર ચોકડી નજીક આવેલ ક્રોસ વે કોમ્પ્લેક્ષના છઠા માળ પર આગની એક ઘટના સામે આવ્યા બાદ જામનગર કમિશ્નર સતીશ પટેલની સુચનાથી આજે ફાયર વિભાગની ટીમ આ કોમ્પ્લેક્ષમાં સર્વે માટે પહોચી હતી જ્યાં કોમ્પ્લેક્ષમાં આવેલ જાણીતા ડો.હિમાંશુ પાઢની હોસ્પીટલમાં ફાયર NOC ના હોય અને ફાયર સેફ્ટીના સાધનો અંગેની આખરી તાકીદ બાદ પણ કાર્યવાહી કરવામાં ના આવતા આજે ICU અને જનરલ વોર્ડને મનપાએ સીલ કરી દીધા જયારે ઓશવાલ હોસ્પીટલના અમુક ભાગ પણ જ્યાં હોસ્પિટલ કાર્યરત હોય ત્યાં પણ ફાયર NOC ના હોય મનપા દ્વારા સીલ કરી દેતા તબીબી આલમમાં ચકચાર મચી જવા પામી છે.