Mysamachar.in-જામનગર
સૌરાષ્ટ્રમાં નર્મદાના નીર પહોંચાડવા માટેની જંગી નાણા ખર્ચી રાજ્ય સરકારે જે સૌની યોજના કાર્યરત કરી છે તે યોજનામા જુદી-જુદી લીંકના કામો ચાલે છે તેવી જ રીતે 2400 કરોડ રૂપીયાનુ ર્લીક ૩ નુ પણ કામ ચાલુ છે બીજી લીંકોની જેમ આ લીંક સિંચાઇના અમુક બાબુઓ અમુક એમના રખેવાળો અમુક જ પંકાયેલા કોન્ટ્રાક્ટરો અમુક એવા પેટા કોન્ટ્રાક્ટરો અમુક વચેટીયાઓ અમુક ચબરાકો એ સૌ માટે સૌ ની યોજના એવી લગડી સાબિત થઇ રહી છે કે સૌનો સાથ સૌનો વિકાસ સુત્ર ખુબ ફીટ બેસે છે વળી આ સૌના વિકાસ મા કોઇ ને તારવી દીધા હોય કે ઓછો ભાગ મળ્યો હોય તો સમરાંગણ પણ થાય છે. તેમ બે ત્રણ વખત ભાગબટાઇ મામલે થયેલા ડખ્ખા રૂબરૂ સાંભળનાર સુત્રોએ ચિતાર આપ્યો છે તેમજ જે રીતે દેખાડો કરવો પડે તેમ પોતે જાતે સિંચાઇ ખાતુ રાખી આ સૌની ની સી.એમ. સમીક્ષા કરે છે એવુ કહેવાય છે પણ તેઓ આ હાલની કરંટ ભાગબટાઇ વાળી લગડી લીંક ૩ ની સમીક્ષા કરતા જ ભુલી ગયા હોવાનુ ચર્ચાય છે કે પછી સમીક્ષા જ ન કરી કોરાણે મામલો રાખ્યો કે તેઓ વધુ જાણતા હશે ને અલગથી વારો કાઢશે??
કેમકે આ લીંકના ભ્રષ્ટાચારનો મામલો વાજતે ગાજતે તેમના સુધી પહોંચ્યો તો છે જ જોકે અમુક એવી ચર્ચા કરે છે કે ભાગબટાઇ સામે છે….ક ઉપરથી આખ આડા કાન કરી અમુક ને સાચવી લેવાય છે તો બીજી તરફ એ પણ વાસ્તવિકતા છે કે સી.એમ પારદર્શી છે તેઓ જરા પણ ગેરરીતી ચલાવે જ નહી તો પણ સાચુ તો લાભ લેનારા જાણતા હશે, આ બહુચર્ચિત 2400 કરોડની લિંક-3 માં એન સીંગ અને સેન્ડ બેડીંગમાં ગોલમાલ કરી કરોડોના ભ્રષ્ટાચાર થયા હોવાની અનેક ફરિયાદો સરકાર સુધી પહોંચી તો છે કે આ કામગીરીમાં ખુલ્લેઆમ કથિત ભ્રષ્ટાચાર કોન્ટ્રાકટરો તેમજ અધિકારીઓની મીલી ભગતથી થઇ રહ્યો છે, આ વાત જો કે હવે ખુલ્લી પડી ગઇ છે. સૌની ગેરરિતીના અનેક ઉદાહરણો ની જેમ વધુમાં જોઇએ તો હાલ ઉડ-3 જામનગર જીલ્લામાં ઉંડ-૩ ડેમને લગત એવા કાલાવડ તાલુકાના મોટાભાડૂકીયા-બાલંભડી-મૂળિલા-મકરાણી-સણોસરા-જામવાળી-છતર-સળોદર-નરમાણાંથી છેક જામજોધપુર તાલુકાનાં વિસ્તારમા 52 કિલોમીટર સુધી લીંક 3 ની પથરયેલી પાઇપલાઇનમાંથી ભ્રષ્ટાચાર છતો થાય છે જે નરી આંખે જોઇ શકાય છે માટે અલગથી તપાસ એજન્સી નીમવાની જરૂર છે,
સરકારના આયોજન મુજબ બીજા તબક્કાના કામો 15 ઓગષ્ટ પૂર્ણ કરવાના થાય છે ‘સૌની યોજનાનો ફેઇઝ-1’પૂરો થતાં 16 ડેમોમાં પાણી ભરી શકાતું હતું.હવે ફેઇઝ-2 માં 541 કિલોમીટરનીપાઇપલાઇન કામો પૂર્ણ થતાં વધુ 56 જળાશયો ભરી શકાશે તેવું જણાતું હતું પરંતુ સ્થળો ઉપર તેવી પરિસ્થિતી જણાઈ રહી નથી કેમકે ગોકળ ગાયનીગતિએ ચાલતી આ સૌરાષ્ટ્રની લિંક-3 ની કામગીરીમાં કથિત ભ્રષ્ટાચારે માજા મુકી છે. અને ખોદાણ સહિત કામગીરીમાં ઠેર-ઠેર ભ્રષ્ટાચાર થયો હોવાના દ્રશ્યો સર્જાવા પામ્યા છે. અને કામ કરનાર એજન્સી તેમ જ પેટા કોન્ટ્રાકટરો સાથે અધિકારીઓ મળી ને સરકારની આંખમા પણ ધુળ નાંખી નબળા કામ કરાવી લીંક નુ કામ પૂર્ણ કરાવવાની પેરવીમાં છે તેવા અણસાર જોવા મળે છે. પરંતુ કામ ઠોસ થયુ નથી અને હજુય થતુ નથી ત્યારે જોવાનું એ રહ્યું કે આ યોજના ખેડુતલક્ષી બનશે કે ખેડુતભક્ષી બનશે?? કેમકે ઇરાદા પુર્વક કામ લંબાય છે જે થી સૌની માંથી લગત સૌ ને ફાયદો થાય તેવુ આયોજન થાય છે, પાઇપ લાઇન બીછાવતી વખતે સેન્ડ બેડીંગ અને અને કેસીંગની કામગીરીના ટેકનીકલ ડેટા સહિતની માહિતી પણ આર.ટી.આઇ. હેઠળ માંગવામાં આવી હોવાનુ પણ જાણવા મળે છે જે તંત્ર માટે મુસીબત સર્જે તો નવાઇ નહી બીજી તરફ લગત ગામોના ખેડૂતો ગાંધી ચિંધ્યામાર્ગે આંદોલન કરી એજન્સી ની પોલ ખોલી ખેડૂતલક્ષી આ યોજના નક્કર ન થાય તો લડી લેવાના મુડમાં હોવાની માહિતીઓ પણ અન્ય સ્ફોટક માહિતી આપતી વખતે સુત્રોએ આપી છે.