Mysamachar.in-જામનગર
હાલ કોરોના કાળમા ખાનગી કોરોના હોસ્પીટલો ઘણી બનતી હોય છે, ત્યારે સરકારી હોસ્પીટલો પહોચી ન શકે તેમજ અમુક દર્દીઓનો પણ આગ્રહ હોય કે પ્રાઈવેટ હોસ્પીટલમા સારવાર લેવી માટે આવી ખાનગી હોસ્પીટલ પુરક બનતી હોય છે. ત્યારે ખુદ IMA-ઇન્ડીયન મેડીકલ એસોસીએશનએ તેમના મેમ્બર એવા ડોક્ટરો માટે કોવિડ હોસ્પીટલ કેવી હોવી જોઇએ તેની ગાઇડલાઇન સજેસ્ટ કરી છે, અમુક અધીરા એવા ગોફણીયા ફેંકતા હોય છે કે જેમ તેમ પાર્ટીશન કરી બે ચાર વેન્ટીલેટર ગોઠવી થોડા ઓક્સીજન સીલીન્ડર કે કોઇ વળી ઓક્સીજન લાઇન ગોઠવી સાકડ મોકળ જગ્યામા પણ જેમ તેમ ખાનગી કોવિડ હોસ્પિટલ બનાવી નોર્મ્સ ની એસીતેસી કરી તગડી કમાણી કરે છે, ને બહુ સિરિયસ થઇ જાય તે પેશન્ટસને સરકારી દવાખાને ધકેલી દે છે વગેરે-વગેરે પરંતુ ખરેખર એવુ નથી ડોક્ટરો હિપોક્રેટસ ઓથ લે છે,
તેઓ દર્દીને સંપુર્ણ સાજા કરવા તનમન સાધનસુવિધા થી અને રાત દિવસ એક કરી પોતાનુ જમવાનુને સુવાનુ પણ છોડી જહેમત ઉઠાવતા હોય છે તેમનો ટાર્ગેટ માત્ર રૂપિયા કમાવાનો જ છે અને દર્દીને ગમે તે થાય પોતાનુ સાજુ કરે છે એવા આક્ષેપ તબીબો જેવા ઉમદા વ્યવસાયીઓ માટે કરવા યોગ્ય નથી માટે આવા ટીકાત્મક ગોફણીયા ફેંકવા યોગ્ય નથી અને હા કોઇ બે પાંચ ડોક્ટરોની બેદરકારીથી કેસો ક્યારેક બગડ્યા હોય તેનો મતલબ એ પણ નથી કે દરેક ડોક્ટર બેદરકાર છે કેમકે મેડીકલ પ્રોફેશન તો એક્યુરસીનો પ્રોફેશન છે,
હવે સૌ જાણે છે તેમ ફાયર સેફટી- ડીઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન તેમજ હોસ્પીટલ બીલ્ડીંગમા પુરતા વેન્ટીલેશન અલગ અલગ એન્ટ્રી અને એક્ઝીટ પેશન્ટ માટે પ્રોપર લીફ્ટ તેમજ હોસ્પીટલ કે દવાખાનામાં દરેક સ્ટાફ ક્વોલીફાઇડ હોવા વગેરે ઉપરાંત પણ ઘણી બાબતો જે સારવાર અને દર્દી સંભાળ માટે જરૂરી છે તેનો કોવિડ પ્રોટોકોલ આઇએમએ જાહેર કર્યો છે જે દરેક ડોક્ટરોએ ફોલો કરવાનો છે,
આ માટેના નિયમો જોઇએ તો હોસ્પિટલો, રિસેપ્શનનો પ્રાથમિક ડેસ્ક એટલેકે સ્વાગત વિસ્તારોમાં કામ કરતા લોકો અને આવતા દર્દી તેમજ સ્વજનો દરેક સુરક્ષિત રહે તેવુ ઇન્ફેક્શન ફ્રી વાતાવરણ રાખો તેમજ દરેકએ માસ્ક પહેરવા ફરજીયાત કરો ચેપ નિયંત્રણ, નિવારણ & પૂછપરછની યુકિતઓ માટે રિસેપ્શનમા ટ્રેઇન્ડ સ્ટાફ રાખો તેમજ દર્દીને છેલ્લા 14 દિવસની અંદર આંતરરાષ્ટ્રીય મુસાફરી રાષ્ટ્રીય મોટી મુસાફરી સતત સમુદાય ટ્રાન્સમિશનવાળા વિસ્તારો કે ગામોમા ગયેલા કે કેમ વગેરે પુછો તેમજ શ્વસન ચેપના ચિન્હો અથવા લક્ષણો, જેમ કે તાવ, ઉધરસ અને ગળામાં દુખાવો છે કે કેમ….
