ભારતીય જનતા પાર્ટીની ઐતિહાસિક જીત... યોજાયું વિજય સંમેલન

ચાંદી બજારના ચોકમાં ભવ્ય સંમેલન યોજાયું, કોણે શું કહ્યું વાંચો 

ભારતીય જનતા પાર્ટીની ઐતિહાસિક જીત... યોજાયું વિજય સંમેલન
તસ્વીર:અમરીશ ચાંદ્રા

Mysamachar.in-જામનગર

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ઐતિહાસિક જીત પ્રાપ્ત કરેલ. જામનગર 78-વિધાનસભાના રિવાબા જાડેજા તથા દિવ્યેશ અકબરીને ભૂતકાળમાં ન મળી હોય તેવી લીડ પ્રાપ્ત થઈ. કાર્યકર્તાઓની મહેનત અને જનતા જનાર્દનના અટલ વિશ્વાસનું પરિણામ બની આ ઐતિહાસિક જીત મળી છે, જામનગરના હ્રદય સમાન ચાંદી બજારમાં વિજય સભા ઋણ સ્વીકાર સંમેલનનું આયોજન કરવામાં આવેલ  સભામાં ભાજપ જામનગર શહેર પૂર્વ પ્રમુખ હિતેનભાઈ ભટ્ટ દ્વારા ઉદ્બોધન માં જણાવવામાં આવ્યું કે, આજે ભારત માતા કી જય બોલાવવાની જરૂર નથી, ગુજરાતની જનતાએ આજે ભારત માતા કી જય બોલાવી ગુજરાતમાં કમળ ખીલાવ્યું છે. તેઓએ બન્ને સીટની ઐતિહાસિક જીત માટે ભાજપ શહેર અધ્યક્ષ ડોવિમલભાઈ કગથરાને અભિનંદન પાઠવ્યા. વિશેષથી કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ જામનગરની સભા કરી ભારતીય જનતા પાર્ટીની લહેર ઊભી કરી. અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહએ (કોંગ્રેસ આપ) બધું જ સાફ કરી દીધું.

વિશ્વની નઝર ગુજરાતની ચુટણી ઉપર હતી, અમુક વિપક્ષી દ્વારા ક્યાંક સોશિયલ મીડિયા, તો ક્યારેક યું ટ્યુબ ચેનલ દ્વારા નામ ખેરડાવવા પ્રયાસ કર્યા, પણ સફળ ન થયા. ભારતીય જનતા પાર્ટીની અકલ્પનીય લ્હેર ચાલી. ગુજરાતની પ્રજા એવી નથી કે મફતની રેવડી કે 300 યુનિટ માટે વેચાય જાય. આપણે એવા લોકો છીએ, જે કદાચ આપા ગીગાના ઓટલે જમવા જઈએ, તો ત્યાં પણ નિશુલ્ક ભોજન નથી કરતા. કઈક ને કઈક દાન લખવિયે છીએ, એવા ગુજરાતીને વેચાતા લેવા આવનારના સૂપડા સાફ કરી દીધા. ભારતીય જનતા પાર્ટીની ઐતિહાસિક જીત કાર્યકર્તાની મહેનત નું પરિણામ છે.

પૂર્વ પ્રમુખ અશોકભાઈ નંદાએ જણાવેલ કે, જામનગરની જનતાએ બન્ને સીટ ઉપર જે લીડ પ્રદાન કરી છે, તેનાથી એક અનેરા ઉત્સાહનો સંચાર થયો છે. તેઓએ જણાવેલ કે, કાર્યકર્તા જ છે જે કમળને ઘર ઘર સુધી પહોંચાડી રહ્યો છે, અટલ જીનો એક પ્રસંગ ટાંકતા તેઓએ જણાવેલ કે, એક સમયે જ્યારે ભાજપના બે ઉમેદવાર સાંસદ સુધી પહોંચેલ ત્યારે અટલજી કહ્યું હતું કે એક દિવસ ભારતીય જનતા પાર્ટીની સરકાર અહી બેસસે, ત્યારે કોઈએ તેમની મજાક ઉડાવે અને પૂછેલ કે ક્યાં આધારે કહો છો ?, ત્યારે અટલજી એ કહ્યું હતું કે, દેશ ભરમાં અમારા કાર્યકર્તાઓ અમારી વાતને ઘર ઘર સુધી પહોંચાડી રહ્યા છે.

