Mysamachar.in-જામનગર
જામનગર મહાનગરપાલીકા ની ચુંટણી છે ત્યારે જામનગર સીટી ભાજપએ નિરસ ચુંટણી ઢંઢેરો જાહેર કર્યો છે, પરંતુ મુખ્યમંત્રી બે દિવસ પહેલા પાણી વિશે જે બોલી ને ગયા તે અને ઢંઢેરામા જે વાક્ય પ્રયોગ સીફતથી અને ચાલાકીથી કરાયો છે તે બંને વચ્ચે જમીન આસમાનનો ફેર હોવાનુ અભ્યાસુઓએ તારણ કાઢ્યુ છે, તેમજ મેટ્રો ટ્રેનનુ પણ કઇ ઢંઢેરામા નથી તો સીએમ એ માત્ર અમસ્તુ જ લકોને સાંભળવુ ગમે એટલે જ કહ્યુ હશે? એ સવાલ પણ થાય છે એ સિવાય ઢોર નિયંત્રણ કે રમતગમત, સ્મશાન, દવાખાના, રોડ, પુલ પાણી નાની ક્લીનીકો વગેરે તો વસ્તી મુજબ અને વિસ્તાર મુજબ કોર્પોરેશને આવી ફરજીયાત સેવાઓ તો પુરી પાડવાની કાયદા મુજબ જોગવાઇ જ છે માટે જેને વિકાસ કહી ને નાચે છે…
સતાવાળાઓ તે પર્યાવરણના માપદંડ સુધારે બ્લડબેંક તેમજ પશુ દવાખાના કરે શહેરમા ફાયરસેફટી અને ડીઝાસ્ટર મેનેજમેન્ટ કરે એમ્બ્યુલન્સો પુરતી રાખે નાગરીકો વિદ્યાર્થીઓના રીક્રીએશન ઇમ્પ્રુવમેન્ટ માટે ઇન્ફર્મેશન સેન્ટરો બનાવે કોર્પોરેશનની ઓફીસમા નાગરીકોને બીજો ધક્કો ન થાય એવી વ્યવસ્થા કરે અવાજ ધુળ ધુમાડાના પ્રદુષણ નિયંત્રીત કરવા વગેરે તેમજ અનેક કાર્યો માટે બીજા વિભાગો સાથે સંકલન કરી નાગરીકો માટે ઘણુ બધુ થઇ શકે (ખરેખર પારદર્શી વચન આપવા હોય તો સ્વીકારવુ પણ પડે કે આટલુ થયુ આટલુ નથી થયુ આ તો બધુ છેલ્લા બેવ બજેટમાંથી ઉપાડી ઢંઢેરો બનાવી દીધો)વળી આ તો જેવા તેવા થઇ રહેલા રોડ નક્કી કર્યા મજબથી નાની પાઇપલાઇન ગટરના માથાના દુખાવા જેવા જેમાંથી પાણી સરખા જતા નથી તે સહિતના કામોને શહેર ભાજપ વિકાસ કહે છે માટે સ્પષ્ટ કરવુ પડે કે વિકાસ “કોનો” “કોનો” કરવાની વાત છે?? એમ અમુક લોકો કટાક્ષ પણ કરે છે,
આગામી મહાનગરપાલિકાની ચુંટણીને લઈને ભાજપ દ્વારા ચુંટણી ઢંઢેરો જાહેર કર્યો છે, આ ચુંટણી ઢંઢેરો તમામ જુના મુદ્દાઓ જે મનપાના બજેટોમાં આવી ચુક્યા છે તે સાથેનો હાસ્યાસ્પદ હોવાનું ઢંઢેરા પર નજર કરતા લાગી રહ્યું છે, તમામ જુના અને ચાલુ આયોજનો જણાવી અને ભાજપે વાહવાહી લુટવાનો પ્રયાસ કર્યો હોય તેમ સમીક્ષકોનું માનવું છે,
બીજી તરફ દૈનિક પાણીને બદલે મેનીફેસ્ટોમાં શબ્દ બદલાયો નિયમિત પુરતું શુદ્ધ પાણી..! જ્યારે મુખ્યમંત્રીએ સભા ગજાવી કે જામનગરને રોજ પાણી આપીશુ (આઝાદીના સવા સાત દાયકા પછી પણ અને એ પણ મોટા શહેરમા પાણી રોજ આપીશુ કાંતો નિયમિત આપીશુ તેવા વચન ઉપર ચુંટણી જતવા નીકળનારા શરમાતા નહી હોય?? ને પાણીના ફોર્સ કેવા છે લીકેજ કેટલા છે રોજ 45 મિનિટ નથી આવતુ ક્યાક ગટરના પાણી ભળેલુ આવે છે વર્ષો બાદ પણ પીજીવીસીએલ ના આધારે રેવુ પડે લાઇટ ન હોય તો ટાંકા ન ભરાય સીટી વિસ્તારની પાણીની પાઇપલાઇન છે તે તમામની બ્લ્યુ પ્રિન્ટ પણ નથી…..!!) દરમ્યાન મુળ મુદો એ કે રોજ પાણીને નિયમિત પાણી બેય એક કે અલગ અલગ અર્થ થાય??
