Mysamachar.in-જામનગર
આપણે ત્યાં સામાન્ય રીતે એકાદ રોટલા જોવા મળતા હોય છે… પરંતુ એકીસાથે 111 પ્રકારના રોટલા જોયા છે… ઘણાને આશ્ચર્ય પણ થાય પણ આ વાસ્તવિકતા છે… પૂજ્ય જલારામબાપાએ વીરપુરમાં સદાવ્રત શરુ કર્યાનો દિવસ હોય ત્યારે જામનગર હાપા જલારામ મંદિર દ્વારા દરવર્ષ આ દિવસે જલારામબાપાને 111 જાતના અલગ અલગ પ્રકારની ચીજવસ્તુઓમાંથી બનેલા રોટલાનો અન્નકૂટ ધરી લોકોને પ્રસાદી સ્વરૂપે વિતરણ કરવામાં આવે છે, ગતસાંજે પણ મંદિર ખાતે આ અનોખો અન્નકૂટ દર્શન યોજાયો જેને જોવા માટે દુર દુરથી ભાવિકો અહી પહોચ્યા હતા… ત્યારે મંદિર સંચાલકો દ્વારા કોરોના ગાઈડલાઈન્સનું પૂરું પાલન કરાવવામાં આવ્યું હતું,
વીરપુર ખાતે જલારામબાપાએ વીરપુર ખાતે સદાવ્રતની શરૂઆત કરી હતી અને આજની તારીખે પણ એક પણ નયો પૈસો લીધા વિના ત્યાં ભાવિકોને પ્રસાદી અવિરતપણે પીરસવામાં આવી રહી છે, ત્યારે જામનગર નજીક આવેલ હાપા જલારામ મંદિર ખાતે પણ છેલ્લા કેટલાય વર્ષોથી આ દિવસને ધૂમધામ પૂર્વક ઉજવવામાં આવે છે, ગઈકાલે પણ અહી દરવર્ષની જેમ 111 જાતના રોટલા અન્નકૂટના અનોખા દર્શન યોજાયા હતા,
આમ તો આપને ત્યાં સામાન્ય રીતે ખોરાકમાં બાજરી અને જુવારનો રોટલો લોકો આરોગતા હોય છે, પણ રોટલા પણ અલગ અલગ 111 પ્રકારના બની શકે તેવી વાત સહેજ પણ વિચારતા કરી ડે..પણ આ હકીકત છે, આજકાલથી નહી પણ હાપા જલારામ મંદિર ખાતે વર્ષોથી આ જ રીતે આજ દિવસે અહી 111 જાતના રોટલા અન્નકૂટ નું આયોજન કરવામાં આવે છે, જેમાં રાગી, મકાઈ, કાજુબદામ, રાયમેથી, એવી તો કેટલીય પ્રકારના રોટલાઓ જોઇને દર્શન માટે આવતી ગૃહિણીઓ પણ વિચારમાં મુકાઈ જાય છે. દેને કો ટુકડા ભલા લેને કો હરિનામની ઉક્તિ આ મંદિરમાં પણ સાર્થક છે, અહી પણ દરરોજ બન્ને ટાઈમ આવતા ભાવિકોને પ્રસાદીરૂપે ખીચડી, શાક રોટલા પીરસવામાં આવે છે, ત્યારે આ ભવ્ય અન્નકૂટના દર્શન કરીને ભાવિકો પણ ધન્ય થઇ ઉઠ્યા હતા,