Mysamachar.in-ભાવનગર:
ભાવનગર લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોનાં અધિકારીએ એસટી વિભાગનાં એક ઉચ્ચ અધિકારીને લાંચના ગુનામાં ઝડપી લીધા છે. આ અધિકારી ડિવિઝનલ કંટ્રોલર છે. આ મામલાની જાહેર થયેલી વિગતો એવી છે કે, એસીબીએ ભાવનગર એસટી વિભાગનાં ઉચ્ચ અધિકારી અશોક કેશવલાલ પરમારની લાંચના કેસમાં અટકાયત કરી છે. ભાવનગર-મહુવા રૂટ તથા પાલિતાણા રૂટ પર ખાનગી બસો દોડાવતાં સંચાલકોની બસો ચેક ન કરવાનાં અને આ સંચાલકોને એસટી તરફથી કોઈ પ્રકારની કનડગત ન કરવાનાં બદલામાં ભાવનગર એસટી વિભાગનાં ડિવિઝનલ કંટ્રોલર પરમાર દ્વારા લાંચની માંગણી કરવામાં આવી હતી.
એસટીના આ અધિકારી દર મહિને ટ્રાવેલ્સ ધંધાર્થીઓ પાસેથી 50,000 ની માંગ કરતાં હતાં. જે પ્રકરણમાં એસીબીમાં ફરિયાદ થતાં ડિવિઝનલ કંટ્રોલરને 50,000 ની લાંચ લેતાં રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે અને આ અધિકારીને ડીટેઈન કરી લેવામાં આવ્યા છે.