Mysamachar.in-જામનગર:
કહેવાય છે કે સરકારી બાબુઓ સરકાર પાસેથી જ પગાર લઇ અને સરકારને જ આર્થિક ફટકો પડે તેવું કામ કરે તો તેને જેનું ખાઈ છે તેની સાથે જ ગદારી કરી કહેવાય..પણ જામનગરના ગુજરાત મેરીટાઈમ બોર્ડના કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા કથિત ચોક્કસ મિલાપીપણું કરી અને સરકારને કથિત આર્થિક નુકશાન પહોચાડવામાં આવ્યાની રજૂઆત પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી, અને એન્ટી કરપ્શન બ્યુરોને થતા ખળભળાટ મચી જવા પામ્યો છે, જામનગરમાં વસવાટ કરતા અને પોર્ટ એક્ટીવીટી વિષે જાણતા અરજદાર અને જાગૃત નાગરિક દ્વારા કરાયેલ રજુઆતના આગામી દિવસોમાં ઘેર પડઘા પડે તેવી શક્યતાઓ જાણકારો વ્યક્ત કરે છે.
રજુઆતમાં જણાવવામાં આવ્યું છે કે જામનગર ગુજરાત મેરીટાઈમ બોર્ડના પોર્ટ ઓફીસરો દ્વારા સિકકા GSFCની જેટ્ટી ઉપર ભાડાની ટગ દ્વારા સતાનો દુરુપયોગ કરી કરોડોની રકમનો કથિત ભ્રષ્ટાચાર કરી તેટલી જ ૨કમનો ગુજરાત સરકારને નુકશાન કરવા અંગે તપાસ યોજવા અને તપાસમાં જો કસુરવાર ઠરી આવે તો કાયદાકીય કાર્યવાહી કરવા માંગ કરાઈ છે, જામનગર બેડી પોર્ટ તથા સિકકા GSFCની જેટ્ટીથી વાકેફ જાગૃત નાગરિક દ્વારા માહિતી મળેવી જેટ્ટીના મુખ્ય જવાબદાર જામનગરના પોર્ટ ઓફિસર હોવાનું તેવોનું માનવું છે, આ પોર્ટ ઓફીસરો દ્વારા અધુરી માહિતી આપી ઈરાદાપૂર્વક સરકારને નુકશાન કરેલ અને પોતાની સતાનો દુરુપયોગ કરી પોતે અંગત આર્થિક લાભ લીધેલ હોવાથી સાચી માહિતી અરજદારને આપવામાં આવેલ નથી તેવું ફલિત થાય છે, જે હકીકત ભ્રષ્ટાચાર કરેલનો એક પ્રાથમિક પુરાવો છે જે અરજદાર દ્વારા તપાસ દરમ્યાન રજુ કરવાની ખાતરી દર્શાવવામાં આવી છે,
2012ના વર્ષથી અત્યાર સુધીના એટલે કે છેલ્લા વર્ષો દરમિયાન ગુજરાત મેરીટાઈમ બોર્ડને સરકારી ટગ ફાળવવામાં આવેલ છે અને આ ટગ દ્વારા જરૂરી કામગીરી કરવાની હોય છે. તેમાં બર્થીગ અને અનબર્થીગની કામગીરી કરવાની હોય છે. પરંતુ તા. 01-04-2012 થી સરકારી બન્ને ટગ જે રીતે અરજદારનો આક્ષેપ છે તે પ્રમાણે કોઈપણ કારણસર કોઈપણ ખામી કરી અથવા ખામી ઉભી કરી બન્ને ટગ બંધ હાલતમાં રાખી મૂકી તેના બદલામાં ખાનગી માલીકીની ટગનો ઉપયોગ પડદા પાછળ રહીને ઉપયોગ કરાવીને આ ટગ અનધીકૃત અને કોઈ પણ જાતની સરકારી નિયમો વગર સલામતીના અધિકૃત કરાવ્યા વગર અસલામતી રીતે ઉપરોક્ત ખાનગી ટગ દ્વારા સિકકાની GSFC જેટ્ટી ઉપર વિદેશી જહાજોનું બર્થીગ અને અનબર્થીગની કામગીરી કરાવી તેના અઢળક ૨કમના બીલ ખાનગી ટગ માલીકોને મીઠી નજરથી લાભ અપાવી તેમાંથી પોતાનો અંગત ફાયદો ખાનગી રીતે ટગ માલીકો પાસેથી મેળવેલ હોવાનો કથિત આક્ષેપ આ અરજીમાં કરવામાં આવ્યો છે,
અરજદાર દ્વારા માંગવામાં આવેલ માહિતીમાં સરકારને એટલે કે ગુજરાત મેરીટાઈમ બોર્ડનું કેટલું નુકશાન આવકમાં થયેલ છે તેના જવાબમાં-NIL આપેલ છે. પરંતુ સરકાર તરફથી ફાળવવામાં આવેલ ટગ પીરોટન (વર્ષ-2015 ની બનાવટ) અને ગુર્જરી (વર્ષ-2000 ની બનાવટ) નામની ટગ છે તેને રીપેરીંગ કરાવીને ચાલુ રાખેલ હોત તો જે ખાનગી ટગના માલિકને જેટલી ૨કમ મળેલ છે તે સરકાર અથવા ગુજરાત મેરીટાઈમ બોર્ડ મળી શક્ત તેના બદલે ઈરાદાપૂર્વક સરકારી બન્ને ટગ બંધ હાલતમાં રાખી સરકારનું જ નુકશાન કરી પોતાનો અંગત લાભ પોતાની રાજય સરકારના હોદ્દાનો દુરુપયોગ કરી લાભ મેળવેલ છે.
