Mysamachar.in-જામનગર
વિકાસ ઝંખતુ જામનગર જેમ-જેમ હદ વધતી જાય છે, તેમ તેમ વધુ ધ્યાન આપવુ પડે તેમાંય કોર્પોરેશન જેવી સ્થાનિક સ્વરાજ્યની જવાબદારી વિશેષ બને છે, ત્યારે કોર્પોરેશનની સ્ટેન્ડીંગ કમીટીની તો વિશેષ જવાબદારી બને છે, આ પોસ્ટ ઉપર ખંતીલા દુરંદેશી પ્રજાની જરૂરિયાત જાણનાર તેમજ આ પદ ઉપર બેસી નગરનો સંતુલીત વિકાસની નેમ રાખનાર પદાધીકારી બેસે ત્યારે તેમનો સુઝકો નગરના હિતમા ઘણો ઉપયોગી બની રહે છે,
તેવુ જ યોગાનુયોગ હાલ સ્ટેન્ડીંગ ચેરમેન સુભાષ જોશીની બાબતમાં બધુ જ લાગુ પડે છે, તેવુ વિશ્લેષણ કરતા જોવા મળે છે, તેમજ તેમની કાર્યશૈલીની વિશીષ્ટતા એ છે કે હંમેશા લો પ્રોફાઇલ રહે છે, તેમ પણ તેમની આજુબાજુ સતત ટચમા રહેતા સ્ટાફ અધીકારીઓ નગરના આગેવાનોનો અભિપ્રાય મળતા રહે છે, અને આ વિશેષતાને સમર્થન એ રીતે મળે છે કે અવિરત વિકાસ કાર્યોની મંજુરીએ કાર્યો શરૂ કરાવવા અને પુરા કરાવી નગરજનોની સુવિધા વધારતા રહેવાનુ લક્ષ્ય ચેરમેન સફળ કરતા જ રહ્યા છે,
રાજકીય વિશ્લેષકોના મતે યુવાન વયમા સુઝકો સુમેળ સાલસ સ્વભાવ કાર્યશૈલી લોકોની રજુઆતો શાંતિથી સાભળવી સ્ટાફ પાસેથી કામ લેવાની આવડત દરેક કામ કરનાર દોડનારનો ઉત્સાહ વધારવો સુચન અને માર્ગદર્શન આપવાની કે સુચનાઓ આપવાની આગવી ઢબ વિભાગોને સમયાંતરે કામો માટે દોડતા રાખવા વહીવટી અને સતાધારી પાંખ વચ્ચે સેતુરૂપ બની રહેવાની આગવી સુઝથી અનેક વિકાસ કામો કન્ટીન્યુ કરાવી શકવા આવી અનેક બાબતો ખૂબ જરૂરી હોય છે.
ઉપરથી જાહેર સેવાના સ્થળે બેસીને નિસ્વાર્થ રીતે આગળ વધવુ પડે તે તમામ બાબતો સુભાષ જોશી ધરાવે છે માટે તેઓ સફળ છે અને આ ગુણોથી મોટાભાગના તેમની આંતરીક સુઝથી છે બાકી તેઓની નિરીક્ષણ શક્તિ ચિંતન મનન ખુબ છે, તેનાથી ગુણો ડેવલપ કર્યા છે તેમ પણ વિશ્ર્લેષકો એ ઉમેર્યુ છે જેથી નગરે ખરેખર વિકાસની દિશામા હરણફાળ ભરી હોવાનુ નગરમા જોવા મળે છે,
નગરજનોએ પણ અનેક અભિપ્રાય આપ્યા છે કે ચેરમેન થતા જ સ્વચ્છતા અભિયાન માટે સફાઇ કામદારો અને તે વિભાગને પ્રોત્સાહિત કરી રૂટીન સફાઇ કામગીરી તો થાય સાથે સાથે મહાનુભાવોની પ્રતિમા સમયાંતરે સફાઇ કરાવાનો પ્રારંભ કરાવ્યો જે પ્રથમ વખત નિયમિત રીતે થતુ આવ્યુ છે, જે માત્ર સફાઇ જ નથી તેની પાછળ આપણા મહાનુભાવો આપણો વારસો આપણી સંસ્કૃતિને માન આપવાની બાબત છે.
તો વળી નિવૃત થનાર દરેકને સન્માનવાના તેમજ સિનિયરોનુ માન જાળવવુ પક્ષની ગરિમા પણ જાળવી રાખવી સંગઠન અને સરકાર સાથે સુમેળ રાખવો નબળા વર્ગ પ્રત્યે સહાનુભૂતિ દાખવવી સમસ્યાઓ પ્રત્યે જાગૃતિ રાખીને વિકાસનો જ ધ્યેય રાખવો પારદર્શી વહીવટ સૌને સાથે લઇ ચાલવાની નેમ વગેરે બાબતોનો સરવાળો કરીએ તો કોર્પોરેશન માટે હાલ જમા પાસુ એ રહ્યુ છે કે ચેરમેન સુભાષ જોશીના ગાળામા ઐતિહાસીક સંખ્યામા અને રકમોના કામો મંજુર થયા અને ફાસ્ટ કામગીરી એ નગરને સુવિધાસભર બનાવાની દિશામા વધુ પ્રગતી કરાવી તેમ અનેક આગેવાનોએ જણાવ્યુ છે.
