Mysamachar.in-જામનગર
જામનગર મહાનગરપાલિકાની ચુંટણી માટે આ વખતે ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી એવા માપદંડો સાથે કરવામાં આવી છે, કે જે ખરેખર ઉમેદવારીને લાયક હોય અને પ્રજા માટે કઈક કરી છૂટવાની ભાવના હોય…આવો જ નિષ્ઠાવાન ઉમેદવારોનો સંગમ વોર્ડ નંબર 16 ભાજપની પેનલમાં થયો છે. જે ઉમેદવારો આ વિસ્તાર માટે તો જણીતા છે, પણ લોકોમાં સારી એવી લોકચાહના પણ ધરાવે છે. ભાજપના ચારેય ઉમેદવારો વિનોદભાઇ નાથાભાઇ ખીમસૂર્યા, પાર્થ પરસોતમભાઇ કોટડીયા, ગીતાબા મહાવિરસિંહ જાડેજા અને ભારતીબેન અશોકભાઇ ભંડેરીને પેનલને વોર્ડ નંબર 16 ના ખૂણે ખૂણેથી લોકોનો એવો તો પ્રચંડ આવકાર મળી રહ્યો છે,
ત્યારે જીત ભાજપની ફેવરમાં આવે તેવા ઉજળા સંજોગોનું નિર્માણ આ વિસ્તારમાં થયું છે, ત્યારે ગત રાત્રીના ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 16ના કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં વોર્ડ 16 માં કોર્પોરેશનની ચુંટણીના ચારેય ઉમેદવારોના પ્રચાર પ્રસાર માટે સખત મહેનત કરી જીતાડવા આગેવાનો દ્વારા કાર્યકર્તાઓને હાંકલ કરવામાં આવી હતી અને જેને એક જ અવાજે તમામ કાર્યકરોએ હોંશે હોંશે વધાવી લઇ વોર્ડ 16 માં ભગવો લેહરાવાનું નિશ્ચિત કરી દીધું છે,
આ સંમેલનમાં માર્ગદર્શન આપવા મહાનુભાવો એવા રાજ્યના કેબીનેટ મંત્રી આર.સી.ફળદુ, રાજ્ય કક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, સાંસદ પુનમબેન માડમ, શહેર પ્રમુખ ડો.વિમલભાઈ કગથરા, પૂર્વ સાંસદ ચંદ્રેશભાઈ પટેલ હાજર રહ્યા હતા, તો સાથે જ આ પેનલ વિજેતા બને તે માટે વોર્ડ પ્રમુખ નીલેશસિંહ જાડેજા, ચુંટણી ઇન્ચાર્જ શૈલેશભાઈ મારું, વાલી અને પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી, મહામંત્રી ધનજીભાઈ કછટિયા, મહામંત્રી યોગેશભાઈ ભટ્ટ, પ્રભારી મુકેશભાઈ લાલવાણી, સઘન મહેનત કરી રહ્યા છે.
-ગત ટર્મમાં કોર્પોરેટરો, સાંસદ ધારાસભ્ય સહિતની ગ્રાન્ટમાં થી કરોડોના વિકાસકામ આ વિસ્તારમાં થયા
વોર્ડ નંબર 16માં ગતટર્મમાં વોર્ડના સર્વાંગી વિકાસને પ્રાધાન્ય આપવાના ભાગરૂપે બન્ને ધારાસભ્ય આર.સી.ફળદુ અને હકુભા જાડેજા અને સાંસદ પુનમબેન માડમની ગ્રાન્ટોમાં થી કરોડોના ખર્ચે વિકાસના કામો કરી અને વિસ્તારની કાયાપલટ કરવામાં આવી છે, અને આવનાર સમયમાં પણ જો ભાજપના ઉમેદવારો ચુંટાઇને આવશે તો તેવો પણ આ વિસ્તારની વિકાસયાત્રાને સતત આગળ ધપાવી જો નાના મોટા કોઈ કામો બાકી હશે તો કરવા માટે પણ યોગ્યસ્તરે રજૂઆત કરી અને કામો પૂર્ણ કરાવી સાચા જનપ્રતિનિધિનું ઉદાહરણ પૂરું પાડશે.
-વોર્ડમાં પ્રચારમાં પ્રચંડ પ્રતિસાદ મેળવતા ચારેય ઉમેદવારો
પ્રચારની શરૂઆતથી માંડીને પ્રચારની પુર્ણાહુતી થવા જઈ રહી છે ત્યારે જયારે જયારે ચારેય ઉમેદવારો વિનોદભાઇ નાથાભાઇ ખીમસૂર્યા, પાર્થ પરસોતમભાઇ કોટડીયા, ગીતાબા મહાવિરસિંહ જાડેજા અને ભારતીબેન અશોકભાઇ ભંડેરી વોર્ડના સતત દોડતા કાર્યકર્તાઓની ટીમ સાથે પ્રચારમાં નીકળે છે ત્યારે લોકોમાં તેમના પ્રત્યે કામ કરવાની ભાવના જોવામાં આવી રહી છે, તેથી જ મતદારો પણ કહે છે કે જો અમે ઉમેદવારોને જીતાડીશું તો અમારા વિસ્તારમાં હજુ પણ વિકાસના કામોને વેગ મળશે.