અરજદારના પોતાના અભ્યાસ મુજબ ગુજરાત મેરીટાઈમ બોર્ડને તા.01-04-2012 થી તા.01-05-2012 સુધી એટલે કે એક મહિનામાં જ ઓછી આવક ગણી ચાર જહાજોને બર્થીગ અનબર્થીગની ટગ હાયરના ચાર્જીસ અમેરીકન ડોલરમાં એક ટગના 660 અમેરીકન ડોલર વસુલવાના હોય એવા ચાર ટગના 2640 અમેરીકન ડોલર લેવાના ચાર્જીસ થાય. જે એકસચેન્જ રેટ મુબજ જી. એસ. ટી. ટેકસ સાથે ગણીએ તો ભારતીય ચલણ મુજબ રૂા.9,09,639-00 ની ૨કમ થવા જાય છે માતબર રકમની આવક થાયે આ ૨કમની આવક સરકાર માટે નહીં કરી પોતાની મનસ્વી પણે અને પોતાના હોદ્દાનો દુરુપયોગ ઈરાદાપૂર્વક સરકારી ટગ નો ઉપયોગ ન કરી નુકશાન કરાવેલ છે જે હકીકતે અંદાજીત છે. ખાનગી ટગ માલીકોને શીપીંગના કાયદા મુજબ આંતરરાષ્ટ્રીય મેરીટાઈમ બોર્ડ ઓર્ગેનાઈઝેશનના નિયમો મુજબ અને ડાયરેકટર જનરલ ઓફ શીપીંગના અધિકૃત નોટીકલ એડવાઈઝર ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયાના રાહબરી હેઠળ ઈન્સ્પેકશન કરવામાં આવેલ ના હોય જે પણ હકીક્ત ભ્રષ્ટાચાર માટેનો પ્રાથમિક પુરાવો છે.
આ ઉપરાંત અરજદારની માહિતી મુજબ સીકકા પોર્ટ GSFC જેટ્ટી પર જહાજોને લગાડવા અને બહાર કાઢવાના કામ માટેની ખાનગી ટગના ભાવ ખુબજ ઉંચા વસુલવામાં આવે છે. તેમાં એક સ્ટીમરમાં લગાડવા અને બહાર કાઢવા માટે બે ખાનગી ટગના ચાર્જીસ ટેકસ સાથે રૂા.10,62,000/- પ્રતિ સ્ટીમર દીઠ વસુલ કરવામાં આવે છે. આ ખાનગી ટગ તા.01-04-2012 થી ચાલે છે. તો અત્યાર સુધીની ગણત્રીએ અંદાજે 80 માસની ગણત્રી કરવામાં આવે તો 320 સ્ટીમરોની આવક-જાવક ઉપરોકત GSFC જેટ્ટી પર થયેલ નું અરજદારનો આક્ષેપ છે, અને પ્રતિ સ્ટીમરના રૂા.10,62,000/-ગણી તેંત્રીસ કરોડ અઠાનું લાખ ચાલીસ હજાર જેટલી રકમનો ફાયદો ખાનગી ટગના માલિકને આપવામાં આવેલ છે જે સ્ટીમરના બીલની નકલ જરૂર પડયે અમો રજુ કરીશું.
