Mysamachar.in-જામનગર
તાજેતરમાં જ પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અધીકારી સુત્રેજા પાસેથી એ.સી.બી.એ બેહિસાબી રોકડ સોનુ વગેરે ઝડપી લીધા બાદ ઉદ્યોગ ક્ષેત્રને લગત સરકારી વિભાગોમાં ફફડાટ હોય તે સ્વાભાવિક છે કેમકે ઉદ્યોગ એવુ ક્ષેત્ર છે કે તેમાં કંઇ પણ નબળા પાસા શોધવા એ લગત વિભાગના કાબેલ અધીકારી માટે સહેલુ હોય છે અને ઝંઝટમાંથી છુટવા કારખાનેદાર સરળ રસ્તા અપનાવવા તૈયાર થઇ જાય છે,. આ રીતે લગત અમુક તપાસનીશ અધીકારી કે કર્મચારી માટે ઘણીવખત “લાભ” મેળવવો સહેલો થઇ જાય છે માટે આવા કર્મચારી કે અધીકારી જો પંકાયેલા હોય તો તેઓ આવી એસીબીની તપાસ લાગતા વળગતા વિભાગમાં થાય તો પોતે પણ એલર્ટ થઇ જતા હોય છે જરૂર પડ્યે ” કંઇક” સગેવગે પણ કરતા હોય છે
પરંતુ જે પારદર્શી અધીકારી હોય તે આવી કોઇ બાબતમાં પડ્યા વગર સાચી બાબત કે ધ્યાનમાં આવતી ખામીઓને વળગી જ રહે છે તેવા જ જામનગરની આસીસ્ટન્ટ ડાયરેક્ટર ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ ની કચેરીના અધીકારીઓ છે તેમણે મહાકાય ઉદ્યોગોમાં સેફટી પોઇન્ટ ખાસ કરીને કામદારોની સલામતીની બાબતને ખુબ ગંભીરતાથી લીધી છે તેમજ તેઓ દ્વારા ખુબ જાણીતા મહાકાય ઉદ્યોગોમાં કેટલા અકસ્માત થયા?? કેટલા જીવલેણ નીવડ્યા?? બાદમાં શું થયુ??
તે તમામ વિગતો જાહેર કરવા કટીબદ્ધ રહ્યાનું તેમણે ખુદે જ જણાવ્યુ છે તેમને કોઇ શેહ શરમ કે દબાણ ડગાવી શકે તેમ નથી તેવુ તારણ નીકળે છે આવા અધીકારીઓ નવાજવાને પાત્ર હોય છે તેમ પણ જાણકારો કહે છે જો કે અમુક શંકાશીલ કે ચબરાકો આવા મોટા વિભાગની કામગીરીનો વ્યાપ ખુબ મોટો હોવાથી તે વિભાગના અમુક અધીકારી કે કર્મચારીઓ સામે શંકાથી જોતા હોય અને ફેક્ટરી ઇન્સ્પેક્ટર કચેરી( આ વિભાગનુ જુનુ નામ)માં બધુ જ પારદર્શી ન હોય તેમજ ખુબ મોટા ઉદ્યોગોના તો દબાણમાં જ કામ કરતા હોય છે તેવા આક્ષેપ કરતા હોય છે.