Mysamachar.in-જામનગર:
જામનગર ઉતરના ધારાસભ્ય હકુભા જાડેજા દ્વારા તેમના દ્વારા તેમના મત વિસ્તારમાં કરેલ કામોનો હિસાબ વોર્ડવાઈઝ જઈ અને તેવો આપી રહ્યા છે, ત્યારે તેવોએ જામનગરના વોર્ડ નંબર-૩માં જઈ અને પોતાની ગ્રાન્ટ અને સભ્યોની ગ્રાન્ટ સહિતમાંથી શું કામો કર્યા તેની વિસ્તૃત વિગતો લોકો સમક્ષ રજુ કરી, વોર્ડ નંબર ત્રણના સ્થાનિકોની જંગી હાજરી વચ્ચે વિધ્વાન પંડિતો દ્વારા મંત્રોચ્ચાર સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.અને હાજર આગેવાનોએ આ લોકદરબાર નહિ પરંતુ વિજયી સભા હોવાનો પણ પોતાના વ્યક્તવ્યોમાં ઉલ્લેખ કર્યો હતો.
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈના ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ’ મંત્રને ખરા અર્થમાં સાર્થક ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ મેરૂભા જાડેજા (હકુભા)એ કર્યો હોવાનું વોર્ડ નં. ૩ ના લોક દરબારમાં પૂર્વ મેયર દિનેશ પટેલે જણાવ્યું હતું. તેઓએ ઉમેર્યું હતું કે જ્ઞાતિ અને જાતીના અને નાનામોટાના ભેદભાવ વગર ધારાસભ્ય લોકોના અનેક પ્રશ્નો ઉકેલતા મેં જોયા છે. તેઓએ આવા જાગૃત લોક પ્રતિનીધીને ફરીવાર ચુંટણીમાં ચૂંટીને સતાના સુકાન સોપવા પણ અપીલ દિનેશભાઈ પટેલે કરી હતી.
વોર્ડ નં. ૩ માં ધારાસભ્યના લોક દરબારમાં પૂર્વ મેયર ધર્મેન્દ્રસિંહ ઝાલાએ સંબોધન કરતા જણાવ્યું હતું કે ધારાસભ્ય અને તેની સંસ્થા શ્રી ભાગ્યલક્ષ્મી એજયકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અનેક વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવે છે. સક્ષ્મ નેતૃત્વ, સતત જન સંપર્ક અને નક્કર પરિણામએ જ લક્ષ્ય જનસેવા દ્વારા લોક દરબાર રૂપી સેવાયજ્ઞ હકુભા જાડેજા યોજી રહયા છે. તેઓએ કરેલા સેવાના કાર્યોને બિરદાવ્યા હતા. આ લોક દરબારમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતીના ચેરમેન મનીષ કનખરાએ જણાવ્યું હતું કે આ લોક દરબારમાં ઉપસ્થિત મેદનીથી ધારાસભ્ય હકુભાની વિજય સભા ગણાવી હતી. તેઓએ ધારાસભ્યના આ લોક દરબારમાં બુધ્ધિજીવીઓ અને પ્રબુધ્ધ નાગરીકોની મોટી ઉપસ્થિતીએ જ હકુભાની સિધ્ધી છે. કોઈ વિસ્તાર એવો નહી હોય કે જયાં હકુભાની ગ્રાન્ટમાંથી કામો ન થયા હોય અને શિક્ષણ ક્ષેત્રે અભ્યાસ કરતા કોઈ એવો વિદ્યાર્થી નહી હોય કે જેમને ત્યાં ધારાસભ્યની નોટબુક ન પહોંચી હોય, તેવા કર્મયોગી અને ધર્મવીર તરીકે ધારાસભ્યને બિરદાવ્યા હતા.
