Mysamachar.in-જામનગર:
જોયા જાણ્યા વગર જો લાલચમાં આવી જાય તો તેનું ગંભીર પરિણામ ભોગવવાનો વારો આવે છે, જામનગરમાં પણ આવી જ એક ઘટના સામે આવી છે, જેમાં એક કિલો સોનાનો ચેઈન મફતના ભાવે લેવાની લાલચમાં વેપારીએ 4 લાખ ગુમાવી અને પોલીસ ફરિયાદ કરવાની નોબત આવી છે, બી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદ મુજબ…
જામનગરના નિયો સ્ક્વેર કોમ્પ્લેક્ષમાં જોધપુર રજવાડું નામની દુકાન ચલાવતા દેવીસીંગ હેમતસિંગ ભાટી નામના વેપારીએ પંકજરામ મોટારામ, રમેશરામ મોટારામ ને એક અજાણી સ્ર્ત્રી વિરુદ્ધ જે ફરિયાદ નોંધાવી છે તેમાં બન્ને શખ્સો ફરિયાદીની દુકાન પર આવ્યા હતા અને તેની પાસે જુનાગઢમાં મિસ્ત્રી કામ કરતા સમયે દીવાલમાં દાટેલો એક કિલો સોનાનો ચેન વેચાણ કરવાનો હોવાની વાત કરી વેપારી તેમજ તેના ભાઈને વિશ્વાસમાં લઇ સોનાનો નકલી ચેન 4 લાખ વેપારી પાસેથી લઇ અને પધરાવી દીધો હતો, વેપારીને ચેન આપ્યા બાદ વેપારીએ આરોપીને દુકાને બેસવા જણાવી અને પોતે ચાંદીબજાર ખાતે ચેનનું વજન સહિતની ખરાઈ કરાવવા જતા ચેન તો નકલી હોવાનું સામે આવતા તે તાબડતોબ દુકાને પહોચ્યા હતા પરંતુ મહિલા સહિતના ત્રણેય શખ્સો નાશી જતા વેપારીએ આ મામલે છેતરપીંડી અને વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધાવી છે.