-દરેક કામોના જાત નિરીક્ષણ કરવાનો અભિગમ જેથી પ્રજાના નાણાના સદઉપયોગ સાથે ઝડપી અને ક્વોલીટી કામ થાય
વળી એસી ચેમ્બરમા બેસી કે સંકલનમા બેસી ચર્ચાઓ કરી કામો મંજુર કર્યા એટલુ જ નહી દરેક પ્રજાલક્ષી સુવિધાના કામ વિકાસ કાર્યોની જાતદેખરેખ કરવાની પહેલેથી જ ચીવટ રાખી તે વિશેષતાની પણ જોનારા સૌ પ્રશંસા કરે છે, વળી કામો જોતી વખતે મટીરીયલ ક્વોલીટી ફંક્શન વગેરે પાસા પણ નિરીક્ષણ કરી જરૂર લાગે તો સુચનાઓ પણ આપે છે, તેમજ લગત અધીકારીઓ પદાધીકારીઓ સાથે જ કામોના હંમેશા જાત નિરીક્ષણ કરે છે. મતલબ કામ મંજુરીથી પુરા કરવા સુધીની ચીવટ નાગરીકોના હિતમા તેઓ રાખે છે. તે વિશેષ નોંધ લેવા જેવી બાબત છે તેમ કોર્પોરેશન વર્તુળો પણ કહે છે જેથી પ્રજાના નાણાનો સદઉપયોગ થાય અને કામો ગુણવતા વાળા ને ઝડપી થાય છે તેમ વર્તુળો ઉમેરે છે.
બોક્સ
-વિકાસ યાત્રા વણથંભી રહેવી જોઇએ ….હજુય ઘણુ કરવાની જરૂર છે:સુભાષ જોશી
મને પ્રજાજનોને તેમનો સેવક એટલે નગર સેવક બનાવ્યો તો પાર્ટી સંગઠન મોવડી મંડળે મને યોગ્ય ગણી સ્ટેન્ડીંગ કમીટી ચેરમેનની વિશ્ર્વાસ સાથે જવાબદારી સોંપી તો મારી ફરજ બને છે કે પદને ન્યાય આપવો તે માટે મારો મુળમંત્ર છે વિકાસ યાત્રા અવિરત રહેવી જોઇએ નગરજનોની સુવિધા માટે નાના કામથી માંડી મોટા કામ દરેકને સરખુ મહત્વ છે, તેમ જણાવી સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન સુભાષ જોશીએ my samachar સાથેની વાતચીતમાં જણાવ્યું કે હજુ નગર માટે ઘણુ કરવાનુ છે જે થઇ શક્યુ છે….
તેમા મનપાના તમામ પદાધીકારીઓ, અધિકારીઓ, કર્મચારીઓ મારા સાથી કમીટી મેમ્બરોનો સાથ સંગઠનના હોદેદારોનુ સઘન માર્ગદર્શન કમીશનર સહિત વહીવટી પાખની દરેક બ્રાંચના સહયોગ અને નાગરીકોની રજુઆતો નિર્દેશો એ તમામ બાબતોને કારણે મને નોંધપાત્ર સંખ્યામાં કામો મંજુર કરવાની તક મળી છે, તે મારૂ સદભાગ્ય ગણુ છુ જોકે નગરના વિકાસ માટે હજુ ઘણુ કામ આગળ થતુ જ રહેશે અને છેલ્લા બે દાયકાથી થાય જ છે.. પરંતુ મને વિશેષ કામો કરાવાની તક મળી તેનો સંતોષ રાખવાની સાથે હજુ કઇ અગત્યનુ શુ કરવાનુ છે, લોકોની શુ મુશ્કેલી છે, ક્યા કામ અગ્રતાના છે અને કામની ગુણવતા સમયમર્યાદા સહિત અનેક મુદાઓ અંગે પણ કાળજી રાખવાની મને ટેવ છે,
છતાય દર વખતે કામોનો અભ્યાસ કરી તેની ઉપયોગીતા મહત્વ ધ્યાને લઇ દર વખતે મંજુર કરવાની સાથે સારૂ કામ પ્રજાના નાણાનો સંપુર્ણ સદઉપયોગ સાથે કીફાયતી રીતે પણ ટકાઉ થાય તેની કાળજી લીધી છે છતાય હુ મારા સાથી સિનિયરો હોદેદારો અધીકારીઓ નગરના આગેવાનો સંસ્થાઓ સરકારના પ્રતિનિધીઓ મંત્રીઓ સાંસદ વડીલો સૌનુ માર્ગદર્શન લેતો રહુ છુ, જેમના અમુલ્ય દિશાનિર્દેશે મને સફળ બનાવ્યો હોય સૌ યશભાગી છે સૌ મને સહયોગ આપે છે. તેમ પણ વિવેકપુર્ણ રીતે સુભાષભાઇ એ જણાવ્યુ હતુ અને સૌથી વધુ કામો તમારા ટેન્યોરમા થયા છે તેમ પુછતા ઉમેર્યુ કે એ તો મારી સંકલિત રહી નાગરીકોની સેવાના ભાગ રૂપેની ફરજ છે.