Mysamachar.in-
જામનગર જીલ્લા જેલ અવારનવાર ચર્ચાઓમાં આવતી રહી છે અને જીલ્લા વધુ એક વખત ચર્ચાઓમાં આવી છે, આ વખતે જેલ ચર્ચામાં આવવાનું કારણ છે અંદરથી પ્રતિબંધિત મોબાઈલ મળી આવવા…જામનગર જીલ્લા જેલ કે મોબાઈલની દુકાન તે સવાલ ત્યારે થાય જયારે જેલમાંથી ચેકિંગ દરમિયાન એક બે નહિ પરંતુ ચાર…ચાર મોબાઈલ એકીસાથે મળી આવે..જો કે જેલ પ્રસાશને આ અંગે સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી છે પણ ખરેખર અંદર મોબાઈલ પહોચાડવા પાછળ કોની સંડોવણી તે ખુલે તો સમગ્ર રેકેટનો પર્દાફાશ થાય તેમ છે.
જામનગર જીલ્લા જેલના ઇન્ચાર્જ અધિક્ષક નીરુભા ઝાલાએ એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદ મુજબ તે તેમજ જેલના સ્ટાફ દ્વારા જેલની ઝડતી તપાસણી દરમ્યાન બાથરૂમના પગથીયા નીચે 2 મોબાઇલ સંદીપ શાંતારામ શીંદે, અર્જુન ઉર્ફે લાલો રમેશભાઇ રાઠોડ તથા એક મોબાઇલ ફોન હુશેન વલીમામદ સુમરાણીના બીસ્તરમાંથી તથા એક મોબાઇલ ફોન સન્ની શામજીભાઇ ઝાલાના થેલામાંથી ચાલુ હાલતમાં મળી આવેલ જે જેલ પ્રતીબંધીત વસ્તુ ગણી કબજે કરી ગુન્હો ઇપીકો કલમ 188 તથા પ્રીઝન એક્ટની કલમ 42, 43, 45 ની પેટા કલમ 12 મુજબ ગુન્હો નોંધાવેલ છે.