Mysamachar.in-જામનગર:
જી.આઈ.ડી.સી. પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસીએશન (દરેડ) દ્વારા આગામી તા. 5 થી 8 જાન્યુઆરી 2022દરમ્યાન રાજકોટ-ખંભાળીયા બાયપાસ રોડ, જી.આઇ.ડી.સી. ફેસ-3 ની સામે, મેગા ગ્લોબલ ઇન્ડસ્ટ્રીયલ ફેર “જામનગર ટેક-ફેસ્ટ” નું આયોજન કરવામાં આવેલ છે.આ ઈન્ડસ્ટ્રીયલ ફેરમાં દેશ-વિદેશના અનેક ઉધોગકારો ભાગ લઈ રહયા છે ત્યારે જામનગરના બ્રાસ પાર્ટસને વેગ આપવા માટે 300 થી વધુ સ્ટોલ સાથે ઉધોગકારો વિવિધ પ્રોડકટસ તેમજ અધતન મશીનરીનું પ્રદર્શન કરશે, આ ઉપરાંત સરકારી તથા સહકારી ક્ષેત્રોની અનેક ઔધોગિક સંસ્થાઓ પણ ઉધોગકારોના વિકાસ માટે સાથે જોડાઈ રહી છે.
40 થી વધુ ઔધોગિક ક્ષેત્ર અને ૨૫ થી વધુ સહકારી અને સસ્કારી વિભાગો દ્વારા 300 થી વધુ સ્ટોલ સાથે 5 લાખ સ્કે.ફૂટમાં યોજાનાર આ ઈન્ડસ્ટ્રીયલ એકઝીબીશન “જામનગર ટેક-ફેસ્ટ” સૌરાષ્ટ્રનું સૌથી મોટું એકઝીબીશન બની રહેશે. આ અંગે એકઝીબીશનમાં ભાગ લેનાર ઉધોગકારોને માહિતગાર કરવાના હેતુથી એક ભવ્ય મિટીંગનું આયોજન કરવામાં આવેલ આ મિટીંગમાં લધુઉધોગ ભારતીના પ્રમુખ જય માવાણી, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજા, જામનગર ફેકટરી ઓનર્સ એસો.ના પ્રમુખ લાખા કેશવાલા, જી.આઈ.ડી.સી. પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસો.ના પ્રેસીડેન્ટ દિનેશ ડાંગરીયા, વાઈ પ્રેસીડેન્ટ હરેશ રામાણી, સેક્રેટરી વિશાલ લાલકીયા, ઈવેન્ટ ચેરમેન અશોક દોમડીયા, જોઈન્ટ સેક્રેટરી વિપુલભાઈ હરીયા, ટ્રેઝરર દિનેશ નારીયા, એકઝીકયુટીવ મેમ્બર રાજેશ સાંગાણી, ઈવેન્ટ કમિટી મેમ્બર રાજેશ ચોવટીયા સહીતના મહાનુભાવો હાજરી આપી અને જામનગર બ્રાસ પાર્ટસ ઉધોગના વિકાસ અંગેની વિસ્તૃત ચર્ચા કરેલ હતી.
આગામી તા. 5 થી 8 જાન્યુઆરીના યોજાનાર “જામનગર ટેક-ફેસ્ટ” જામનગરમાં યોજાઈ રહયો છે ત્યારે આ ઔધોગિક એકઝીબિશનમાં જામનગર ઉપરાંત દેશના અનેક શહેરોમાંથી 2.5 લાખથી વધુ નાના-મોટા ઉદ્યોગકારો તેમજ આ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો મુલાકાત લેશે તેમ એસોસીએશનના પ્રમુખ દિનેશભાઈ ડાંગરીયાએ જણાવેલ દર બે વર્ષે થતાં આ ઔધોગિક એકઝીબીશન ઉપરોકત વિકાસ કરી રહ્યું છે ત્યારે જામનગરના બ્રાસ ઉધોગનું પણ અધતન મશીનરી સાથે આધુનિકરણ થઈ રહયું છે અને વધારે વિકાસ સાથે તે હેતુથી આ જામનગર ટેક-ફેસ્ટ-ર૦રર નું આયોજન કરવામાં આવેલ છે વધુને વધુ લોકો વિધાર્થીઓ આનો લાભ લે તેવું ડાંગરીયાએ જણાવેલ. મિટીંગમાં એકઝીબીશન ચેરમેન અશોક દોમડીયા એ ૨૦૧૬ થી ૨૦૨૨ સુધી ના તમામ એકઝીબીશનની વિસ્તૃત માહિતી આપેલ હતી. આ ટેક-ફેસ્ટ ની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહેલ છે. સમગ્ર આયોજનમાં રાજકોટની સનલાઈન ઈન્ફોટેક ઈન્ડીયાના પ્રણેતા બ્રિજેશ પુરોહિત દ્વારા માર્કેટીંગની જવાબદારી સંભાળેલ છે. તેમજ આ સંપૂર્ણ આયોજનનું ડિઝાઈન અને ડેકોરેશનનું કાર્ય એડેકસ ઈવેન્ટ એન્ડ એકઝીબીશન્સના ધર્મેશભાઈ રાઠોડ દ્વારા કરવામાં આવેલ છે.