Mysamachar.in-જામનગર
સામાન્ય રીતે એવું હોય કે ચુંટણી હોય ત્યાં સુધી ઉમેદવારો રાતદિવસ જોયા વિના લોકો વચ્ચે ફરે અને જો ચુંટણી હારી કે જીતી ગયા બાદ પાંચ વર્ષ તમે કોણ અને અમે કોણ.? એવી વિચારસરણી અમુક જનપ્રતિનિધિઓ રાખતા હોય છે, (હા બધા સરખા નથી હોતા) પણ જામનગર શહેરના વોર્ડ નંબર 3 ની ભાજપની પેનલના ચુટાયેલા કોર્પોરેટરો સુભાષ જોશી, પરાગ પટેલ, અલ્કાબા જાડેજા અને પન્નાબેન મારફતિયા છેલ્લા કેટલાક દિવસોથી જે રીતે કોરોનાના કેસો વધી રહ્યા છે તેને લઈને લોકોને કઈ રીતે મદદરૂપ થઇ શકાય તે વોર્ડ નંબર 3ની ભાજપની ટીમ સાથે સતત કાર્યરત છે. જે બિરદાવવાપાત્ર એટલા માટે છે કે કેટલાય કોર્પોરેટરો ચુટાયા પછી તેના વિસ્તારના લોકોએ પણ હજુ સુધી તેને જોયા નથી….હા લોકો બહુ સમજુ હોય છે અને બધું યાદ રાખે છે,
કોરોના મહામારીને ફેલાતી અટકાવવાના વિવિધ કાર્યક્રમોના ભાગરૂપે વોર્ડ નંબર 3માં ભારત સરકારની ગાઈડલાઈન અનુસાર કોરોનાની વેક્સિન લેવા લોકોને જાગૃત કરવા માટે પંકજ સોસાયટી તથા નાલંદા સોસાયટી અને આસપાસના વિસ્તારોમાં પત્રિકા વિતરણ, તો વિસ્તારમાં આવેલ ફીજીયોથેરાપી કોલેજમાં ચાલી રહેલ વેક્સીનેશન પ્રોગ્રામમાં પણ હાજર રહી અને સાંસદ પૂનમબેન માડમ દ્વારા આપવમાં આવેલ કીટનું વિતરણ કરવામાં આવેલ હતું.
આ ઉપરાંત ગતસાંજે શહેરના હનુમાન ગેટ પોલીસચોકી પાસે શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરાની હાજરીમાં વોર્ડ નં 3 દ્વારા માસ્ક વિતરણનો કાર્યક્રમ યોજેલ હતો, અને લોકોને માસ્ક પહેરવા બાબતે સમજૂત કરી અને મોટી સંખ્યામાં માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું… આ તમામ લોકઉપયોગીકાર્યોમાં પૂર્વ મેયર દિનેશભાઇ પટેલ, વોર્ડ પ્રમુખ અશ્વિનભાઈ છાપીયા, મહામંત્રી નરેનભાઈ ગઢવી, વિક્રમસિંહ જાડેજા, સ્વરૂપબા જાડેજા, આઇ.જી.જાડેજા, રાજુભાઇ મહાદેવ, કિશોરભાઈ બુદ્ધદેવ, યુવા મોરચાના પ્રમુખ દર્શનભાઈ ત્રિવેદી, મહામંત્રી રિશીભાઈ ટાંક, પંકજભાઈ પટેલ, અદિત્યભાઈ ત્રિવેદી, તથા અન્ય કાર્યકર્તા મિત્રો પણ સતત સાથે રહે છે.