Mysamachar.in-જામનગર:રવિ બુદ્ધદેવ
જામનગરની સરકારી ડેન્ટલ કોલેજના આમ તો પ્રોફેસર પરંતુ પોતાને જવાબદાર ગણાવતા ડોક્ટર પ્રોફેસર એન્ડ હેડ ના બેવડા વલણ 24 જ કલાકમાં ખુલ્લા પડી ગયા છે, ફુટી નીકળેલા વિચિત્ર પ્રકારના માધ્યમ પાસે જઇ શરણુ લીધુ છતા માફી તો માંગવી જ પડી…..!!!
સમગ્ર રાષ્ટ્રમા જ્યારે કોરોનાનો ફફડાટ છે, ત્યારે કોઇ શૈક્ષણીક સંસ્થામાં ખાસ કરીને તબીબી શિક્ષણના વિદ્યાર્થીઓને હાઇજીનીક વાતાવરણ હોવુ જોઇએ તેની સામે જામનગરની આ સરકારી ડેન્ટલ કોલેજની હોસ્ટેલમાં પુરતા ટોયલેટ પુરતા પાણી વગેરે નથી તે સહિતના અત્યંત મહત્વના મુદે એનએસયુઆઇ અને યુવક કોંગ્રેસે વિદ્યાર્થીઓના હિતમાં ધરણા કરવાનુ આયોજન કરી ડેન્ટલ કોલેજમાં મહિલા પ્રોફેસર ડો.નયનાબેન પટેલ દ્વારા “હીટલરશાહી” આચરવામાં આવે છે. તેવા ધારદાર નિવેદન આક્ષેપો કાગળ પર કર્યા હતા, જે તમામ બાબતો બિરદાવવા લાયક છે અને અભિનંદનને પાત્ર છે નહિ તો વિદ્યાર્થીઓની અનેક મુશ્કેલીઓમાંથી આ જુજ મુશ્કેલી બહાર આવી શકી તે આવી શકી ન હોત,.(હા જો કે એવું પહેલીવાર થયું હશે કે કોઈએ માફી માંગી હોય અને વિધાર્થી સંગઠનો પાણીમાં બેસી ગયા હોય…)
પરંતુ ખરી ગંભીરતા પારખી આ વિશ્વસનીય ન્યુઝ પોર્ટલમા અપલોડ થયેલા ન્યુઝ અને તેના મુદાઓથી બેબાકળા થયેલા કહેવાતા જવાબદાર અહી તહી બધે પહેલા તો અથડાયા અને “અહો રૂપમ અહો ધ્વની” મોટા ઉપાડે આ ન્યૂઝ પોર્ટલની અસરકારકતા અને ફેલાઇ રહેલા ટીકાત્મક નહી પરંતુ સાચા વિરોધના ન્યુઝને આડા હાથ ન દઇ શકતા એવું વિચાર્યું હશે કે ગમે તે મામલો હોય પહેલા તો માફી માંગી લઇએ( કદાચ જેને વિગતો બહાર પાડી હોય તેનો ડાયરેક્ટ કે ઇન્ડાયરેક્ટ વારો કાઢવાની બાબતને મનમાં ગાંઠ વાળી રાખી હોય પણ ) અને હાલ પુરતો એક તરફનો એટલે કે બહારનો વિરોધ શાંત પાડીએ તેમ વિચારી આમ તો પરિસ્થિતિની ગંભીરતા જોતા વિદ્યાર્થી સંગઠનોની માફી માંગવી પડી એટલે કે વિદ્યાર્થીઓને કંઇ તકલીફ થઇ હોય તો દીલગીરી વ્યક્ત કરૂ છુ…. તેમ જણાવ્યુ તેને સાદી ભાષામા માફી માંગી કહેવાય અને પરીક્ષાની તરફેણ ના મેસેજ મંગાવવાની બાબતે પારોઠના પગલા જ કહેવાય..
બીજી તરફ વિદ્યાર્થીઓના હિતનો વિચાર કર્યો છે તેવુ આ ડો.નયનાબેન પટેલ જણાવે છે તો એક પડકાર ફેંકવાનુ અનેક જાણકારોએ જણાવ્યુ છે કે તેને એટલે કે તેણી ને કહો કે તમામ વિદ્યાર્થીઓ અને તમામ સ્ટાફને એકદમ ફ્રી એન્ડ ફેર એટલે મુક્ત અને ન્યાયી માહોલ આપી જે તકલીફ હોય જે દબાણ હોય( સીધુ કે આડકતરૂ) જે માનસીક ત્રાસ પ્રકારનો માહોલ હોય જે તુમાખી ભર્યો માહોલ હોય વાર્તાલાપ હોય અને આવુ ઘણુ બધુ હોય તે મુક્ત મનથી મોકળાશથી અને કોઇને કંઇ પનીશમેન્ટ નહી કરવાની ગેરંટી સાથે બોલવાની તક આપો તેની મીનીટસ બનાવો બધુ રેકર્ડ ઉપર લો તો મારી બેન ખબર પડે કે હિત શુ અને અહિત શું..