કેમકે તાજેતરમાં જ મુખ્યમંત્રી જામનગરની એક જાહેરસભામાં કહી ને ગયા કે હવે જામનગરને પણ દૈનિક પાણી વિતરણ થશે પણ મુખ્યમંત્રીના બોલ અને શહેર ભાજપના ચુંટણી ઢંઢેરામાં વિશેષ તફાવત હોય તેમ એટલા માટે લાગ્યું કે જે ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો તેમાં અત્યારસુધી મનપા દૈનિક પાણી વિતરણ કરવાના બણગા ફૂંકતું હતું, હવે ગઈકાલે જે ઢંઢેરો જાહેર થયો તેમાં નિયમિત શુદ્ધ પાણી વિતરણ કરવામાં આવશે તેવો શબ્દપ્રયોગ કરવામાં આવ્યો એટલે કે દૈનિક વિતરણનો શબ્દ ઢંઢેરામાં જોવા મળ્યો નથી એવુ જ સીએમ એ મેટ્રો ટ્રેન નુ કહ્યુ તે પણ ભાજપના મનપા ચુંટણીના ઢંઢેરામા નથી તો હવે સમજવુ શુ??
આવુ તો દરેક મુદામા છે કે લોકોને મુરખ બનાવવા ઢંઢેરો બહાર પાડ્યો છે કે જુના વાસણમા નવુ પીણુ નાખી “ભૂ” પીવડાવવા નીકળ્યા છે, તે નક્કી નથી થતુ કેમકે ફરી ટ્રાફીક સમસ્યાને દબાણ જેવા મુદાઓ પણ ઢંઢેરામા આવ્યા છે જે ભાજપના શાસકો ઉકેલી જ નથી શકતા તો વળી શાકમાર્કેટ અને સીટીબસ જેવા પ્રાણપ્રશ્ને તો કઇ જાણે જરૂર નથી તેમ સ્પષ્ટ કોઇ ઉલ્લેખ જ ઢંઢેરામા નથી.
-ઢોરઢાંખરનો પ્રશ્ન દુર કરવા હવે ક્યાક શીખવા જશે…. લે બોલ…!! અને ફરી સ્પોર્ટસ સેન્ટર અને મ્યુઝીયમની લોલીપોપ
શહેર ભાજપે ઢંઢેરામાં જાહેર કરવામાં આવ્યું કે શહેરમાં ઢોરઢાંખરનો પ્રશ્ન જટિલ છે, (હા તે બહાને સ્વીકાર તો કર્યો કે આ સમસ્યા જટિલ છે) તે પ્રશ્ને ઢંઢેરામાં એવું દર્શાવામાં આવ્યું કે અન્ય મહાનગરોની કાર્ય પદ્ધતિ જેઓ ઉકેલમાં સફળ થયા છે તેનો અમલ કરીશું ત્યારે પૂછવામાં આવ્યું કે શું એવા પગલાઓ હશે ત્યારે તે મુદ્દે ભાજપના નેતાઓ યોગ્ય પ્રત્યુતર આપી શક્યા નહોતા, ઉપરાંત અદ્યતન સગવડતાવાળું એક વધુ સ્પોર્ટસ સંકુલ જામનગરના રમતવીરોને ભેટ આપીશું. આ વાત તો મનપાના કેટલાય બજેટથી ચાલી આવી છે પણ ખરેખર થશે કે કેમ..? જામ રણજી – વિનુ માંકડ – સલીમ દુરાનીની ભૂમી પર વિશ્વ કક્ષાનું સ્પોર્ટસ મ્યુઝીયમ રમતની અને રમતવીરોની વિરાસતને જાળવવા તેમજ ઉજાગર કરવા માટે બનાવીશું. (આ જાહેરાત તો મુખ્યમંત્રી કરીને ગયા છે જામનગર આવ્યા હતા ત્યારે તેમાં નવું શું)
-ફાયર સ્ટેશન અને સ્મશાનના લટકતા મુદા ઢંઢેરામા ફરી સમાવ્યા
બે નવા ફાયર સ્ટેશન (લાલપુર રોડ તેમજ માર્કેટ યાર્ડ આસપાસ) સુવિધા સભર સલામતિના તમામ આયમો સાથે ઉભા કરવામાં આવશે. (જાહેરાત લાંબા સમયથી બજેટમાં થાય છે પણ અમલવારીનો છે પ્રશ્ન તો ફાયર વિભાગે પણ વધુ ફાયર સ્ટેશનોની જરૂરિયાત હોવાનું જણાવ્યું છે) તો લાંબા સમયથી જે મુદ્દો અદ્ધરતાલ છે તેની પણ આજે નવા સ્વરૂપમાં જાહેરાત કરી દેવામાં આવી..કે લાલપુર બાયપાસ પાસે અત્યંત સુવિધાયુક્ત આધુનીક ગેસીફીકેશન સાથેનું સ્મશાન ઝડપથી નિર્માણ પામે તે માટેનું આયોજન.
