Mysamachar.in:જામનગર:
ભગવાન શ્રી કૃષ્ણ પર કરેલા નિવેદનના થયેલ વિવાદ બાદ દ્વારકા માફી માંગવા પહોંચેલા મોરારિબાપુ પર ભાજપના પૂર્વ ધારાસભ્ય પબૂભા માણેક દ્વારા હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. મોરારિબાપુ જ્યારે પત્રકાર પરિષદ સંબોધી રહ્યા હતા ત્યારે અચાનક પોતાને શોભે નહિ તે રીતે આ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક પણ ત્યાં આક્રોશિત થઇને આવી પહોચ્યા હતા, જો કે મોરારિબાપુ પર હુમલો થાય તે પૂર્વે જામનગરના સાંસદ પૂનમબેન માડમ દ્વારા સમયસુચકતા વાપરીને પબુભાને દુર લઇ ગયા હતા, અને મામલો થાળે પાડ્યો હતો હવે આજે આ મામલાના ઘેર પ્રત્યાઘાતો પડ્યા છે, આજે સત્યમ કોલોની આહીર સમાજ ખાતે આહીર સમાજના આગેવાનોની એક બેઠક મળી હતી અને બેઠકમાં શું નિર્ણય લેવામાં આવ્યો તેના પર જામનગરના ડેપ્યુટી મેયર અને આહીરસમાજના આગેવાન કરશન કરમુરે શું કહ્યું તે સાંભળવા ઉપરનો વિડીયો ક્લિક કરો અથવા અમારા ફેસબુક પેજ mysamachar.in ની મુલાકાત લો.