Mysamachar.in-ગાંધીનગર
જેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી તે સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓની આજે વિધિવત રીતે રાજ્ય ચુંટણી પંચ દ્વારા જાહેરાત કરી દેવામાં આવી છે, રાજ્યની 31 જીલ્લા પંચાયત, 6 મહાનગરપાલિકા, 231 તાલુકા પંચાયત અને 80 નગરપાલિકાની ચુંટણીની આજે સતાવાર જાહેરાત રાજ્ય ચુંટણીપંચ દ્વારા કરવામાં આવી જે મુજબ…સ્થાનિક સ્વરાજની ચુંટણી બે તબક્કાઓમાં યોજાશે સ્થાનિક સ્વરાજ સંસ્થાની ચૂંટણીનું એલાન થયું તેમાં 21મી ફેબ્રુઆરીએ 6 મહાનગરપાલિકાની ચૂંટણી અને 81 નગરપાલિકાની ચૂંટણી સાથે યોજાશે, જયારે 28 ફેબ્રુઆરીએ 31 જિલ્લા પંચાયતની ચૂંટણી જયારે 231 તાલુકા પંચાયતની ચૂંટણી પણ યોજાશે, તો ચુંટણીની જાહેરાત થતા આજથી રાજ્યમાં આચરસંહિતાનો અમલ શરૂ થઇ ચુક્યો છે, 23 ફેબ્રુઆરીએ મનપાની મતગણતરી થશે.જયારે જીલ્લા પંચાયત તાલુકા પંચાયત અને નગરપાલિકાની મત ગણતરી 2 માર્ચના રોજ યોજાશે
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજ્ય ચૂંટણીપંચ દ્વારા તમામ જિલ્લા કલેકટરો સાથે વીડિયો-કોન્ફરન્સના માધ્યમથી સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી, સાથે સાથે સરકારના અલગ અલગ વિભાગો સાથે પણ ચૂંટણીપંચે બેઠકો કરી છે, જેમાં કોરોના સંક્રમણ વચ્ચે ચૂંટણી યોજવાની થતી હોવાથી મતદાન મથકોએ ચૂંટણી સ્ટાફ પોલીસને ફેસશીલ્ડથી માંડીને સેનિટાઇઝર આપવામાં આવશે. મતદાન મથકોમાં મતદારો માટે સેનિટાઇઝરની વ્યવસ્થા ગોઠવવામાં આવશે, જેને પગલે સેનિટાઇઝર અને માસ્કની જરૂરિયાત જેવી બાબતો પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત આરોગ્ય વિભાગ અને ગૃહ વિભાગ સાથે પણ ચૂંટણીપંચ દ્વારા બેઠક કરીને ચૂંટણી અંગેની સમીક્ષા કરવામાં આવી હતી.