Mysamachar.in-ગુજરાત
ગુજરાતભરમા કોરોના ભરડો લઇ ગયો છે અને જે રીતે સુફીયાણી વાતો થાય છે કે દવાઇ ભી કઢાઇ ભી…..તો મારા સાહેબ ગુજરાતમા 8 વિધાનસભાની પેટા ચુંટણી થઇ પછી કોર્પોરેશન સુધરાઇ જિલ્લાને તાલુકાઓની ચુંટણીના તાલ માલને તાસીરા થયા ત્યારે આ “કઢાઇ” ક્યા હતી.? નિષ્ણાંતોમા થઇ રહેલી ચર્ચા મુજબ ચુંટણી વખતે કોરોના નાબુદ નહોતો થયો અને એક વિપક્ષી નેતાએ તો કટાક્ષ કરેલો કે ગોઠવાણુ નથી માટે 8 વિધાનસભાની પેટા ચુંટણી કરી કોર્પોરેશન પંચાયત ચુંટણીનો ખેલ થોડો સમય પાછો ઠેલ્યો હતો તો એક વિપક્ષી નેતાએ ટોણો મારેલો કે કોરોના બે પ્રકારના હોય વિધાનસભા ચુંટણીમા ન નડે કોર્પોરેશન પંચાયત ચુંટણીમા નડે છે.
નિષ્ણાંતોની ટીકામા આગળ વધીએ તો કોર્પોરેશન સુધરાઇ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ચુંટણીઓમા ગામો ગામ સભા થઇ તે પહેલા ખેડુત સંમેલનો થયા તેમજ ચુંટણીમા જમણવાર નાસ્તાની જ્યાફત થઇ ટોળાશાહી ગીરદી રેલી સભા રોડશો છેક ત્યા સુધી કે વિજય ઉત્સવએ દરેક બાબતમા લોકો ખુબ એકઠા થયા આમ તો થવા દીધા અને કોર્ટે ટકોર કરી પણ હતી, ઉપરાંત નિષ્ણાંતોએ આગળ જણાવ્યુ કે કોરોના સાવ ગયો ન હતો તો આવી ગીરદીઓ શા માટે કરી.? ઉપરથી તંત્ર સલાહ આપે જાહેરાત આપે દંડ કરે માસ્કના ડીસ્ટન્સના ગીરદીના કાર્યક્રમના…પરંતુ રાજકીય મીટીંગો રાત દિ…છાની અને જાહેર આખા ગુજરાતમા માસ્ક વગર સેનેટાઇઝેશન વગર ડિસ્ટન્સ વગર મળતી જ હતી તે સૌ જાણે છે.
અને ભાવતા ભોજનીયા પણ જરૂરી પ્રવાહી સાથે પીરસાતાતા એ બધુ જ કોરોનાને આમંત્રણ આપતુ વરવુ ચિત્ર હતુ અને ચુંટણીઓ જીતવીતી તે જ લક્ષ્ય હતુ તો ચુંટણીઓ જીતી ટાઢો કોઠો કરી બેસી ગયા ત્યા તેમના સ્નેહી જેવા કોરોના વાયરસ ઉછળ્યાને દોડતા કર્યાને દોડે છે ય દિશા વગરના તેવી ટીકા જાણકારો કરે છે હવે એ બધુ જ થયુ છતુ કેમકે ત્યારે રાજકીય રીતે કોરોના દબાવ્યો તેમ જણાવી જાણકારોએ ઉમેર્યુ કે હવે જબર પલટો મારતા નેતાઓના પગ તળે રેલો આવતા માંડ્યા ઘાંઘા થઇ ગામે ગામ જઇ વચનોની લાણી કરવા તેમજ તંત્રને સુચનાઓ આપે છે,
-ચુંટણીના તાલમાલ તાસીરા કરી કોરોનાને નોતર્યો હવે કલેક્ટરને કમીશનર આમ કરશે તેમ કરશેની IAS ને સુફીયાણી સલાહ દો છો??