કર્મઠ કાર્યકર્તાઓ જ ભારતમાં ભારતીય જનતા પાર્ટીની સરકારનું ગઠન કરશે, અને આજે ઐતિહાસિક જીત પણ કાર્યકર્તાને કારણે થઈ છે. ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં કોંગ્રેસના 149 સીટની ચેલેજને 156 સીટ મેળવી તોડેલ છે. વિશેષથી ભારતીય જનતા પાર્ટીના યુવા શહેર અધ્યક્ષ ડો વિમલભાઈ કગથરાની કામગીરીને બિરદાવેલ. 

ભારતીય જનતા પાર્ટી શહેર અધ્યક્ષ ડો વિમલભાઈ કગથરાએ જણાવેલ કે,  વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીથી લઇ પેઇજ સમિતિના સભ્યો સુધીના કાર્યકર્તાઓની મહેનતનું પરિણામ છે, આ ઐતિહાસિક જીત. તેઓએ વિશેષથી જણાવેલ કે, જામનગરના ઇતિહાસમાં ત્રણ ઘટના બની, ગુજરાતમાં ક્યારેય ન મળી હોય એટલી ૧૫૬ સીટ મળી,  ૭ મી વખત ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં સત્તા સંભાળશે, જામનગરના ઇતિહાસ માં ક્યારેય ન મળી હોય એટલી લીડ બન્ને ઉમેદવારોને મળી છે. તેઓએ વિશેષથી જણાવેલ કે, 56 ની છાતી હોય એ જ 156 સીટ લાવી શકે, અને કાર્યકર્તાઓએ આ સાબિત કરી આપ્યું. પૂર્વ પ્રમુખોનું સતત માર્ગદર્શન મળતું રહ્યું, અને તેઓના સાથ સહકારથી આ શક્ય બન્યું. જામનગરની જનતાનો આભાર માનતા, ઋણ સ્વીકારતા તેઓએ જણાવેલ કે, ભારતીય જનતા પાર્ટી પરિવાર જામનગરની જનતા સાથે છે.

ભાજપ અગ્રણી જીતુભાઈ લાલએ જણાવેલ કે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ હમેશા પક્ષ દ્વારા જે ઉમેદવારને જાહેર કરવામાં આવે, તેને પોતાના ખંભે બેસાડી જીતાડવા તનતોડ મહેનત કરેલ છે. અને આજની ઐતિહાસિક જીત પણ કાર્યકર્તાઓ ને આભારી જ છે. પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકીએ જણાવેલ કે, કાર્યકર્તાઓની મહેનતથી અને જામનગરની જનતાના વિશ્વાસથી જામનગરમાં બે કમળ ખીલ્યા છે, જેને આપણે આવતીકાલે ગાંધીનગર મોકલશું.પૂર્વ અધ્યક્ષ હસમુખભાઈ હિંડોચા એ જણાવેલ કે, જનતા જનાર્દન એ જે જનાદેશ આપ્યો છે, તે જશના ભાગીદાર શહેર અધ્યક્ષ ડો વિમલભાઈ કગથરા, સાંસદ પૂનમબેન માડમ અને કાર્યકર્તાઓ છે. કાર્યકર્તાઓના પરિશ્રમની પરાકાષ્ઠાના પરિણામ સ્વરૂપ આ જીત છે.

પૂર્વ પ્રમુખ તથા 78- વિધાનસભા ચૂંટણી ઇન્ચાર્જ નિલેશભાઈ ઉદાણીએ જણાવેલ કે, લોકોએ ખોબે ખોબે મત આપી આ ઐતિહાસિક જીત અપાવી, તેઓએ ધારાસભ્ય રિવાબા જાડેજાનો પરિચય આપતાં જણાવેલ કે, સેલિબ્રિટી હોવા છતાં તેઓ સ્વભાવે સરળ છે અને જનહિત માટે કામ કરવા હમેશા તત્પર રહે છે. જનતા જનાર્દન તથા કાર્યકર્તાઓનો આભાર માન્યો હતો.સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને 79-વિધાનસભા ઇન્ચાર્જ મનીષભાઈ કટારીયાએ જણાવેલ કે, આ જીત નાનામાં નાના કાર્યકર્તા ની જીત છે. જેને વિવિધ જવાબદારીઓ લઈ પક્ષની કામગીરી ઘરે ઘરે પહોંચાડી.

