Mysmachar.in:જામનગર
જામનગર નજીક આવેલ લહેર તળાવમાંથી ગતરોજ એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો જે બાદ પોલીસે આ અંગે વિશેષ તપાસ હાથ ધરી હતી, આ અંગે આજે પંચકોશી બી ડીવીઝન પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ ગોરધનપર ગામે ગ્રીનવિલામાં રહેતા તખતસિંહ જાડેજાએ જાહેર કર્યું છે કે મરણજનાર તેની પત્ની સોનલબા જાડેજાને અન્ય પુરુષ સાથે પ્રેમસબંધ હોય અને મોબાઈલ પર વાતચીત કરતા હોય જે બાબતે પતિ તખતસિંહે સોનલબાને ઠપકો આપતા તેણીને મનમાં લાગી આવતા લહેરતળાવમાં ઝંપલાવી આપઘાત કર્યાની આગળની તપાસ ડી.જી.ઝાલા ચલાવે છે.