Mysamachar.in-જામનગર:
જામનગર શહેરના જોલીબંગલો વિસ્તારમાં વસવાટ કરતા કિશોરભાઈ સાવલિયા નામના વેપારીને થોડા મહિનાઓ પૂર્વે તેમના કારખાનાના મેઈલ આઈ.ડી પર [email protected] નામના મેઈલ આઈ.ડી પરથી મેઈલ કરીને કતાર સરકારમાં માલ સપ્લાય કરવાનો કોન્ટ્રાકટ અપાવવાના બહાને અલગ અલગ ફી તેમજ ચાર્જપેટે ઇન્ડિયા બેંકનો ખાતેદાર સ્કંદકુમાર, કેનેડા બેન્ક તેમજ ઇન્ડિયા બેન્કનો ખાતેદાર મોહિતકુમાર અને ઇન્ડિયા બેન્કનો અન્ય એક ખાતેદાર પ્રેમપાલે આ ચાર ખાતાઓમાં ૧૦.૨૯.૫૦૦ ની રકમ ફરિયાદી કિશોરભાઈ પાસે જમા કરાવી લીધા બાદ કોન્ટ્રાકટ નહિ અપાવતા કીશોરભાઈને છેતરપીંડી થયાનું માલુમ પડતા તેવોએ આ મામલે છેતરપીંડી અને વિશ્વાસઘાત કરવા અંગે આ ત્રણેય ખાતેદારો સામે કલમ ૪૦૬-૪૨૦ મુજબ સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.