જામનગર શહેર ભાજપના અધ્યક્ષ ડો. વિમલ કગથરાએ વોર્ડ નં. ૩ ના લોક દરબારમાં ભાજપના સંગઠનને બિરદાવ્યું હતું અને સમાજ શ્રેષ્ઠીઓની ફરજ છે કે આવા જાગૃત અને પ્રરેણામૂર્ત ધારાસભ્યને બિરદાવવા આજની હાજરી જ પ્રરેકબળ પુરૂં પાડે છે. વોર્ડ નં. ૩ માં નવો માઈલ સ્ટોન ભાજપના કાર્યકરોએ લોક દરબારમાં રચ્યો છે. આવનારી વિધાનસભાની ચૂંટણીમાં પણ નવો રેકોર્ડ વોર્ડ નં. ૩માં ભાજપના આગેવાન અને કાર્યકર્તાઓ નવો રેકોર્ડ રચાશે. ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાના લોક દરબારમાં તેમના કામનો સાક્ષી બનવાનો આ મને ગર્વ છે. આ લોક દરબારમાં પત્રકાર મંડળના પ્રમુખ હિરેન ત્રિવેદીએ ધારાસભ્યનાઆ લોક દરબારમાં તેમના ગ્રાન્ટનો હિસાબ આપવાની કાર્ય પધ્ધતીને આવકારી હતી.
જામનગર મેયર બિનાબેન કોઠારીએ જણાવ્યું હતું કે ધારાસભ્ય આ લોક દરબાર યોજીને દ૨ વર્ષની માફક આ વર્ષે પણ તેઓએ ફાળવેલી ગ્રાન્ટ અને વિકાસના કામોનો હિસાબ આપવાની પધ્ધતીને હું અભિનંદન આપું છું. જામનગર 78 ના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ મેરૂભા જાડેજા (હકુભા) તેમની આગવીશૈલીમાં લોકોનો અભિવાદનને આર્શીવાદ સાથે લોક દરબારમાં સ્વીકારતા જણાવ્યું હતું કે વોર્ડ નં. ૩ એ જામનગરનું હૃદય ગણાવ્યું હતું. છેલ્લા 10 વર્ષથી આ પ્રકારે લોક દરબારનું આયોજન કરી પ્રેમભાવથી લોકોના આશીવાદ મને પ્રાપ્ત થઈ રહયા છે. હકુભાએ કહ્યું કે હું રાજકીય વ્યકિત તરીકે મારી ફરજનિભાવી રહયો છું. વિકાસએ સતત ચાલતી પ્રક્રિયા ગણાવી હતી.
વોર્ડ નં. ૩ માં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ મેરૂભા જાડેજા (હકુભા) વિશ્વકર્મા બાગ ખાતે યોજાયેલા ભવ્ય લોક દરબારમાં બ્રહ્મસમાજ દ્વારા તેમજ મહાદેવ હર મિત્ર મંડળ અને કર્મ કાંડી બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર સાથે શાહી સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ કરીને ધાન્ય વસ્તુઓથી કુપોષિતબાળકો અને મહિલાઓ માટે આરોગ્યને પોષણ આપે તેવા ધાન્યોથી હકુભાની તુલા કરવામાં આવી હતી અને આ ધાન્ય કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ, આંગળવાડીઓના બાળકોને આપવામાં આવ્યું હતું. સાથેસાથે બ્રાહ્મણો દ્વારા શિવજીની પ્રતિમાં સાથે આર્શીવાદ આપવામાં આવ્યા હતા અને આતસબાજી યોજીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ મહાનુભાવોના હસ્તે દિપ પ્રાગટય કરી લોક દરબારને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
આ લોક દરબારમાં વોર્ડ નં. ૩ ના કોર્પોરેટર અને સ્ટેન્ડીંગ કમીટીના પૂર્વ ચેરમેન સુભાષ જોષી, કોર્પોરેટર અલ્કાબા જાડેજા, પરાગ પટેલ, પન્નાબેન મારફતીયા, તેમજ ભાજપના આગેવાનો તથા સામાજીક આગેવાનો, જુદા-જુદા સમાજના હોદેદારો તેમજ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત મહિલાઓ, યુવાનો અને સિનીયર સીટીઝનો ઉપસ્થિત રહીને લોક દરબારની શોભામાં વધારો કર્યો હતો અને ધારાસભ્ય હકુભાને જુદાજુદા મંડળો અને જુદીજુદી સોસાયટીના સંગઠનો દ્વારા કલાકો સુધી અલગ અલગ પ્રકારે દીપી ઉઠે તે રીતે સન્માનીત કરવામાં આવ્યા હતા.