Mysamachar.in:જામનગર
સરકારી કામોમાં લોલમલોલ કેટલીય વખત સામે આવતી હોય છે, એવામાં જામનગર જીલ્લા પંચાયતના બાંધકામ વિભાગ હેઠળ લાલપુર ગામે શેરીઓમાં ચાલતા સીસીરોડના કામમાં વેઠ ઉતરી હોવાના આક્ષેપ થઇ રહ્યા છે અને આ આક્ષેપોવાળી એક બે નહિ પણ છેલ્લા અઠવાડિયામાં 4 થી વધુ ફરિયાદ મળી હોવાનું ખુદ નાયબ ઈજનેર જયવીરસિંહ ચુડાસમા પણ જણાવે છે જામનગર જીલ્લાના, લાલપુર તાલુકાના લાલપુર ગામે જીલ્લા પંચાયત ધ્વારા લાલપુરમાં એજન્સી ધ્વારા ચાલતા સી. સી. રોડમા જે તે અધિકારીઓની કથિત મિલીભગતથી સી.સી.રોડના કામોમાં ભ્રષ્ટાચાર ખુલ્લે આમ થઈ રહયો હોવાનો આક્ષેપ જામનગર જીલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના સભ્ય હીરજીભાઈ ચાવડા એ મુખ્યમંત્રીથી માંડીને તમામને કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે,
હાલ જે સી. સી. રોડ એજન્સી ધ્વારા ચાલુ છે અને તે અંદાજે 80% થી વધુ કામો પુર્ણ કરવામાં આવેલ છે. તે સી.સી. રોડ ટૂંકાગાળામાં જ અલગ અલગ શેરીઓમાં ખુલી જતા કામમાં વેઠ ઉતર્યો હોય તેમ લાગે છે, વધુમાં આ જે કરોડોના ખર્ચે રસ્તાઓનું કામ ચાલુ છે તેમાં જીલ્લા પંચાયતના કોઈ અધિકારીની દેખરેખ નથી અને કામો રામ ભરોષે ચાલતું હોય સી. સી. રોડની ગુણવતા નબળી છે અને જે એસ્ટીમેન્ટમાં જે રોડની જાડાઈ નિયમ મુજબ નથી
આમ લાલપુરમાં જે સી.સી. રોડ જે ચાલુ છે અને સંપૂર્ણ બનાવેલ છે તે અલગ અલગ વિસ્તારમાં જાડાઈ છે તેની તપાસ કરી જવાબદારો સામે તપાસ કરવા માંગ કરવામાં આવી છે.વધુમાં જાણવા મળતી વિગતો મુજબ રૂરબંધ યોજના હેઠળ અઢી કરોડથી વધુનું અલગ અલગ શેરીઓનું સીસી રોડનું ખુબ મહત્વનું કામ મૂળ મોરબીની પાર્ટીને બદલે પેટામાં કોઈ લાલપુરના સ્થાનિક દ્વારા કરવામાં આવી રહ્યાનું પણ જાણવા મળે છે.