Mysamachar.in-જામનગર
આમ તો સૌરાષ્ટ્ર અને તેમાય ખાસ રાજકોટ અને જામનગરની ખાણીપીણીની બજારોની વાત જ થાય…એક આઈટમ ખાવ અને બીજી ભૂલો…એવી સ્થિતિમાં હાલ તો લોકડાઉન ચાલી રહ્યું છે, ત્યારે એવા લોકો પણ મનોમન દુખી છે, જેને બહારના સ્વાદના ચટકાને દાઢે લગાડવાનો ખુબ જ શોખ છે, રાજાશાહી સમયથી જ જામનગરના લોકો સ્વાદપ્રિય રહ્યા છે, અને લોકોના સ્વાદને પુર્ણ કરવા વેપારીઓ દ્વારા પણ અવનવી આઈટમો રજુ કરી સ્વાદ શોખીનોના શોખ પૂર્ણ કરી રહ્યા છે, શહેરની વિવિધ હોટલો રેસ્ટોરન્ટ ઉપરાંત રેકડીઓ દ્વારા આ સેવા 24 કલાક કાર્યરત બનાવવામાં આવતા સ્વાદ શોખીનો ને જલસો પડી ગયો હતો સ્વાદ શોખીનોમાં યુવાધન વધુ આકર્ષિત રહેવા પામ્યું છે,
કેમકે એકત્રિત થયેલા યુવાઓ તેમની પસંદગીના સ્થળ પર આવી ડીલેવરી મેળવી લેતા હોવાથી તેઓ માટે આ પદ્ધતિ આકર્ષણનું કેન્દ્ર રહેવા પામી છે પરંતુ કોરોનાની મહામારી સંદર્ભે જાહેર કરવામાં આવેલા lockdownના કારણે શહેરની મુખ્ય બજાર તેમજ હોટલો રેસ્ટોરન્ટ સંપૂર્ણ રીતે બંધ રહેતા સ્વાદ શોખીનોના ચટકા બંધ થઈ જતા આવા સ્વાદપ્રિય લોકો ભારે વિમાસણમાં મુકાઈ જવા પામ્યા છે, શહેરના ચાંદીબજાર, લીંડીબજાર, ખાઉધરાગલી, દિગ્વિજયપ્લોટ, પટેલકોલોની એસટી ડેપો, હોસ્પિટલનીસામે પંચવટી જવા વિસ્તારોમાં આવેલી હોટલો અને રેસ્ટોરન્ટ તેમજ લારી ગલ્લાવાળાને ત્યાં લોકોની ભીડ સવારથી મોડી રાત્રી સુધી રહેવા પામતી હતી,
આ ઉપરાંત શહેરના સ્વાદપ્રિય લોકો માટે અલગ અલગ વિસ્તારોમાં તેઓની મનપસંદ આઈટમો તૈયાર કરી પીરસવા માટે વેપારીઓ પણ ખૂબ જ ઉત્સુકતા દર્શાવી રહ્યા હતા આનંદ પ્રમોદ થી લોકો તેમના સ્વાદની મોજ માણી રહ્યા હતા પરંતુ કોરોનાના એક ઝટકાએ જામનગરના સ્વાદપ્રિય લોકોના સ્વાદ અળગા કરી દીધા છે, આવા સ્વાદના શોખીનો ૨૧ દિવસનાlockdown પૂર્ણ થાય તેનો ઇંતેજાર કરી રહ્યા છે.
-જો કે જાણીતા હોય તો હોમડીલેવરીની સુવિધા ખાનગીમા…
આ તમામ બાબતો વચ્ચે જુના અને કાયમી ઘરાકને સાચવવા માટે અમુક લારી અને દુકાનવાળા પોતાના જોખમે આવા ઘરાક સચવાઈ જાય તે માટે ખાનગીમાં હોમડીલેવરી કરી આપે છે.