Mysamachar.in-જામનગર:
ગુજરાત રાજયની સ્થાપનાના વર્ષ 1960માં જન્મેલાં અને પાછલાં છ દાયકાથી જામનગરમાં વસવાટ કરી રહેલાં પ્રજાપતિ સમાજના અગ્રણી ગિરીશભાઈ રાઘવજીભાઈ અમેથિયા સર્વ સમાજમાં વિશાળ સંપર્કો ધરાવે છે, અને છેલ્લાં ત્રણ વર્ષથી ભારતીય જનતા પાર્ટી સાથે ગાઢ રીતે જોડાયેલા છે. અને જન જન સુધી ભાજપની વિચારધારા પહોચાડવા માટે તેવો દિવસ રાત એક કરી રહ્યા છે.
તેઓ અખિલ ગુજરાત ઓબીસી મહાસંઘના પ્રદેશ પ્રમુખ, વાટલીયા યુવક મંડળ જામનગરનાં પ્રમુખ , ગુજરાત પ્રજાપતિ મહા એકતા અભિયાનનાં જામનગર જિલ્લાના પ્રમુખ, અખિલ ભારતીય પ્રજાપતિ કુંભાર મહાસંઘ સૌરાષ્ટ્ર ઝોનના વાઈસ પ્રેસિડેન્ટ, જામનગર વિશ્વકર્મા મહાસંઘના વાઈસ પ્રેસિડેન્ટ, અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ-વડોદરાના ટ્રસ્ટી, જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝનાં સભ્ય, જામનગર ફેકટરી ઓનર્સ એસોસિએશનનાં ખજાનચી (1996-1998), ગુજરાત ખેડૂત હિતરક્ષક સમિતિનાં વાઇસ પ્રેસિડેન્ટ, બ્રિક્સ મેન્યુફેકચરર, જામનગરનાં મહામંત્રી તથા સૌરાષ્ટ્ર-ગુજરાત પ્રજાપતિ બીજેપી વિચારધારા સંગઠનના ઝોન સહપ્રભારી તરીકેનો લાંબો અને બહુઆયામી અનુભવ ધરાવે છે. અને, પ્રત્યેક સંસ્થા અને સંગઠનોમાં તેઓ ખૂબ જ સક્રિય હિસ્સો ધરાવે છે.
ઔદ્યોગિક, સામાજિક, વેપાર અને ખેડૂત સંગઠનોમાં લાંબો અનુભવ પ્રાપ્ત કરી ગીરીશભાઈ અમેથીયા સમાજનાં પ્રત્યેક વર્ગમાં બહોળું મિત્રવર્તુળ ધરાવે છે અને આ તમામ ક્ષેત્રોમાં નાનીમોટી વિવિધ બાબતોનો નજીકનો અભ્યાસ ધરાવતાં, જાહેરજીવનનાં વિચક્ષણ અગ્રણી હોવાથી સૌને સાથે લઈને ચાલવાની અદભૂત આવડત અને સજ્જતા ધરાવતાં હોય, સમાજનાં પ્રત્યેક વર્ગમાં તેઓ સફળતા અને લોકપ્રિયતા હાંસલ કરી શકયા છે.
તેઓએ Mysamachar.in સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેઓ વાટલિયા પ્રજાપતિ યુવક મંડળનાં સ્થાપક પ્રમુખ છે અને 20 વર્ષથી બિનહરીફ અને લોકપ્રિય લીડર તરીકે ફરજો બજાવી રહ્યા છે. ઝીરો બેલેન્સથી શરૂ કરવામાં આવેલાં આ મંડળે રૂ. 2.5 કરોડનાં ખર્ચે વાટલિયા પ્રજાપતિ સમાજની વાડીનું નિર્માણ કર્યું છે, તે ગિરીશભાઈ અમેથિયાના નેતૃત્વને આભારી છે એવું સમગ્ર વાટલિયા પ્રજાપતિ સમાજ જાહેરમાં સ્વીકારે છે. ગિરીશભાઈ જામનગર થી માંડીને પ્રદેશ ભાજપા કક્ષા સુધી પક્ષમાં પ્રજાપતિ સમાજના સક્ષમ નેતા તરીકે ઉપસી આવ્યા છે.