છેલ્લા 14 દિવસમાં, કોઈ ચેપીની સાથે છે અથવા COVID-19 ની કોઇ તપાસ કરાવી રહ્યા છે કે કેમ વળી પરિવારમાંથી કે દર્દીના કામના સ્થળે કોઇ ચેપી છે કે કેમ તે પણ જાણવુ જોઇએ અથવા આ દરેક સ્થળેથી કોઇ શ્વસન બિમારી વાળુ છે કે કેમ તે સંપુર્ણ તપાસ પુછપરછથી કરવા જણાવાયુ છે, ઉપરાંત એક વ્યક્તિ ઓપીડીના દરેક દર્દી સાથે મંજૂરી આપવી જોઈએ પરંતુ કોઈપણ મુલાકાતી કે જેને ઉધરસ આવે છે અથવા બીમારીના અન્ય ચિહ્નો બતાવે છે, તેને દર્દીઓનો સાથ છોડી દેવાનું કહી અલગથી સારવાર કરવી દર્દીઓને અંતર રાખવા, હાથની સ્વચ્છતા એન્ડ પર્સનલ પ્રોટેક્ટિવ તેમના રક્ષણ માટે પગલાં વિશે શીખવવા એટેન્ડન્ટ્સ અલગથી રાખવા તેમજ દરદીને વાહન વ્યવહાર સુરક્ષીત કરવા જણાવવુ સાથે સાથે હોસ્પીટલો પણ એબ્યુલન્સમાં ચેપ નિયંત્રણ માટેના કડક નિયમ પાળવાના હોય છે.
સાથે-સાથે દર્દીનું કીન્ફેક્શન એટેન્ડર્સ કે બીજા કોઇ સ્ટાફને કે ખુદ ડોક્ટરને ન લાગે તેમ પૂરતી રીતે સૌએ પોતાને બચાવના કીટ પહેરવા જોઇએ તેમજ એબ્યુલન્સના સાધનો, સ્ટ્રેચર્સ, ખુરશીઓ, બેઠકો વગેરેને જંતુનાશક પદાર્થથી વારંવાર સાફ કરવું જોઈએ.અને અનુનાસિક ઓક્સિજન પ્રોબ્સનો બીજી બાયો વેસ્ટનો યોગ્ય રીતે નિકાલ કરવો જોઇએ તેમાય નિકાલજોગ સાધન એટેચમેન્ટ પ્રીક વગેરે ફરીથી ઉપયોગ ન કરવો જોઇએ એકંદર હોસ્પિટલના કર્મચારીઓએ હોસ્પિટલના તમામ વિસ્તારોમાં કડક ચેપ નિયંત્રણ પ્રોટોકોલનું પાલન કરવું જોઈએ અનેદરેક સાધનો શક્યતા માર્ગદર્શિકા મુજબ અન્ય દર્દીઓ પુનઃઉપયોગ પહેલાં યોગ્ય સફાઈ સેનીટેશન પ્રક્રિયામાંથી પસાર કરી દૂષિત ફ્રી કરવા જોઇએ.
-દરેક બેડ વચ્ચે પુરતુ અંતર રાખો
હોસ્પિટલ પથારી વચ્ચે અંતર પર્યાપ્ત હોવું જોઈએ. જો એવુ ન હોય તો IMA એ અપીલ કરી છે કે કૃપા કરીને તાત્કાલિક અસરથી ધોરણોનું પાલન કરો (જુદા જુદા શહેરોના આઇએમએ ના અમુક અમુક બની બેઠેલા હોદેદારોની હોસ્પીટલ કે દવાખાનાઓમા પણ સલામતી અને ચેપમુક્તિના તેમજ સ્વચ્છતાના નિયમોના પાલન પુરતા નથી હોતા તેવા પણ અમુક લોકો આક્ષેપ કરે છે પરંતુ ખરેખર એવુ નથી આઇએમએના હોદેદારો સૌથી પહેલા નિયમો પાળે છે તેના ઉપરથી જ બીજા તબીબો પ્રેરણા લેતા હોય છે માટે આક્ષેપ યોગ્ય નથી જ)
-દર્દીની મુલાકાત રીસ્ટ્રીક્ટ કરો
માત્ર કોરોના કે શરીરમા બીજા ચેપ કે ખામી કે રોગથી સર્જાતી કોવિડ સ્થિતિના દર્દીઓનો ચેપ બીજાને લાગી શકે છે. માટે હોસ્પિટલોએ ખુબ ગંભીર જેવી પરિસ્થિતિ જેવી ચોક્કસ પરિસ્થિતિ સિવાય બિન-આવશ્યક મુલાકાતીઓને દર્દીઓને મળવા ન દેવા જોઇએ અને રૂટીન કોર્ષમાં મુલાકાત પર પ્રતિબંધ મૂકવો જોઈએ. હોસ્પિટલો દર્દીઓના સંબંધીઓ અને પરિચિતો માટે જો ચેપ ફેલાય તેમ ન હોય તો જ મુલાકાતનાં કલાકો નક્કી કરવાના છે.