Mysamachar.in-જામનગર:
વહીવટી કુશળતા સાથે ગતિશીલતાના આગ્રહી જામનગર કલેક્ટરની આજે જિલ્લામા સરપ્રાઇઝ વીઝીટ હતી તેના પરથી કલેકટર ડો.સૌરભ પારધી જાત નિરીક્ષણના આગ્રહી હોવાનુ તારણ નીકળ્યુ છે સાથે-સાથે જાણવા મળ્યા મુજબ આ નવનિયુક્ત IAS ની નેમ એવી છે કે વહીવટી સદન સેવા સદન બને તે દિશામા જ તેમને આવતા વેંત સમીક્ષા અને સુચનાઓ શરૂ કરી હોય સમીક્ષકો માને છે કે સનદી અધીકારી ડો.સૌરભ પારધી નવા દ્રષ્ટીકોણ સાથે સરકાર સાથે સુસંગત કાર્યપ્રણાલી સ્થાપીત કરી રહ્યા છે જે માટે સદનસીબે મુખ્ય બ્રાંચો વિભાગોમા અધિકારીઓ કર્મચારી સારી રીતે ફરજ બજાવે છે પરંતુ તેમને કલેક્ટર કર્મયોગી બનાવવાની દિશામા જહેમત કરે છે તેમ જાણવા મળ્યુ છે આ અંગે વધુ પ્લસ પોઇન્ટ હજુ તેમની મીટીંગો પ્રવાસો સુચનાઓ વગેરે પરથી જાણવા મળશે જેમા આજની જિલ્લાની સરપ્રાઇઝ વીઝીટ મહત્વની ગણાય છે,
જામનગર જીલ્લા કલેકટર તરીકે નિમણુક પામેલ ડો.સૌરભ પારધી શિસ્ત અને નિયમપાલનના આગ્રહી છે, તેવોએ ચાર્જ સાંભળતાની જ સાથે જ તેવો એક-એક કામગીરી પર પોતે જાત નિરીક્ષણ કરી રહ્યા છે અને જરૂરી સૂચનાઓ અધિકારીઓ અને કર્મચારીઓને આપી રહ્યા છે તેમ રેવન્યુ વિભાગના અધિકારીઓ પાસેથી જાણવા મળે છે, તેવો રેવન્યુ વિભાગની જુદી જુદી કચેરીઓમાં આવતા અરજદારોને હાલાકી ના ભોગવવી પડે અને અરજદારોના કામો સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે કર્મચારીઓ અને અધિકારીઓને સમયાંતરે ટકોર કરી રહ્યા છે ત્યારે મહત્વપુર્ણ રીતે આજે જામનગર કલેકટર ડો.સૌરભ પારધીએ ધ્રોલની વિવિધ સરકારી કચેરીઓ જેવી કે પ્રાંતઅધિકારીની કચેરી,મામલતદાર કચેરી, ધ્રોલ પોલીસ મથકની આકસ્મિક મુલાકાત લઇ અને રેકોર્ડની ચકાસણી, બાકી રહેતા કામોને તાકીદે પુરા કરવાની સુચના, અરજદારોના કામો શક્ય હોય ત્યાં સુધી તુરત જ પૂર્ણ થાય તેવી સૂચનાઓ પણ અધિકારીઓને કલેકટર ડો.સૌરભ પારધી દ્વારા આપવામાં આવી હતી ઉપરાંત કોવીડ એસઓપી વેક્સીનેશન ટ્રેસીંગ ટ્રેકીંગ ટ્રીટમેન્ટ બાબતે પણ તેવોએ અધિકારીઓ સાથે રીવ્યુ કર્યો હતો
એકંદરે જોઇએ તો સરકાર તમારે દ્વારનો સરકારનો કન્સેપ્ટ છે સંવેદનશીલતા અને ગતીશીલતાનો ધ્યેય છે લોકોના કામ થાય તે દિશામા વહીવટીતંત્ર આગળ ધપે તે ઉદેશ્ય છે તેમજ ખાસ કરી રેવન્યુ અધીકારીના પ્રવાસ નાઇટ હોલ્ટ લોકદરબાર વિભાગોનુ સંકલન મોટી યોજનાની લોકભોગ્યતા હાલની મહામારીમા આરોગ્ય સેવાનો વ્યાપ તમામ રીતે નાગરીકોના જાહેર સેવાના કાર્યો સહિત અનેક બાબતો સીટીઝન ચાર્ટર મુજબ અમલમા લાવવા કલેક્ટર ડો.સૌરભ પારઘી આગળ ધપી રહ્યા છે જેમા તેઓ મક્કમ રીતે આગળ ધપતા સફળ થશે તેવુ હાલની કાર્યપ્રણાલી પરથી નિષ્ણાંતો અનુમાન કરે છે.