Mysamachar.in-જામનગર:
જામનગરમાં હાલમાં જ્યાં જુઓ ત્યાં રખડતા શ્વાન એટલે કે કુતરાનો ત્રાસ એટલી હદે વધી ગયો છે કે ના પૂછો વાત…જેની વસ્તી નિયંત્રણ માટે મનપાએ પગલા લેવાનું ૨૦૧૬ પછી બંધ કરી દીધું છે, હાલ કોઈ એન.જી.ઓ આ અંગે કાર્યવાહી કરી રહ્યાનું જાણવા મળે છે, ત્યારે જામનગર શહેર અને જીલ્લામાં રખડતા શ્વાનનો ત્રાસ એટલી હદે વધી ગયો છે કે જામનગર નજીકના એક ગામમાં તાજેતરમાંજ વૃદ્ધાને પણ શ્વાનોએ કરડી ખાતા તેનું મોત નીપજ્યાનું જાહેર થયું હતું, એવામાં જો કુતરું કરડયા બાદ તેની સમયસર સારવાર લેવામાં ના આવે તો માણસનું મોત પણ નીપજી શકે છે, ત્યારે જામનગર જી.જી.હોસ્પીટલમાં જ જામનગર શહેર અને જીલ્લામાં કુતરા કરડીને ઇન્જેક્શન લેવા માટે આવનાર દર્દીઓના જે આંકડાઓ સામે આવ્યા છે, તે ખુબ ચોંકાવનાર છે,
જામનગર જી.જી.હોસ્પીટલના નિવાસી તબીબી અધિકારી ડો.પંચાસરા એ માહિતી આપતા કહ્યું હતું કે જામનગર શહેર અને જીલ્લામાં થી મળીને દરરોજના ૨૦ કેસ નવા કુતરા કરડવાના આવે છે, એટલે કે મહિનાના આવા કેસોની સંખ્યા ૬૦૦ કે તેથી વધુ એ પણ અમુક વખતે પહોચી જાય છે, આ સંખ્યા માત્ર પહેલીવાર આવનાર દર્દીની છે, એક વર્ષ દરમિયાન માત્ર જી.જી.હોસ્પીટલમાં કુતરા કરડવાના ૧૮ હજારથી માંડીને ૨૫ હજાર સુધીના કેસતો માત્ર જી.જી.હોસ્પીટલમાં આવતા હોવાનો ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે, જો કે તેવોએ વધુમાં ઉમેર્યું કે હડકવાના કેસમાં છેલ્લા કેટલાય સમયથી નોંધપાત્ર ઘટાડો થયો છે, માટે લોકોએ શ્વાન કરડતાની સાથે જ યોગ્ય સારવાર લઇ અને બચવાના યોગ્ય ઉપાય કરવા જોઈએ.