Mysamachar.in-જામનગર:
સ્ટેટ જીએસટીની એન્ફોર્સમેન્ટ વિંગ દ્વારા કરવામાં આવેલા દરોડામાં જામનગરની વૈભવ ઇન્ડસ્ટ્રીઝના યોગેશ વોરાની ધરપકડ 6ઠ્ઠછ જુલાઇના રોજ કરવામાં આવી હતી. 15 દિવસ પછી રીમાન્ડ મંજૂર થતા તેની સામે હાઇકોર્ટમાં પીટીશન દાખલ કરવામાં આવતા રીમાન્ડ આપ્યાના 3 કલાકમાં હાઇકોર્ટે રીમાન્ડ પર સ્ટે આપી દીધો હતો.તા.6 જુલાઇના રોજ જામનગરની વૈભવ ઇન્ડસ્ટ્રીઝના યોગેશ નગીનદાસ વોરાની 62.78 કરોડની જીએસટી કરચોરી અંગે ધરપકડ કરવામાં આવી હતી. અને તેઓને ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ જામનગર સમક્ષ તંત્રએ રજૂ કરી અને 14 દિવસના રીમાન્ડની માંગણી કરી હતી જે નામંજૂર થઇ હતી.
સરકારના પક્ષ દ્વારા જામનગર સેશન્સ કોર્ટમાં યોગેશ વોરાના રીમાન્ડ માટે રીવીઝન અરજી કરવામાં આવતા તા.22મી જુલાઇના રોજ બપોરે આરોપી યોગેશ વોરાના 7 દિવસના રીમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.તુરત જ આરોપીના વકીલ અપૂર્વ એન મહેતાએ હાઇકોર્ટમાં જસ્ટિસ નિરલ મહેતાની કોર્ટમાં રીમાન્ડ સામેની પીટીશન દાખલ કરી અને દલીલો રજૂ કરી હતીકે, સીઆરપીસી એક્ટ 167 તળે આરોપીની ધરપકડ બાદ 15 દિવસ પછી પોલીસ કસ્ટડી આપી શકાય નહીં અને જેલ હવાલે કરવા પડે. જસ્ટીસ મહેતાએ તથ્યોની ચકાસણી કરી અને જામનગર સેશન્સ કોર્ટ દ્વારા શુક્રવારે અપાયેલા 7 દિવસના રીમાન્ડ માત્ર 3 કલાકમાં જ સ્ટે આપી અને આરોપીને જેલ હવાલે કરી દીધા છે.