Mysamachar.in-જામનગર
જામનગર મહાનગરપાલિકાની ચુંટણી માટે આ વખેત ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી એવા માપદંડો સાથે કરવામાં આવી છે, કે જે ખરેખર ઉમેદવારીને લાયક હોય અને પ્રજા માટે કઈક કરી છૂટવાની ભાવના હોય…આવો જ નિષ્ઠાવાન ઉમેદવારોનો સંગમ વોર્ડ નંબર 16 ભાજપની પેનલમાં થયો છે. જે ઉમેદવારો આ વિસ્તાર માટે તો જણીતા છે, પણ લોકોમાં સારી એવી લોકચાહના પણ ધરાવે છે. ભાજપના ચારેય ઉમેદવારો વિનોદભાઇ નાથાભાઇ ખીમસૂર્યા, પાર્થ પરસોતમભાઇ કોટડીયા, ગીતાબા મહાવિરસિંહ જાડેજા અને ભારતીબેન અશોકભાઇ ભંડેરીને પેનલને વોર્ડ નંબર 16 ના ખૂણે ખૂણેથી લોકોનો એવો તો પ્રચંડ આવકાર મળી રહ્યો છે કે આ વિસ્તારમાં પેનલ જંગી મતોથી જીત મેળવે તેવા સંજોગોનું નિર્માણ અત્યારથી જ થયું છે.નિષ્ઠાવાન, પ્રામાણિક, અને લોકોના કાર્યો માટે સદાય તત્પર એવા ચારેય ભાજપના ઉમેદવારોને લોકસંપર્કમાં એવો તો પ્રતિસાદ મળી રહ્યો છે કે હરીફોના પરસેવા છૂટી ગયા છે. અને જ્યાં લોકોને મળે છે ત્યાં જ સભા જેવો માહોલ થઇ જાય છે. તે જોતા સમીક્ષકો આ વિસ્તારમાં ભગવો લહેરાઈ જશે તેમ જણાવે છે.
-ભાજપના વિનોદભાઇ નાથાભાઇ ખીમસૂર્યા
વિનોદભાઈ ખીમસુર્યા એસ.વાય.બી. સુધીના અભ્યાસુ છે, તેવો અનુ.જાતિના જાણીતા વ્યક્તિ છે, અને છેલ્લા 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના સનિષ્ઠ કાર્યકર્તા તરીકે કામગીરી કરી રહેલ છે. પાર્ટીમાં વિવિધ જવાબદારીઓ વોર્ડ મંત્રી, અનુ. મોરચો ઉપપ્રમુખ, શહેર યુવા મંત્રી, શહેર મંત્રી, શહેર ઉપપ્રમુખ, ધારાસભા-લોકસભાની ચૂંટણીઓમાં અલગ-અલગ ઇન્ચાર્જ-સહઇન્ચાર્જની જવાબદારી સંભાળવાનો બહોળો અનુભવ વિનોદભાઈ ધરાવે છે, તો સામાજીક તથા ગુજરાત દલિત મહાસંઘના જામનગર જીલ્લાના પ્રમુખ, જામનગર જીલ્લા દલિત સમાજ પ્રમુખ, યુવા દલિત સમાજ પ્રમુખ, સમુહ લગ્ન, બ્લડ ડોનેશનના કેમ્પો, સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન દર વર્ષે, દર વર્ષે વૃધ્ધોને અલગ-અલગ સ્થળે જાત્રા કરાવનાર તેમજ અલગ-અલગ વિવિધ સંસ્થાઓમાં સામાજીક તેમજ સમાજ ઉત્થાનના અનેક કાર્યોમાં તેવો અગ્રેસર રહે છે.
