Mysamachar.in-જામનગર:
જામનગર જીલ્લા જેલ આજે ફરી વિવાદમાં આવી છે, અને વિવાદમાં આવવા પાછળનું કારણ એસીબીએ કરેલ ટ્રેપ છે, વાત એવી છે કે જામનગર જીલ્લા જેલમાં જેલ સહાયક તરીકે ફરજ બજાવતા સિદ્ધરાજસિંહ ગંભીરસિંહ જાડેજા અને વચેટિયા દુષ્યંતસિંહ હેમેન્દ્ર સિંહ જાડેજાને એસીબીએ ઝડપી પાડ્યા છે,
એ.સી.બી.પોસ્ટે. જામનગર ને ખાનગીરાહે ચોક્કસ આધારભૂત માહિતી મળેલ કે, જામનગર જીલ્લા જેલમાં કાચા -પાકા કામના કેદીઓને પાન-મસાલા તેમજ અન્ય સવલતો આપવા માટે જીલ્લા જેલ જામનગર ના કર્મચારીઓ દ્વારા કેદીઓના સગા સબંધીઓ પાસેથી લાંચ પેટે રૂ. 1000/- થી રૂ. 5000/- ની ગેરકાયદેસર રીતે માંગણી કરવામાં આવે છે.
જે માહિતી આધારે આજરોજ એક જાગૃત નાગરીકનો ડીકોયર તરીકે સહકાર મેળવી, ડિકોય નું આયોજન કરવામાં આવેલ. ડિકોયર ના સંબંધી જેલમાં હોય,જેમાં જેલ સહાયક સિદ્ધરાજસિંહ ના કહેવાથી દુષ્યંતસિંહ પાસેથી તેમના સંબંધી ને જેલમાં પાન-મસાલા પહોંચાડવા માટે લાંચ પેટે રૂ.2000/- ની ભ્રષ્ટ રીતે ગેર કાયદેસર માંગણી કરી, સિદ્ધરાજસિંહએ એ લાંચના નાણાં સ્વીકારી, બંને આરોપીઓ પકડાઈ જતા જેલમાં તમાકુ પાન મસાલાના શું ભાવો ચાલે છે તે ખુલ્લું પડી ગયું છે.આ કાર્યવાહી મદદનીશ નિયામક એચ.પી.દોશીના માર્ગદર્શન હેઠળ જામનગર એસીબી પી.આઈ.એ.ડી.પરમાર અને સ્ટાફ દ્વારા કરવામાં આવી છે.