Mysamachar.in-જામનગર:
જામનગર કોર્પોરેશનની ચુંટણીમા ભાજપના અમુક ઉમેદવારોની હાલત એવી છે કે જાનમા કોઇ જાણે નહી ને હુ વરની ફોઇ…..કેમકે સાવ નવા ઉમેદવારો ઘણા છે તેમજ જે રીપીટ છે તેમાથી ય અમુક ગત ટર્મમા વિસ્તારોમાં કાયમ જોવા મળ્યા નથી તો આવા ઉમેદવારોને મત કેમ મળશે?(એટલે કે જીત મેળવ્યા બાદ પોતાના વિસ્તારમાં વધુ સક્રિય રહ્યા નથી)
વળી કોર્પોરેટર થવા માટે જે કોઇ લોકોનો સંપર્ક કરે તે ઉમેદવાર લોકો માટે શુ કરશે? રાજ્ય સરકારને કેન્દ્ર સરકારના ગાણા કોર્પોરેશનમા કેમ ચાલે? અહી તો રસ્તા જોઇએ નિયમિત પાણી જોઇએ સફાઇ રેગ્યુલર જોઇઐ ટ્રાફીક ત્રાસમાથી મુક્તિ જોઇએ સ્ટીટ લાઇટ રોજ ચાલુ રહેવી જોઇએ ઢોરના ત્રાસમાંથી છુટકારો જોઇએ ગટર સાફ થવી જોઇએ દવા છંટકાવ રોજ અને સારો થવો જોઇએ (ખાલી ચુનાનો પાવડર નહી) આવી ઘણી બાબત છે તે ભાજપના દરેક ઉમેદવાર પ્રજાને વચન આપી શકવાનુ માત્ર નહી પણ કરાવી શકે તેમ છે?
હવે ભાજપના ઉમેદવારો એક તો સંગઠન પાસે કઇ બોલી શકતા નથી પોતાનો પ્રચાર યોગ્ય કરી શકતા નથી કઇક પ્રજાને ઠોસ કહેવાય તેવુ કઇ સ્થાનીક કક્ષાએ છે નહી, માટે પ્રચાર કરવા ભાજપના ઉમેદવારો જાય તો પત્રિકા આપીને નીકળી જાય છે કેમકે મતદારોને જવાબ નથી આપી શકતા કેમકે રોષનું વાતાવરણ છાને ખૂણે જોવા મળે છે, અને શહેર ભાજપ રાબેતામુજબ બધું બરોબર ચાલતું હોવાના બંગણ ફૂકે છે…!
આ લોકો હાથે કરીને નાવ ડુબાડશે કેમકે ભાજપમા મેઇન આધાર કાર્યકર્તાઓ છે તે સૌ દરેક મધ્યસ્થ કાર્યાલયોમા દેખાતા નથી અને નવા ઉમેદવાર માટે તો કોઇ જાણતુ નથી તેવી સ્થિતિ છે તો સંગઠનના હોદેદારો પાસે કોઇ બાબતે જાય તો અમુક એ જણાવ્યુ કે વડકા ભરે છે કે ટીકીટ મળી એમ ક્યો? હવે લડી લો તમારી રીતે…..વગેરે-વગેરે હવે નવા ઉમેદવારને અનુભવ ન હોય તે અત્યારેય સંગઠનની જેમ દિશા વગર છે તો ક્યાથી ચુંટાય? વળી સંગઠનમા જે બેક સીટ ડ્રાઇવીંગ કરે છે તેના જેટલા માનીતાને ટીકીટ મળી તેટલા પુરતુ સાજુ કરે છે નવાઓનુ કોઇ નથી….!! આવી અનેક પ્રકારની ચર્ચા ભાજપની અંદર ને બહાર થઈ રહ્યાનુ સંભળાય છે કે આ સંઘ દ્વારકા પહોંચે એવુ લાગતુ નથી…..જોઇએ સમય પછડાટ ખવરાવશે ત્યારે મોડુ થઇ ગયુ હશે તેમ પણ અમુક લોકો કહે છે.