Mysamachar.in-જામનગર:
હાલમાં જામનગર શહેરમાં કેટલાય સ્થળોએ સ્વચ્છતા માટેના રૂપકડા બોર્ડ તો લાગેલા જોવા મળશે, જેમાં વિવિધ સુત્રો સાથે અપીલ કરવામાં આવી છે, કે શહેરીજનો સ્વચ્છતા માટે સહકાર આપે…વાત યોગ્ય છે અને શહેરીજનોએ પણ શહેર સ્વચ્છ રહે તે માટે પુરતી તકેદારી રાખવી જોઈએ…પણ શહેરીજનોને મન સવાલો એવા પણ થાય કે શું દરરોજ સફાઈ દરેક વોર્ડમાં દરેક શેર્રીમાં થાય છે, શું દરરોજ ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનું વાહન કચરો લેવા માટે પહોચે છે, શું દરેક પોઈન્ટ રોજ સાફ થાય છે..? માની લઇએ કે આ બધું શક્ય ના બને પણ વર્ષે કરોડોનું માત્ર સફાઈ પાછળ આંધળ મનપા કરે છે તો તેની ફલશ્રુતિ કમસે કામ ૬૦% તો મળવી જોઈએ પણ કેવી સ્થિતિ છે, તે ગામ આખું જાણે છે….
શહેરમાં સ્વચ્છતાના નામે મીંડુ હોવાની અનેક ફરિયાદો છતાં આ બાબતે તંત્ર ગંભીરતા દાખવતુ ન હોય જનઆરોગ્ય અને પર્યાવરણ ઉપર ખતરો સતત તોળાય છે, જેના લોકો ભોગ બની રહ્યા છે. એક બજેટમાં દર્શાવ્યા મુજબ કચરા એકઠા કરવામાં રોજના અંદાજે ૩ લાખ અને દર મહીને રૂપિયા 90 લાખ રૂપિયા ખર્ચે છે માટે દરરોજના રૂપિયા ત્રણ લાખનો જાણે કચરો થઇ જાય છે, તેમ છતાં સો ટકા સફાઇ તો થતી જ નથી.,આ ઉપરાંત પણ કુલ શહેરની હદ દિશાઓ વધતા જુદા જુદા વેસ્ટેજના પ્રકારો મળીને 300 ટન સોલીડવેસ્ટ (અને દરેક વેસ્ટ) કચરો ઉત્પન્ન થાય જ છે આ જથ્થો વધવામાં હોય છે, ઘટવામાં ન હોય તે તો સ્વાભાવીક જ છે ત્યારે તંત્ર એવી સુફીયાણી વાતો કરે છે કે …..
દરરોજ કચરો એકઠો કરવા માટે વોર્ડ વાઇઝ વ્યવસ્થા કરવામાં આવી છે અને મીનીટીપર, ટ્રેકટર, છકડા રીક્ષા, ટેમ્પા અને અન્ય વાહનો દ્વારા કચરો એકઠો કરવામાં આવે છે તેનો નીકાલ ડમ્પીંગ સાઇટ ઉપર કરવામાં આવે છે. ઉપરાંત દરેક ફરિયાદો ઉપર પુરતુ ઘ્યાન આપવામાં આવે છે, જરૂર મુજબના વિસ્તારોમાં બે વખત સફાઇ કરવામાં આવે છે, કચરા એકઠા કર્યા બાદ તેને ઉપાડવાની નિયમીત વ્યવસ્થા છે, દરેક કચરા પેટી ભરેલી ન પડી રહે તે માટે તેના ખાસ વાન સતત દોડતા રહે છે અને કચરા પેટીઓ ખાલી કરવામાં આવે છે, દરેક સફાઇ કામગીરીના મોનીટરીંગ નિયમીત કરવામાં આવે છે આવી અનેક સુફીયાણી પોતાની સેઇફ સાઇડની વાતો તંત્ર કરે છે પરંતુ તેની સામે વાસ્તવીકતા ખરેખર અધિકારીઓ પણ જાણે છે.