-તાજા પુર્વ પ્રમુખની સમર્પિતતા સ્પષ્ટ તરી આવી
ચુંટણી ઢંઢેરા માટેની પત્રકાર પરિષદ વખતે એક પોઝીટીવ બાબત એ તરી આવી કે પત્રકારોએ જામનગરની જનતાના હીતમા વેધક સવાલો ઉઠાવ્યા ત્યારે હાલના શહેર ભાજપ પ્રમુખની બાજુમા બેઠેલા તાજા પુર્વ પ્રમુખની સમર્પિતતા તરી આવી હતી તેઓ મુંઝવતા સવાલોના શુ જવાબ પત્રકારોને આપવા તે હાલના પ્રમુખને કહેતા જતા હતા કેમકે તેમનો ઉદેશ્ય એ હતો કે ભાજપનુ સારૂ લાગે આવી પોઝીટીવ બાબતની જાણ થઇ ત્યારબાદ અમુક જાણકારો વિશ્લેષકો આ વાતને ટીકાત્મક રીતે ચર્ચામા લેતા હતા કે તે એટલે કહેતા જતા હતા કે એક તો વિડીયો ઉતરતો હોય તે ઉપર જાય તો એમ થાય કે “પુર્વ” કેટલુ જાણે છે?? (એમ કહી જાણકારો તેના વ્યુહાત્મક અર્થઘટન કરતા હતા) બીજુ કે સુપર પ્રમુખ હુ છુ શીઘ્ર જવાબ છે અભ્યાસુ છુ અને નવા પ્રમુખ કાચા પડે છે વગેરે વગેરે પ્રકારની છાપ પડે માટે આવુ કરતા તા તો કોક કહે તેમના રીવ્યુ ખાસ કોઇ લેતા નથી અને આટલા વર્ષોની ટેવ પડી ગઇ માટે બોલ્યા વગર રહી શકતા ન હતા……
વગેરે બાબતોની ચર્ચાઓ અમુક વિશ્લેષકો કરતા હતા ખરેખર વિશ્લેષકો જે ટીકા કરે છે એવુ કંઇ જ નથી જો વિડીયો જોઇને નેગેટીવ જ વિચારવુ હોય તેને શુ ?? પરંતુ ખરેખર પોઝીટીવ એ લેવાનુ છે કે પક્ષ માટેની સમર્પિતતા તેમને બોલ્યા વગર રહેવા જ દઇ શકતી ન હતી આ બાબત મજાકની નથી જાણકારીની છે પરંતુ હવે વિશ્લેષકોને કોણ સમજાવે?? કે તેઓનો અનુભવ છે તો ભલે પાર્ટીએ સમજાવીને નવા પ્રમુખ બનાવ્યા હોય પરંતુ પોતાના અનુભવનો નીચોડ નવા પ્રમુખને આપી જ શકે છે એ ઓન ધ કેમેરા કે ઓફ ધ કેમેરાની ચિંતા કર્યા વગર જ.. અને હા ટીકા તો જ કરાય કે પુર્વ કઇક કહેતા હોય ત્યારે નવા પ્રમુખ મો બગાડતા હોય અણગમો વ્યક્ત કરતા હોય તો પરંતુ નવા પ્રમુખ તો પુર્વ જે જે કહેતા હતા તે-તે ખુશીથી બોલતા હતા તો ટીકા કરવાની વાત જ ક્યાથી આવી એ સમજાતુ નથી.