આમ, ઉપરકત હકીકત મુજબ સને-2012ના વર્ષથી 80 માસના સમયગાળા દરમ્યાન જે કોઈ જવાબદાર પોર્ટ ઓફિસર નીમાયેલ છે તે દરેક તથા તેની સંકલત પરિસ્થિતિમાં નાછુટકે હોદ્દાની રૂએ દબાણમાં આવી ખાનગી ટગ માલિકોને મોટા લાભ કરાવેલ તે મદદગારો સામે ધોરણસર ફરિયાદ રજીસ્ટર્ડ કરી કાયદેસર કાર્યવાહી કરવા અને સરકારને પહોંચાડેલ નુકશાન વસુલ થવા રજૂઆત ફરિયાદ છે. અરજદાર દ્વારા પોતે લખેલ લેટરમાં જરૂર પડ્યે પોતાની પાસે હાજર હશે તે પુરાવાઓની નકલો રજુ કરવાની તૈયારીઓ પણ દર્શાવવામાં આવી છે.
-જો આ મામલે ACB સહિતની એજન્સીઓ દ્વારા થાય તપાસ તો કેટલાયના પગતળે આવી જાય રેલો
જાગૃત નાગરિક દ્વારા આ રજુઆતો તો કરવામાં આવી છે પણ તેવોએ માંગેલ માહિતીના પુરા જવાબો મેરીટાઈમ બોર્ડ દ્વારા આપવામાં આવ્યા નથી, ત્યારે હવે જો તેની રજૂઆત પરથી ઉચ્ચકક્ષાએથી તપાસ આવે અને તમામના નિવેદનો પૂછપરછ સહિતની કાર્યવાહી થાય, અને જો તપાસમાં સત્ય બહાર આવે તો કેટલાક કર્મચારીઓ અને અધિકારીઓને પગતળે રેલો આવી શકે
-અન્ય પોર્ટ પર બર્થીંગ અને અનબર્થીંગની કામગીરી GMB દ્વારા જ થાય તો આ જેટી પર શા માટે…
જે રીતે વિગતો જાણવા મળી રહી છે તે પ્રમાણે અન્ય પોર્ટ જેવા કે પોરબંદર ઓખા વગેરે પર બર્થીંગ અને અન બર્થીંગની કામગીરી GMB/પાઈલોટ ઓફીસર દ્વારા કરવામાં આવે છે, અને GMBના નિયત કરાયેલા ચાર્જ મુજબ આ કામ થાય છે તો પછી સિક્કા GSFCની પર આટલી મોંઘી ખાનગી ટગ વાપરવા પાછળ કોનો મલીન ઈરાદો કામ કરી રહ્યો છે,અને સરકારી ટગ હોવા છતાં તેનો વપરાશ ના થાય તેવો કારસો કરનાર કોણ.?આ બાબત શીપીંગ સાથે સંકળાયેલા વ્યવસાયીમો ચર્ચાનું કેન્દ્ર બની છે
-ઉચ્ચકક્ષાએ રજૂઆત થતા GMB દ્વારા જવાબદારી અને દોષનો ટોપલો GSFC પર ઢોળવાના પ્રયાસો થયા ચાલુ
આ અતિ ગંભીર કહી શકાય તેવા મામલે ઉચ્ચકક્ષાએ રજુઆતો થતા GMB દ્વારા દોષનો ટોપલો અને બધી જ જવાબદારી હવે GSFC પર ઢોળવાના પ્રયાસો ચાલુ કરી અને GMB દ્વારા પોતે બચવા માટે હવાતિયા મારી રહ્યા હોવાનું પણ જાણવા મળે છે, વધુમાં આ અંગેનો પત્ર વ્યવહાર પણ GMBએ GSFC સાથે કર્યો હોવાનું સુમાહિતગાર સુત્રો જણાવે છે, ખરેખર તો GSFC જેટી જ્યારથી અસ્તિત્વમાં આવી ત્યારથી તેનું સંચાલન તો ગુજરાત મેરીટાઈમ બોર્ડ જ કરતુ આવ્યું છે હવે અચાનક આટલા વર્ષો બાદ GMB પોતાના ગળામાંથી જવાબદારીનો હાર કાઢી અને GSFCને પહેરાવવાનો શા માટે પ્રયાસ કરે છે તે બાબત પણ તપાસ માંગી લેતી તો છે જ