Mysamachar.in-જામનગર:
જામનગરમાં એક પરિવારના સભ્યો પર હુમલો કરવાના ગુન્હામાં સમાધાન ના થતા રહી રહીને ભાજપના કોર્પોરેટર સહીત 4 સામે સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે, આ અંગે પોલીસ ચોપડે નોંધાયેલ વિગતો મુજબ જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 13 ના ભાજપના કોર્પોરેટર કેતન જેન્તીભાઈ નાખવા ગત તારીખ 25 ઓક્ટોબરના રોજ શહેરના 17 દિગ્વિજય પ્લોટમાં ફરિયાદી ગૌરવ ધીરેશભાઈ કનખરાના ઘરે પહોચેલા અને ધીરેશ કનખરાને ફોન કરી ઘર નીચે બોલાવી મારી વાતુ શું કામ કરો છે….??
તેમ કહી ઉશ્કેરાઇ જઇ ગાળા ગાળી કરી તેના હાથમા રહેલા બેઝબોલના ધોકા વડે આડેધડ માર મારતા ધીરેશ કનખરાના પુત્ર ગૌરવ તેને બચાવવા વચ્ચે પડતા કેતન નાખવા સહીત તેમની સાથે રહેલા ભાવિન વિજયભાઇ નાખવા, સંજીત વિજયભાઇ નાખવા, હિતેષ કિશોરભાઇ કનખરા એમ ચારેય ઇસમોએ ગૌરવને આડેધડ માર મારી ફેક્ચર જેવી ઇજાઓ કરી તેમજ ફરિયાદી ગૌરવ કનખરાના માતા તથા પત્ની તથા બન્ને કુટુબી ભાઇ અમીતભાઇ તથા હીતેનભાઇ તેમને બચાવવા વચ્ચે પડતા તેમને પણ શરીરે માર મારી મુંઢ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાને મદદગારી કર્યા સબબના મામલામાં જ્ઞાતિના આગેવાનો દ્વારા આ મામલે સમાધાનના પ્રયાસ છતાં સમાધાન ના થતા અંતે સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.