Mysamachar.in-જામનગર:
જામનગર જીલ્લાના જોડીયા તાલુકાના જોડીયા ગામ ઘણા વર્ષોથી પ્રાથમિક સુવિધાનો અભાવ છે જેમાં ખાસ કરીને રોડ, પાણી અને ભૂગર્ભ ગટરના કારણે 20000 ની વસ્તી ધરાવતા ગામમાં ગટરના પાણીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.આ પરિસ્થિતિમાં ગ્રામપંચાયત જોડીયાની આર્થીક પરિસ્થિતિ ખરાબ હોવાના કારણે તેમજ તાલુકા પંચાયતમાં થી વિકાસની પરવાનગી ન મળવાના કારણે જોડીયા ગામ નો વિકાસ રૂંધાયો છે,
જેના કારણે જોડીયા ગામના સરપંચ બાવલાભાઈ નોતિયાર, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જીવણ કુંભારવાડિયા, માજી તાલુકા પંચાયત સભ્ય ફરિદ પરમલ, યુથ કોંગ્રેસ જામનગર ગ્રામ્યના પ્રમુખ હસન સોઢા, ઓલ ઈન્ડીયા સુન્ની મુસ્લિમ વાઘેર સમાજના પ્રમુખ હારૂનપલેજા સહિતના જોડીયાના આગેવાનો સાથે નાયબ જિલ્લા વિકાસ અધિકારીને રૂબરૂ મળી લેખિતમાં રજૂઆત કરેલ કે જોડીયા ગામમાં ભૂગર્ભ ગટરના કારણે લોકોનું જીવન જીવવાનું મુશ્કેલભર્યું બન્યું છે, અને ભૂગર્ભ ગટરની સફાઈ માટેનું કલીનર મશીન તેમજ ટ્રેક્ટર 15 માં નાણપંચમાં મંજૂર વર્ષ 2020/21 માં મંજૂર થયેલ હોવા છતાં આજ દિવસ સુધી તાલુકા પંચાયતની મંજૂરી મળેલી નથી તેમજ પંચાયતની સ્વભંડોળની રકમમાં થી રોડ રસ્તા ની પરવાનગી આપવામાં ના આવતી હોવાના કારણે લોકોને હાડમારી ભોગવી પડે છે જેથી તત્કાલ મંજૂરી આપવા પણ રજૂઆત કરવામાં આવી છે.