Mysamachar.in-જામનગર:
જમીન એવો વિષય છે કે તેની આજુબાજુની પરીઘીથી ઇતિહાસ સર્જાતા હોય છે આ બાબત વર્ષોથી અમલમા છે પછી તે જમીનનો કબજો લેવાનો હોય ખરીદી હોય કે વેચાણ હોય કે દબાવી લેવાની હોય કે ખંખેરી લેવાની હોય કે કોઇને કબજો સોંપવાનો હોય કે ત્યા બાધકામ કરવાનુ હોય કે રોડ મારજીન વગેરે કોરાણે મુકવાના હોય કે ઝોન હેતુ ફેર વગેરે હોય કે ભાડા પટ્ટો હોય વગેરેમા મોટા ભાગે અમુક ચોક્કસ કચેરી ચોક્કસ અધીકારી કે ચોક્કસ નેતા કે કોઇ એકાદ મોટા નેતા કે આગેવાનો કોને ખબર ખુબ જ ઉત્સાહ દર્શાવતા હોય છે બિલ્ડર કે ડેવલપર ને તો બીઝનેસ કરવાનો હોય માટે તે “દામ” ચુકવવા તૈયાર જ હોય તે સ્વાભાવિક છે,
વાત જાણે એમ છે કે જામનગર વિસ્તાર વિકાસ સતામંડળને જ ઝોન ફેર કરવાની દરખાસ્ત સરકારમા મોકલવાની જોગવાઇઓ છે ત્યારે જામનગર પાસેના દરેડની જગ્યાને એગ્રી માથી ઇન્ડ ઝોન કરવાની બાબત હાલ ગોઠવણ હેઠળ છે..વિષય આટલો જ છે નાનો છે પરંતુ કોને ખબર તેમા અનેક ખેલ પડે છે પડી રહ્યા છે હજુ પડશે….. માટે તે વિષયનુ મહત્વ વધી જાય છે કેમ કે આધારભૂત સુત્રોના જણાવ્યા મુજબ આ વિષય નાનો સુનો નથી મોટા ગજાનો છે, માટે જ ચબરાકો કહે છે કે ચુંટણી પહેલા જાડામા થી ઝોન ફેર કરાવવાના હવાતીયા મરાય છે તે કોના હિતમા કેટલા વ્યાજબી? છે તે જાહેર થવુ જોઇએ કેમ કે માત્ર જુજ સભ્યો ધરાવતુ જાડા નુ જનરલ બોર્ડ નિયમો ચાતરી ગયુ કે પછી અમુકનુ ગોઠવાયુ ન હતુ? માટે ગત માસની સામાન્ય સભામા બધુ જ તૈયાર હતુ ખાલી વઘાર બાકી હતો ત્યા વળી કેમ અટકી ગયુ તે બાબતે જાણકારોમા ટીકા થઇ રહી છે,
-વાત-વિવાદ અને વૈચારીક મતભેદ..જાણીએ
જામનગર નજીકના દરેડ ખાતે આવેલા એફ.સી.આઇ.ના ગોડાઉનના પાછળના ભાગમાં આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં એગ્રીકલર ઝોન હેઠળ અંદાજે 700 થી 800 વીઘા જેટલી જમીનો જુદા જુદા ખેડૂતો ધરાવે છે, આ જમીનોને સમાવતા એગ્રીકલ્ચર ઝોનને ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં પરિવર્તિત કરવામાં આવશે, તે માટેની કાયદેસરની પ્રક્રિયા જાડામાં તાજેતરમાં શરુ થઇ ચૂકી છે. આ ઝોન ફેરની ફાઇલ કોઇ જ વિના વિઘ્નથી ચૂંટણીઓ પહેલાં કલીયર કરાવી શકાય તેનો તખતો ગોઠવાયો છે,
-તખતો ગોઠવાયો ને ફસકી પડ્યો
આ જમીન ઝોન બદલવા પ્રકારની વિગતો સ્થાનિક રાજકારણમાં ચાર દિવાલોની વચ્ચે વ્યાપક પ્રમાણમાં ચર્ચાઇ રહી હોય સ્થાનિક રાજકારણમાં આ કૌભાંડના આફ્ટર શોક અનુભવાઇ રહ્યા હોવાનું સુત્રો જણાવે છે…! અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા જ દિવસો પહેલાં પણ જાડાની બેઠક કમિશ્નરના અધ્યક્ષસ્થાને મળી તેના ગણતરીના કલાકો પહેલાં જ કોર્પોરેશનના વિપક્ષના નેતા રાઠોડે એક સનસનીખેજ પત્ર મીડીયામાં ફરતો કર્યો હતો જેમાં જણાવવામાં આવેલ કે, જાડામાં મોટા ઝોનફેર-હેતુફેરનો તખ્તો ગોઠવાઇ ગયો છે. આ માટે નવેસરથી ઠરાવો કરવાની વ્યવસ્થા પણ ગોઠવાઇ ગઇ છે, અને જો આમ કરવામાં આવશે તો સમગ્ર મામલાને અદાલતમાં ઢસડી જવામાં આવશે. એવી ચીમકી વિપક્ષના નેતાએ આ પત્રમાં આપેલી હતી તે સૌ જાણે જ છે, ત્યારે સમગ્ર રસપ્રદ વિષય અંગેની તમામ ગતિવિધીઓ સમીક્ષાજનક બની ગઇ છે અને તે માટે ગોઠવણ ઉપર ચબરાકોની બાજ નજર છે, તેમ કહીએ તો અતિશયોક્તિ ન હોવાનુ નગરના અમુક ખુબ જ અભ્યાસુ જાણકારો જણાવે છે,
-સમગ્ર ઓપરેન્ડી અને ઉદગમસ્થાન…જાણવા જેવુ
જાણકારો કહે છે કે ટૂંકાગાળામાં એવું તો શું થયું કે આ ઝોનમાં ફેરબદલ કરવી પડે તે વાત જાણકારો માટે પણ શંકા ઉપજાવનારી છે, વધુમાં અલક અલગ લોકો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ આ ઝોન ફેરફાર ચોક્કસ ગોઠવણનો ભાગ છે.? આગામી જાડાની બેઠકમાં હાજર રહેનારને પણ સુરતથી સુચના આપાઈ ચુકી છે કે ઊંચું નીચું થવું નહિ અને યોગ્ય નિર્ણય કરી આપવો, માટે આગામી બેઠકમાં આવું થશે તો આ વિસ્તારમાં થી પણ વિરોધનો વંટોળ ઉપરાંત અન્ય કોઈ મેદાને આવી ને વિરોધ કરે તેવી પ્રબળ શક્યતાઓ છે, વધુમાં જાણવા મળતી વિગતો મુજબ આ જમીનના હેતુફેર સાથે જોડાયેલા મુખ્ય મુખ્ય ચારેક લોકોએ ભેગા થઈને સુરત સુધી છેડો લંબાવી અને આ ઝોન ફેર થાય તેના પ્રયાસમાં ચોક્કસ ગોઠવણ પછી સફળ રહ્યા છે.પણ આ ચર્ચાતી વાતો વચ્ચે ખરેખર શું થયું છે તે જાડાની આગામી બેઠક બાદ જ સામે આવી શકશે.અને દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે.