Mysamachar.in-જામનગર
DAP ખાતરના ભાવોમાં વધારાને લઈને ધીરે ધીરે ઉઠી રહેલા વિરોધના વંટોળને ડામી દેવા ગઈકાલે કેન્દ્રીય કૃષિમંત્રીએ ખેડૂતો માટે રાહતના સમાચાર આપતા નિર્ણય જાહેર કર્યો કે ખેડૂતોને DAP ખાતર હવે 2400 ના બદલે 1200 માં જ મળશે આ મામલે જામનગર જીલ્લા ભાજપ તો કિશાન કોંગ્રેસ ચેરમેન પાલ આંબલીયાની પ્રતિક્રિયા સામે આવી છે,
કિશાન કોંગ્રેસ સમિતિના ચેરમેન પાલ આંબલીયાએ પ્રીતીક્રીયા આપી છે તેમાં જણાવ્યું છે કે આ આખી રમત જ અલગ છે ખાતર કંપનીઓ ભાવ વધારો ઝીંકી દયે પછી ખેડૂતો વિરોધ કરે એ સ્વાભાવિક છે એટલે સરકાર અને મંત્રીઓ હરકતમાં આવે પાછલા બારણેથી સેટિંગ થાય અને ભાજપા માટે સરકારી તિજોરીમાંથી ચૂંટણી ફંડ ઉભું થાય એટલે જ ઇતિહાસમાં ક્યારેય ન થયું હોય એ “”મોદી હૈ તો મુમકીન હૈ”” કહેવત યથાર્થ થતી હોય તેમ ખાતર કંપનીઓને અપાતી સબસીડીમાં 140% નો વધારો એટલે કે જે એક થેલીએ 500 રૂપિયા આપતા હતા તે વધારીને 1200 કરી દેવાયા આ બાબતથી અભણ ખેડૂત સ્વાભાવિક છે કે ખુશ થાય કેમ કે જુના ભાવે ખાતર મળશે બધા ખેડૂતો અર્થશાસ્ત્રી તો છે નહીં કે એને ખબર પડે કે આ 700 રૂપિયા એક થેલીએ વધારાના આપવાના છે એ પણ એના જ ગજવામાંથી જવાના છે આ સરકારમાં બેઠેલા કોઈના કરિયાવરના રૂપિયા નથી જનતાની તિજોરી પર જ ભારણ પડવાનું છે.
આખી રમત ખેડૂતોના ખંભા પર બંધુક રાખી રમવામાં આવી, ખાતર કંપનીઓને અપાતી સબસિડીમાં તબક્કાવાર વધારો કરી 70 વર્ષમાં એક થેલીએ માત્ર 500 રૂપિયા સુધી જે સબસીડી અપાતી હતી એ મોદી સરકારે એક જ જાટકે તેમાં રૂપિયા 700 નો વધારો કરી 1200 રૂપિયા કરી આપી મતલબ સાફ છે કે આટલો વધારો કરવા પાછળ સરકારની મેલી મુરાદ છે.
તો આજે જામનગર જીલ્લા ભાજપ દ્વારા જે અખબારી યાદી જાહેર કરવામાં આવી તેમાં જણાવવામાં આવ્યું છે કે હંમેશા ખેડૂતોની પડખે રહેતી મોદી સરકાર રાજયમાં 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાના નિર્ધાર સાથે ગુજરાતના નરેન્દ્ર મોદીની સરકાર એક પછી એક મકકમ પગલાઓ ભરી રહેલ છે. હાલના સમયમાં મટીરીયલ, વાહન વ્યવહાર સહિત અન્ય ચીજવસ્તુઓના ભાવવધારાને કારણે ખાતરની કંપનીઓએ ભાવ વધારો કરેલ. આ અનુસંધાને ખેડૂતોને આ ભાવવધારો સહન કરવો ન પડે તે માટે યોગ્ય નિર્ણય કરવા માટે રાજયના આગેવાનોએ કેન્દ્ર સરકારમાં રજૂઆત કરેલ. કેન્દ્ર સરકારે સમયસુચકતા વાપરી દેશના ખેડૂતોને કોઈપણ પ્રકારે ભાવવધારાનો સામનો કરવો ન પડે માટે તત્કાલ નિર્ણય લઈ.
DAP ખાતરની સબસીડીમાં સીધો જ 140% જેટલો વધારો કરેલ છે જેના પરિણામે ખેડૂતોને એક ખાતરની બેગ ભાવ વધારાના કારણે રૂા .2400/- માં મળતી જે હવે માત્ર રૂા .1200/- માં મળી શકશે. આ અગાઉ કેન્દ્ર સરકાર દ્વારા રૂા .500/- ની સબસીડી મળતી તે વધારીને સીધી જ રૂા .1200/- કરવામાં આવેલ છે. રાજય સરકારના નેતૃત્વ દ્વારા યોગ્ય સમયે રજૂઆત કરતાં કેન્દ્ર સરકારે તત્કાલ ને સબસીડી જાહેર કરેલ છે તે બદલ જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા સહિતના જીલ્લાના આગેવાનોએ કેન્દ્ર સરકારને આભાર સાથે અભિનંદન પાઠવ્યા છે.