આપણે સતા ભૂખમાં સંસ્થાઓના હોદાની ભુખમા સરકાર અને યુનિવર્સિટીમા આપણુ જ સાચુ જાળવી રાખવામાં વ્યસ્ત હોઇએ કોઇને કોઇ મુશ્કેલી તકલીફ રજુઆતો રજુ કરવા તક આપી ન હોય તો બહારની સંસ્થાઓએ રૂચી દાખવવી પડે ને? દિલગીરી વ્યક્ત કરી તેવુ જ કુણુ રેશમી વલણ સ્ટાફ અને વિદ્યાર્થીઓ સાથે કાયમ જાળવો મારી બેન આપણે કોલેજના માલીક નથી રખેવાળ છીએ તે યાદ રાખો..
જામનગરએ તબીબી શિક્ષણનું ધામ છે એ ધ્યાને લઇ ગરિમા જાળવીને આ અહેવાલમાં પ્રત્યાઘાત નહી પુર્તતાનો પ્રયત્ન છે તેના ઉપરથી જાણી લેવુ જરૂરી છે કે શૈક્ષણીક સંસ્થામાં બધુ યોગ્ય ચાલે ત્યા સુધી વાંધો નથી પરંતુ જો છિંડા હશે ભોપાળા હશે તો તેને ખુલ્લા પાડી જોરદાર ટીકા કરતા આ માધ્યમ જરા પણ ખચકાટ અનુભવતુ નથી અને અનુભવશે પણ નહિ…માટે કોઇનો “સહારો” બચાવ કરવા માટે લેવો હોય તો લઇ શકાય બાદમાં પરિણામ શુ આવે તે પણ સલાહકારો પાસેથી જાણી લેવુ જરૂરી છે.
કેમ કે બેન આપણી નોકરી સરકારી છે…જેમાં જવાબદારી ઘણી છે….મર્યાદા ખુબ છે ત્યારે આપણને ડીન કે ઇન્ચાર્જ ડીન કહેવડાવવુ ગમતુ હોય તો શોભે નહી અને ખરા ડીન છે તેમને સાચી વાતો ન જણાવો તો કહી નહી પરંતુ અધુરી વિગતો જુદી જુદી રીતે પહોંચાડવાનુ બંધ કરો તેમ પણ સલાહ આપવાનુ સ્ટાફના સુત્રો પાસેથી મળતી વિગતોના આધારે યોગ્ય લાગે છે તેમા તમારૂ હિત છે ક્યારેક એવુ થઇ જતુ હોય કે આપણુ હિત જોવામા આપણે બીજાના હિત નેવે મુકાય જતા હોય તેમજ આપણે અત્યાર સુધી જામનગર બહાર જવામા કાગળ ઉપર કે વાસ્તવિક રીતે બચતા આવ્યા હોઇએ પરંતુ દર વખતે ન પણ બચી શકીએ,.
માટે સુફીયાણી વાતો કરવાને અને લખવાના બદલે અમલમાં મુકો આટલા સિનિયર કર્મચારીએ દિલગીરી વ્યક્ત કરી અને તે પણ લેખીતમાં તે તો એક મહત્વનુ ડોક્યુમેન્ટ બની ગયુ છે તેની ચિંતા કરો અને હંમેશા જાગૃત વિદ્યાર્થી સંસ્થા અને યુવા નેતાઓની વાત વ્યાજબી હતી માટે લેખીત આપવુ પડ્યુ છે,. તેમા તમારી કોઇ મહાનતા સાબિત નથી થઇ માટે… મારા બેન હવે સંસ્થામા ધ્યાન પરોવી કોઇ બાત બહાર ન જાય તે માટે નહી પરંતુ ખરેખર કંઇ એવુ બને જ નહી કે બહાર વાત જાય તો ચિંતા નહી પ્રશષ્તિ થવાની ધરપત રહે તેટલી હદે કાળજી લો તે સૌના હિતમા છે,. નહિ તો આ બાબત હાલ પુરતી અટકી છે ગમે ત્યારે ઉછળી શકે પડઘા પડી શકે આપણે ત્યારે આથીય વધુ વિનમ્રતાથી દીલગીરી વ્યક્ત કરવી પડે માટે એવુ કંઇ થતુ ટાળવા સંસ્થાના સૌના હિતમા કાર્યરત રહો અને ડેન્ટલ હોસ્પીટલની અનેક સારી બાબતો પણ છે તેમ કોલેજ હોસ્ટેલ બાબતે પણ કોઇ સાચા વખાણ કરી શકે તેની તક આપવા ચિંતન કરો સક્ષમ અને પરિપક્વ તેમજ નિવડેલાની સલાહ લેતા રહેશો તો એક જ દિવસમા બેવડા વલણ નહી દાખવવા પડે