Mysamachar.in-જામનગર
કોરોનાએ લોકોના મનમાં ભય ઉભો કરી દીધો છે, પરંતુ જો સ્વસ્થ મને સજાગ રહીને સમયસર કોરોનાનો સામનો કરવામાં આવે તો 100 વર્ષની ઉમરના લોકો પણ કોરોનાને મહાત આપી અને ઘરે પરત ફરે છે, પણ જામનગર તાલુકાના ચાપાબેરાજા ગામે એક દુખદ ઘટના સામે આવી છે, જેમાં એક 75 વર્ષીય વૃદ્ધે કોરોનાની બીકે ઝેરી દવા પી જિંદગી ટુકાવી લીધાનું પોલીસમાં જાહેર થયું છે. પંચકોશી બી ડીવીઝન પોલીસ પાસેથી મળતી વિગતો પ્રમાણે જામનગર તાલુકાના ચાપાબેરાજા ગામે વસવાટ કરતા અને નિવૃત જીવન જીવી રહેલા 75 વર્ષીય ભીખુભા જાડેજાને છેલ્લા કેટલાક સમયથી મનમાં કોરોનાની બીમારીનો ડર પેઠી ગયો હતો અને તેવો પોતાના પરિવારના સભ્યો તેમજ ગામના લોકો સાથે વાતચીત થતી ત્યારે કહેતા હતા કે કોરોના આવે તે પહેલા મરી જવું છે, એવામાં કોરોનાના ભયને કારણે તેવોએ ગત 12 તારીખના રોજ ઝેરી દવા પી લેતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજયાનું જાહેર થયું છે.