-યુવા ઉમેદવાર પાર્થ પરસોતમભાઇ કોટડીયા
વોર્ડ નંબર 16 વિસ્તારનો પટેલ સમાજનો જાણીતો ચહેરો એટલે પાર્થ કોટડીયા…સૌના સુખ દુઃખમાં સદા સહભાગી થવા તત્પર રહેતા પાર્થ કોટડીયા બિન અપેક્ષીત, સેવા માટે સદા સજજ હોય. વિસ્તારની ધાર્મિક સામાજીક સંસ્થાઓનો કાર્યક્રમમાં સદાય સાથ આપવાની ઉત્સુક્તા સર્વ જ્ઞાતિ સાથે સમભાવ. અને વોર્ડની સમસ્યા નિરાકરણ માટે કાર્યરત રહી ભાજપ શાસસનાં વિકાસ કાર્યો માટે મહત્વની ચાણકય ભુમિકા ભજવનાર આ વિસ્તારના યુવા ઉમેદવાર છે.
-જાણીતા ગીતાબા મહાવિરસિંહ જાડેજા
વોર્ડ નંબર 16 ના ભાજપ પક્ષના મહિલા ઉમેદવાર નિષ્ઠાવાન વ્યકિતત્વ, ધર્મપ્રેમી તથા સત્સંગ મંડળ ચલાવે છે. બી.કોમ. સુધીનો અભ્યાસ અને ક્ષત્રિય પરિવારમાં થી આવે છે, તેવો આ વિસ્તારના પૂર્વ કોર્પોરેટર મહાવિરસિંહ જાડેજાના ધર્મપત્નિ છે. અનેકવિધ સામાજીક-ધાર્મિક સંસ્થાઓ સાથે સંકળાયેલ, સેવામાં સતત પ્રવૃત એવા મહાવીરસિંહની કોઇ જ વધુ ઓળખની જરૂર નથી. હાકલ પાડેને હાજર. વોર્ડ વિસ્તારના વિકાસ કાર્યોમાં સદા સહભાગી થઇ લોક પ્રશ્નોના નિકાલમાં સદા તત્પર રહેતા મહાવીરસિંહ જાડેજાના પત્ની ગીતાબા જાડેજા પણ આ વિસ્તારમાં થી ભાજપના ઉમેદવાર છે.
-લોકોમાં જાણીતો ચહેરો એવા ઉમેદવાર ભારતીબેન અશોકભાઇ ભંડેરી
વોર્ડ નંબર 16 ની પેનલના મહિલા ઉમેદવાર સંપુર્ણ શાંત પ્રકૃતિ, નિખાલસ, સદા હસતા સ્વભાવના છે. પી.ટી.સી., બી.એ. સુધીનો અભ્યાસ કરી 33 વર્ષ સુધી શાળા નં. 4 માં શિક્ષિકાની સરકારી નોકરીમાંથી સ્વૈચ્છીક નિવૃત લઇ પટેલ સમાજના સિનિયર કાર્યકર્તા ઉપરાંત ભાજપમાં 40 વર્ષથી સંકળાયેલ એવા અશોકભાઇ ભંડેરીના ધર્મપત્નિ છે. તેઓ પટેલ સમાજની સૌરાષ્ટ્રની અનેક સંસ્થામાં કારોબારી સભ્ય છે તેમજ અનેકવિધ ધાર્મિક-સામાજીક-શૈક્ષણીક સેવા સંસ્થાઓ સાથે સંકળાયેલ છે. રાજ્ય-જિલ્લા કર્મચારી સંઘમાં હોદ્દેદાર રહેલ છે. તેઓ આર્યસમાજ શાળામાંથી હેડ કલાર્ક તરીકે 33 વર્ષની નોકરીમાંથી સ્વૈચ્છિક નિવૃત થયેલ છે. તમામ જ્ઞાતિ-સમાજનો સંપર્ક ધરાવે છે.
-ચારેય ઉમેદવારોને પ્રચારમાં ઉમળકાભેર આવકાર…
વોર્ડ નંબર 16 ના મતદારો ખુબ જ સમજુ, શિક્ષિત છે, ત્યારે આ વિસ્તારમાં ભાજપની પેનલના આ ચારેય ઉમેદવારો લોકસંપર્કમાં જાય ત્યારે ચારેય ઉમેદવારોને પ્રંચડ પ્રતિસાદ મળી રહ્યો છે, લોકો સ્વયંભુ ચારેય ઉમેદવારો સાથે પ્રચારમાં જોડાઈ અને ઉમેદવારોને ટેકો આપી અને વિજેતા બનાવવાનો કોલ આપી રહ્યા છે.