Mysamachar.in-જામનગર
જામનગર જિલ્લામાં વધી રહેલા કોરોના વાયરસના કહેરને ધ્યાને લઇ જામનગર જિલ્લા જેલ ખાતે તા.14/08/2020 થી તા.21/08/2020 સુધી કોરોના રેપીડ એન્ટી-બોડી ટેસ્ટનું આયોજન કરવામાં આવેલ હતુ. જેમાં જામનગર જિલ્લા જેલના કાચા કામના 323 આરોપી, 27 પાકા કેદી તથા 07 પાસા અટકાયતી એમ કુલ 357 કેદીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવેલ હતા. જેમાં તમામ કેદીઓના ટેસ્ટ નેગેટીવ આવેલ હતા. કેમ્પમાં જામનગર મહાનગરપાલીકાના આરોગ્ય વિભાગના સ્ટાફ,જામનગર જિલ્લા જેલના ઇ.ચા.અધિક્ષક પી.એચ.જાડેજા, જેલર જે.આર.સીસોદીયા,ફિઝીશ્યન શ્રી ડો.સી.એસ.ડાંગેરા, ડો.જે.એ.જાડેજા, ડો.એમ.આઇ.સમા તથા જેલ સ્ટાફે જરૂરી બેઠક વ્યવસ્થા, સલામતી વ્યવસ્થા કરી જહેમત ઉઠાવી હતી.