78-વિધાનસભાના ધારાસભ્ય રિવાબા જાડેજાએ જણાવેલ કે, "જામનગર ની જનતાએ પુત્રવધૂ તરીકે સ્વીકારી" ઐતિહાસિક જીત અપાવી. જનતા જનાર્દન એ ઐતિહાસિક લીડ અપાવી એ બદલ જનતાનો અને કાર્યકર્તાઓનો ઋણ સ્વીકાર કરેલ. 79- વિધાનસભાના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીએ જણાવેલ કે, તેઓએ શહેર લગભગ તમામ પૂર્વ અધ્યક્ષો સાથે કામ કર્યું છે, લગભગ પૂર્વ મેયરો સાથે કામ કર્યું છે. હેમંતભાઈ માડમ, પરમાનંદ ભાઈ ખટ્ટર પછી કોર્પોરેટર તરીકે ધારાસભ્ય બનવાની તક મને મળી છે. કાર્યકર્તાને ઉદેસી તેઓએ જણાવેલ કે, ટિકિટ મળી ત્યારે આનંદ થયો, પણ કાર્યકર્તાઓએ કામગીરી અને જવાબદારીઓ લઈ લીધી ત્યારે હિમ્મત આવી. તેઓએ જામનગરની જનતાનો ઋણ સ્વીકારેલ.

સાંસદ પૂનમબેન માડમ એ પોતાના ઉદ્બોધન માં જણાવેલ કે, કાર્યકર્તાની મહેનતે આ ઐતિહાસિક જીત અપાવી છે. એક સફળ પુરુષ પાછળ એક સ્ત્રી હોય છે, અને રિવાબા જાડેજાની સફળતા પાછળ રવિન્દ્રસિહ જાડેજા છે, બિરદાવે. જામનગર વ્યાપાર ઉદ્યોગ ક્ષેત્રે અગ્રેસર છે, અનુકૂળ વાતાવરણ છે. તેઓએ વિશેષથી ઉલ્લેખ કરતા જણાવેલ કે, જામનગર શહેર જિલ્લાની શાંતિ અર્થે નરેન્દ્રભાઇ મોદી  હમેશા ચિંતિત રહ્યા છે. વેપાર, રોજગાર અને વ્યવસાય ક્ષેત્રે સ્વચ્છ વાતાવરણ રહ્યું છે. ડબલ્યુ. એચ. ઓ ના સેન્ટર ફોર ગ્લોબલ મેડિસન સેન્ટર નો ઉલ્લેખ કરતાં જણાવેલ કે, વિશ્વસ્તરની સંસ્થાએ ભારતને પસંદ કર્યું, અને એ ભારતમાં પણ જામનગર પસંદ કર્યું એ ગૌરવની વાત કહેવાય. અને ઐતિહાસિક જીતનો શ્રેય કાર્યકર્તાઓની મહેનતને આભારી જામનગર ની જનતા નો ઋણ સ્વીકારેલ.

આ કાર્યક્રમમાં શહેર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, સાંસદ પૂનમબેન માડમ, મહામંત્રી પ્રકાશભાઈ બામણીયા, વિજયસિંહ જેઠવા, મેરામણભાઇ ભાટુ, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, રિવાબા જાડેજા, મેયર બીનાબેન કોઠારી, ડે. મેયર તપન પરમાર, સ્ટે. કમિટી ચેરમેન મનીષ કટારીયા, શાશકપક્ષ નેતા કુસુમબેન પંડ્યા, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી, પૂર્વ પ્રમુખો હિતેનભાઈ ભટ્ટ, મુકેશભાઈ દાશાણી, અશોક નંદા, હસમુખ હિંડોચા, 78-વીધાનસભા  ચૂંટણી ઇન્ચાર્જ નિલેશભાઈ ઉદાણી, 79- વિધાનસભાના ચૂંટણી ઇન્ચાર્જ મનીષભાઈ કટારીયા, શિક્ષણ સમિતિના ચેરમેન મનીષ કનખરા, પૂર્વ મેયર હસમુખ જેઠવા, ધમેન્દ્રસિંહ ઝાલા, અમીબેન પરીખ, 78-વિધાનસભા ચૂંટણી સહ ઇન્ચાર્જ ખુમાનસિંહ સરવૈયા, સામતભાઈ પરમાર, મનસુખભાઇ ખાણધર, 79- વિધાનસભા ચૂંટણી સહ ઇન્ચાર્જ નિલેશભાઈ કગથરા, મનીષ કનખરા, કમલેશ સોઢા, સહિત વિવિધ મોરચા પ્રમુખ મોરચાના પદાધિકારીઓ, કાર્યકર્તાઓ, વોર્ડ સમિતિના પદાધિકારીઓ, શહેર સંગઠન ના હોદેદારો સહિત વિશાલ સંખ્યા માં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. સભા નું સફળ સંચાલન ગોપાલભાઈ સોરઠીયા તથા મહામંત્રી મેરામણભાઇ ભાટૂ દ્વારા કરવામાં આવેલ. ભારતીય જનતા પાર્ટી મીડિયા વિભાગ કનવિનર ભાર્ગવ ઠાકરની અખબારી યાદીમાં જણાવવામાં આવેલ છે.