Mysamachar.in-જામનગર
હાલમાં કોરોના મહામારી દિવસે ને દિવસે કાળમુખી બની રહી છે, એવામાં સરકાર પણ વારંવાર સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમોના પાલન માટે આગ્રહ કરી રહી છે, બિનજરૂરી લોકો બહાર ના નીકળે તે માટે અપીલ કરી રહી છે, છતાં કોઈ સીધા જ નિયંત્રણો ના હોવાને કારણે કેટલાક ટ્યુશન સંચાલકો તેનો ગેરલાભ લઇ રહ્યા છે જામનગર શહેરમાં પણ આવા બે ટ્યુશન ક્લાસ બાદ જામનગર નજીક સિક્કા પંચવટી કોલોનીમા જાહેરનામું અમલમાં હોવા છતાં ટ્યુશન ક્લાસ ચલાવી માસ્ક નહીં પહેરી તેમજ સોશિયલ ડિસ્ટન્સનું પાલન નહીં કરીને નિયમનો ભંગ કરવા સબબ બે શિક્ષક સામે પોલીસે ગુન્હો નોંધ્યો છે,
સિક્કા ગામમાં દરગાહ પાછળ રહેતા શિક્ષક આશિષપુરી હંસરાજપુરી ગોસ્વામી અને સિક્કાની શ્રીજી સોસાયટી વિસ્તારમાં આવેલ તિરૂપતિ પાર્ક કોલોની પાસે રહેતા શિક્ષક મિલન ત્રિભુવનભાઈ ચૌહાણ આ બંને સિક્કાની પંચવટી કોલોની ભગવતી રોડ પર પોતાના ઓમ ક્લાસીસ નામનું ટ્યુશન ક્લાસ ચલાવીને વિદ્યાર્થીઓને બોલાવી અરસ-પરસ બેઠાડી મોઢે માસ્ક બાંધ્યા વગર તેમજ કોરોના વાયરસનો ફેલાવો થઇ શકે તેવી બેદરકારી દાખવી સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કર્યો હતો તેમજ સક્ષમ અધિકારીની મંજૂરી વગર ખુલ્લું રાખીને જાહેરનામાનો ભંગ કર્યો હતો. આથી સિક્કા પોલીસદ્વારા આશિષપુરી અને મિલન નામના બે શિક્ષકો વિરૂધ્ધ આઈપીસી કલમ 269, 188 તથા ધ એપિડેમિક ડિસીઝ એકટ 1897 ની કલમ તેમજ ગુજરાત એપિડેમિક રેગ્યુલેશન 2020 ની કલમ મુજબ ગુન્હો નોંધી કાર્યવાહી કરી હતી.