Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા જીલ્લાના દ્વારકા તાલુકના મુળવાસર ગામે વસવાટ કરતા જીજીબાઇ રાણાભાઇ બાલુભાઇ હાથીયાએ એક ફરિયાદ દ્વારકા પોલીસ મથકમાં નોંધાવી છે જેમાં એક વકીલ સહીત ત્રણ સામે ગુન્હો નોંધાયો છે, જેમાં ફરિયાદની ટૂંકી વિગત પર નજર કરવામાં આવે તો ફરિયાદી જીજીબાઈના પિતા મુંજા હાજાભાઇની મુળવાસર ગામના જુના રે.સ.નં. 212 તથા 219 / પૈકી 3 જેના નવા રે.સ.નં. 324 તથા 347 જે હે.આ.રે. 2 – 53 – 43 તથા હે. આ.રે. 2 – 39 – 01 જેના ખાતા નં. 249 થી આવેલ હોય અને ફરિયાદીના પિતા મુંજા હાજાનું અવસાન થતા ફરિયાદી જીજીબાઈને આ જમીન વારસાઇ રૂપે મળેલ હોય અને આ જમીનમા વારસાઇ એન્ટ્રી કરાવવા માટે તેમજ જુની શરતી પ્રક્રિયા થતા ટાઇલ્સ ક્લીયર કરાવવા માટે સંજીવ નટવરલાલ ચાંદલીયા જે વકીલાત કરતા હોય તેને કામ સોંપતા તેણે સોનલબેન અશ્વિનભાઇ ચાંદલીયા તથા પુષ્પાબેન નટવરલાલ ચાંદલીયા સાથે મળી પુર્વ આયોજીત કાવતરૂં રચી વકીલાત નો વ્યવસાય કરતા સંજીવ નટવરલાલ ચાંદલીયા ફરિયાદી જીજીબેનની કોરા કાગળોમા તથા વકીલપત્રમા સહીઓ લઇ અને પોતાના નામે પાવરનામું તૈયાર કરી અને ટેવોની જમીન અન્ય બે મહીલોનાના નામે વેચાણ કરી દસ્તાવેજ કરી વીશ્વાસઘાત તથા છેતરપીંડી કર્યા સબબનો ગુન્હો દ્વારકા પોલીસ મથકમાં નોંધાયો છે.