Mysamachar.in:જામનગર
સામાન્ય રીતે કોઈ જનપ્રતિનિધિ તરીકે ચૂંટાઈ આવે તેમાના કેટલાક એવા પણ હોય છે કે જે પાંચ વર્ષ શોધ્યા મળતા નથી, પણ કેટલાક જન પ્રતિનિધિઓ એવા પણ હોય છે જેન મન વિસ્તારનો વિકાસ વિસ્તારની સમસ્યા અને લોકોના પ્રશ્નો સાંભળી તેનું નિરાકરણ લાવવું એવું એકમાત્ર ધ્યેય હોય છે, હાલારના સાંસદ પૂનમબેન માડમ એક એવા જન પ્રતિનિધિ છે જે સતત મત વિસ્તારના લોકોને મળતા રહે છે તેને સાંભળતા રહે માટે જ કદાચ તેની લોકચાહના માત્ર હાલાર જ નહિ પણ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં પણ એટલી જ છે. જે વારંવાર તેમની અન્ય જિલ્લાઓની પ્રવાસ અને મુલાકાતોના માધ્યમથી જોવા મળે છે.
રાજકારણમાં લોકપ્રિય થવુ અને લોકપ્રિય રહેવુ તેમજ વિશેષણ સ્વરૂપે માત્ર નહી ખરા અર્થમા લોકલાડીલા હોવુ તે સાંસદ પૂનમબેન માડમે સાબિત કર્યુ છે, નારીશક્તિને સ્વયં ઉજાગર કરી મહિલા સશક્તિકરણના દ્રષ્ટાંત હાલારના સાંસદ માટે સૌનો એકધારો અભિપ્રાય છે કે…” બેને કરેલા કામ બોલે છે” “તેમને લોકો માટે કરેલ સેવાઓ બોલે છે” લોકસભામા કઇ રજુઆત હોય કોઇ સમર્થન હોય કેન્દ્ર સરકાર તરફથી અગત્યની બેઠકો માટે વિદેશ પ્રવાસ હોય કે સંસદીય વિસ્તારમા પ્રવાસ હોય કોઇ સમારોહ હોય કે લોકોને મુલાકાત આપવાની હોય સંસદીય વિસ્તાર અંગે લોકોનો અવાજ સરકારમા પહોંચાડી સફળ રજુઆત કરી તે સુવિધાઓ સાકાર કરાવવાની હોય કે ધાર્મીક સામાજીક શૈક્ષણીક આરોગ્યલક્ષી વિજ્ઞાન ટેકનોલોજી લગત કે બીઝનેસ કોન્ફરન્સ હોય તે દરેક વખતે સાંસદ પૂનમબેન માડમનો અભ્યાસ નિરીક્ષણ અને કઇક જાણવાની જીજ્ઞાસાએ તેમને પ્રગતિના શિખરો અંબાવ્યા છે, તેમ વિશ્લેષકોનો મત છે,
લોકપ્રિયતા સહજ સરલ સુલભ નથી હોતી તે માટે હંમેશા લોકો વચ્ચે રહેવુ પડે છે જનજીવનને સમજવુ પડે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહે છે તેમ સમાજ જીવનમા ઝાંખવુ પડે છે સાથે-સાથે મદદ માટે તત્પર રહેવુ પડે છે સાંસદ પૂનમબેનનો રાજકીય પ્રગતીનો ગ્રાફ જેમ ઉંચો છે તેમ તેઓનો સેવાઓનો સ્પોન્સરશીપનો વ્યાપ પણ નભને આંબે છે, આ દરેક બાબતો સાથે જ્યારે આટલા વિશાળ વિસ્તારના જન પ્રતિનિધી સતત બીજી વખત લોકસભાનુ નેતૃત્વ કરતા હોય ત્યારે સ્વાભાવિક છે કે તેમની પાસે ભારત સરકારની સિદ્ધીઓની તલસ્પર્શી માહિતી હોય છે સાથે-સાથે એ પ્રગતીની સાથે જ 12-જામનગર લોકસભા વિસ્તારમા સમાંતર રીતે પ્રગતી થાય તે તેઓનુ લક્ષ્ય રહ્યુ છે. કોઇ પ્રસંશાની અપેક્ષા વગર હંમેશા માત્ર વાસ્તવિકતા સાથે જોડાયેલા સાંસદ પૂનમબેન માડમની જામનગરમા પત્રકાર પરિષદ યોજાઇ ત્યારે આ દરેક બાબતોનો સારાંશ જાણવા મળ્યો હતો.