નિષ્ણાંતોએ જણાવ્યુ છે કે ચુંટણીમા લોકો એકઠા કર્યા નેતાઓએ હવે કોરોનાનો ફુફાડો નહી અજગરી ભરડો આવ્યો તો કલેક્ટર સહિત વહીવટી તંત્ર આમ કરે પોલીસ આમ કરે શિક્ષકો આમ કરે કોર્પોરેશન તેમ કરે લોકો આમ કરે પંચાયત આમ કરે આરોગ્ય આ રીતે કામ કરે તેવી તો કેટલીય સુચનાઓ આપી પાવર વગરની હાઇપાવર બેઠક કરીને સાધન સ્ટાફ વગરના તંત્રોને કુવામા ઉતારી દોરડુ કાપી નેતાઓ કહે છે કે હવે કોરોનામાથી સૌને બચાવો પરંતુ મારા સંવેદનશીલ ભાઇ અને મારા ટાઢા ટબુકડા ભાઇ તમે સ્ટાફ અને તે પણ ટેમ્પરરી હવે ભરો છો શરમ નથી આવતી??
તમને ખબર ન હતી મુળ મહેકમ 50 ટકા ખાલી છે?? ઓક્સીજન નથી દવા નથી બેડ નથી હવે કુવા ખોદો છો તો તંત્ર પાસે જાદુ છે?? ઇ બધુ લાવશે ક્યાથી?? અને રસી રસી શુ કરો છો?? રોડ ઉપર દર્દી બેઠા છે કણસે છે તેને સારવાર અપાવો તો ગતિશીલ ગુજરાત કહેવાય આ મામલે રાજ્ય બોલકા નેતાઓ ક્યા ગયા?? ઘરમા ઘુસી ગયા?? તમે તાલમાલ ને તાસીરા કરી કોરોના લાવી ને આ બેલ મુઝે માર જેમ સામેથી સ્થિતિ કરી હવે તંત્રને કહો છો કે કમીશનર કલેક્ટર ડીડીઓ ડીએસપી વગેરે આમ કરશે મારા સાયબ ઇ લોકો એડમીનીસ્ટ્રેશન ભણેલા છે.
તમે ચુંટણી તાયફા કરી ગુજરાતની દશા દઇ દીધી હવે તો શરમાવો અને સુફીયાણી વાતો કરી દરમા ભરાય જવાના બદલે સંગઠન તમામને કહો સેવામા લાગી જાય માનવ સેવા કરો ભોજનશાળા ખોલો મોટા મોટા દબાવેલા સ્થળોએ ખાટલા રાખો ખાનગી ડોક્ટરોને પણ કોરોના કેર માટે પ્રોત્સાહન આપો દવા પુરી અપાવો ઓક્સીજન અપાવો લોકો પાસે જાવ માત્ર ઇન્ટરવ્યુ ન આપો દર્દી દેવો ભવ સાર્થક કરો ને નાટક બંધ કરી ઝડપથી દવાખાનાઓમા ઘટતી સુવિધાઓ આપો તો નિર્ણાયક કહેવાશો.
-હા વિપક્ષમાં પણ કાઈ કાઢી લેવાનું નથી
માત્ર દેખાવા પુરતા વિરોધ કરતા જામનગર સહીત ગુજરાતના વિપક્ષમાં પણ કાઈ કાઢી લેવાનું નથી,..આટઆટલી મહામારી વચ્ચે સરકારને ભીસમાં લેવાને બદલે, પક્ષ દ્વારા દર્દીઓના હિતમાં કઈક કરવાને બદલે કરારી હારનો સામનો સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં થયા બાદ વિપક્ષ ને પણ કાઈ બહુ રસ હોય તેવું લાગતું નથી, હા કરવા ખાતર કઈક ફોટો પડાવવા કરે તો ઠીક છે બાકી તો.. પાછી ચુંટણી આવશે ત્યારે જોશું..!