Mysamachar.in-સૌરાષ્ટ્ર
રાજ્યના હવામાન વિભાગની આગાહી સાચી પડી અને ગઈકાલે સમગ્ર સૌરાષ્ટ્રમાં ચોમાસામાં હોય તેનાથી પણ ભારે વરસાદથી સમગ્ર સૌરાષ્ટ્રના જે ગામોમાં ભારે વરસાદ વરસ્યો ત્યાં ખેદુતોનેઈ ખેતીને મોટા નુકશાનની ભીતિ સેવવામાં આવી રહી છે, જામનગર અને દેવભૂમિદ્વારકા જીલ્લા સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં ગઈકાલે ધોધમાર વરસાદ પડતા કપાસ અને મગફળી સહિતના પાકોને નુકસાન થયું છે. આ સાથે જ ખેતરમાં પડેલા મગફળીના પાથરા પણ પલળી ગયા છે. જેને લઈને ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે.
એક તરફ મગફળીની સિઝન ચાલી રહી છે અને બીજી તરફ વરસાદ મુશ્કેલીમાં વધારો કરી રહ્યો છે. ત્યારે ગોંડલ તાલુકામાં ધોધમાર વરસાદ વરસતા ખેતરોમાં ઉપાડેલી મગફળીના પાથરા પલળ્યાં હતા. વરસાદને કારણે ખેડૂતોની પડ્યા પર પાટા સમાન સ્થિતિ થઈ છે. કૃષિ નિષ્ણાતો જણાવે છે કે ઓછો પરિપક્વ અને નબળો કપાસ હશે તેવા કપાસનું ભિમરું ખરી પડવાનો ભય વધુ છે. પરિપક્વ થઈ ગયેલા કપાસને નુકસાન ઓછું. જ્યારે જે કપાસના ઝીંડવા ફૂટી ગયા હશે તે ભેજના સંગ્રહને કારણે કપાસ બગડી શકે. પણ ફરી જરૂરી માત્રમાં સૂર્યપ્રકાશ મળતો રહેશે તો નુકસાન ઓછું થશે.આમ ગઈકાલે ફરી પડેલા ભારે વરસાદે ખેડૂતોના મોટાભાગના પાકો પર પાણી ફેરવી દીધું છે.