ખાસ કરીને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સંરકારના સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના સંકલ્પ સાથે સફળતપૂર્વક 9 વર્ષ પૂર્ણ થવા અંગે ન્યુ ઇન્ડીયાની વિગતો આપતા અમૃતકાળમા વિશેષ પ્રગતીની મહત્વની બાબતોને તેઓએ ઉજાગર કરી હતી, આ તકે પશ્ચિમ ભારતના સુપ્રસિદ્ધ શ્રી દ્વારકાધીશ કોરીડોર બનશે સીગ્નેચર બ્રીજનુ લોકાર્પણ થશે બ્રાસ બાંધણી કલા કાશી કાર્યકુશળ જનતા જનાર્દન વગેરેથી પ્રખ્યાત જામનગર અને દેવભૂમિ દ્વારકા વિશ્વકક્ષાએ ઝળક્યુ છે. અને ઔદ્યોગિક ક્ષેત્રે હરણફાળ ભરી ચુક્યુ છે ત્યારે છેલ્લા દાયકાનો વિકાસએ સાંસદ પૂનમબેનએ તેમની જહેમતથી ગૌરવ લેવા જેવો વિકાસ થયો છે,
શહેરોની સમાંતર ગ્રામ્ય વિકાસ ખેતી આરોગ્ય શિક્ષણ સિંચાઇ પાણી ઇનફ્રાસ્ટ્રક્ચર દરેક બાબતે હાલારનો વિકાસ થયો છે, તે વાતને તેઓએ પ્રેસકોન્ફરન્સમા માહિતી આપતી વખતે બખુબી વણી લીધી હતી સાથે સાથે બંને જિલ્લાની જાગૃત જનતાને બિરદાવી હતી ખાસ કરીને આ સદીની કપરી મહામારી કોરોનાના કપરા કાળમા સૌનો સાથ સાર્થક થયાનો ખાસ ઉલ્લેખ તેમણે કર્યો હતો.
12-જામનગર (જામનગર-દેવભૂમિ દ્વારકા) લોકસભા વિસ્તારની જનસંપર્ક યાત્રા અંગે માહિતી અપાઇ હતી. આ તકે જામનગર અને દ્વારકા જીલ્લાના તેમજ જામનગર શહેરના આમંત્રીતો તેમજ ઉત્સાહીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રેસ કોન્ફરન્સમા ભારતના વિકાસની સાથે જામનગર અભિન્ન અંગ તરીકે જોડાયુ છે અને રેલવે આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોરોના વખતની કાળજીઓ નેશનલ હાઇવે આયુર્વેદની વિશ્વસ્તરે સ્વીકૃતિ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાઓ વગેરે બાબતો જણાવી દ્વારકાધીશ કોરીડોર સીગ્નેચર બ્રીજ સહિત સર્વાંગી વિકાસ સાથે કેન્દ્ર સરકાર દ્વારા મોદીના નેતૃત્વમા સમગ્ર ભારતનો વિકાસ થઇ રહ્યો છે. તેની છણાવટ કરી સાંસદ પૂનમબેનએ જણાવ્યુ હતુ કે સમગ્ર લોકસભા વિસ્તારમા મને લોકોના કામ કરવાની તક આપી તે બદલ સૌ નાગરીકોનો અભાર માનુ છુ, જામનગર સંસદીય વિસ્તારમા દરેક યોજનાઓ નિતિઓનો લાભ મળ્યો છે ત્યારે હજુ ય આપણા ક્ષેત્રને વધુ ને વધુ વિકાસ કરવા સૌ કટીબદ્ધ રહીએ તેવી અપીલ સાંસદ પૂનમબેન માડમએ પત્રકાર પરિષદના માધ્યમથી કરી હતી.
એકંદર આ પ્રેસ કોન્ફરન્સ ખુબ માહિતી પ્રદ બની રહી હતી તેમજ જન સુવિધાઓ માટે યોગ્ય નિરાકરણની સાંસદ પૂનમબેને ખાત્રી આપી હતી અને જનસુવિધા તેમજ પ્રાથમીક સુવિધા અને ગ્રામ્ય વિકાસ શહેરી વિકાસ સહિત મહત્વની બાબતો એ પ્રાધાન્ય આપવામા આવી રહયાનો દ્રઢ પુનરોચ્ચાર કર્યો હતો. આ કોન્ફરન્સમાં ધારાસભ્યો મેઘજીભાઇ ચાવડા, દિવ્યેશ અકબરી, જિલ્લા પ્રમુખ રમેશભાઇ મુંગરા, શહેર પ્રમુખ ડો.વિમલ કગથરા, મેયર બિનાબેન કોઠારી, સ્ટે.ચેરમેન મનીષ કટારીયા, સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતાં.
-સાંસદે કહ્યું કેન્દ્રની દરેક સુવિધાઓ હાલારને અપાવવામાં સફળતા મળી છે. જેનો આનંદ છે.
સાંસદ પુનમબેન માડમે પત્રકાર પરીષદમાં વાત કરતા સમયે જણાવ્યું કે પાછલા 9 વર્ષમાં કેન્દ્ર સરકારની તમામ યોજનાઓનો લાભ હાલારના નાગરિકોને મળ્યો છે, નેશનલ હાઈવે હોય કે પછી કોસ્ટલ હાઈવે રેલ્વેની ટ્રેનોની સુવિધા વધારવાની વાત હોય કે પછી રેલ્વે સ્ટેશનો સુવિધાઓ સાથે અપગ્રેડ કરવાની વાત હોય, પોસ્ટની સેવાઓની વાત હોય કે પછી કે કેન્દ્રની અન્ય કોઈ યોજનાકીય લાભોની વાત હોય તેમાં હાલારના લોકોને અગવડતાઓ ના રહે તે માટે તમામ પ્રયાસો કરવામાં આવ્યા છે. જેમાં ધારી સફળતા મળી તેનો આનંદ પણ છે.