Mysamachar.in:ગુજરાત
સુપ્રિમ કોર્ટે એક કેસમાં જણાવ્યું છે કે, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ કાયદા હેઠળ કોઈ વ્યક્તિ પર કેસ ચલાવતાં પહેલાં ફરિયાદી વિષે જાહેરમાં બોલાયેલી વાતચીતનો ઉલ્લેખ ચાર્જશીટમાં સામેલ કરવો જરૂરી છે. સુપ્રિમ કોર્ટે આ સાથે એમ પણ જણાવ્યું કે, આમ કરવું એટલાં માટે જરૂરી છે કે તેનાં પરથી કોર્ટ જાણી શકે કે, SC_ST એકટ હેઠળ આ કેસમાં ગુનો બને છે કે કેમ ? આ કેસમાં એક વ્યક્તિ વિરૂદ્ધ કથિત ગુના માટે ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યું હતું. અદાલતે આ કેસ જો કે ફગાવી દીધો હતો.
કોર્ટે નોંધ્યું હતું કે, ચાર્જશીટમાં મૌખિક વિવાદ વખતે, અપીલ કરનારના નિવેદનો અથવા ફરિયાદ કરનારની જાતિ વિષે કોઈ સંદર્ભ અપાયો ન હતો. બેન્ચે જણાવ્યું હતું કે, આરોપી પર SC_ST એકટની કલમ 3(1)(x) હેઠળ કથિત ગુના માટે કેસ ચલાવતાં પહેલાં તેનાં દ્વારા જાહેરમાં કોઈ પણ સ્થાન પર કરાયેલા નિવેદનોનો ચાર્જશીટમાં ઉલ્લેખ જરૂરી છે.