Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા:
હાલમાં તૌક્તે વાવાઝોડાની ભીતિ હાલાર સહીત સૌરાષ્ટ્રના કેટલાય જીલ્લાઓ પર મંડરાયેલી છે, ત્યારે હાલાર માટે આમ તો વાવાઝોડાની વિનાશકતા એ કંઇ નવી બાબત તો નથી જ પરંતુ વાવાઝોડુ નુકસાન ખુબ કરે માટે ડર સહેજે રહે અને એલર્ટ પણ સૌએ રહેવાનુ છે કેમકે ચાર દાયકા પહેલા અને બે દાયકા પહેલાની તોફાનથી થયેલી નુકસાનીએ થરથરાવીને લાચાર કરી મુક્યા હતા. હાલની સ્થિતિ એ હાલારના લોકો વાગોળે છે 1975 નુ વાવાઝોડુ અને 1998 નુ વાવાઝોડુ કેમકે આ બંને વાવાઝોડા વિનાશક હતા એક તો અગાઉથી ખાસ કંઇ એલર્ટ કરી શકાય તેવા આધુનિક સાધન અને સંશોધન ન હતા સંદેશા વ્યવહારની સુવિધા પાંગળી હતી તે તો છેક 1998મા પણ પાંગળી જ હતી.
1974ના ઓક્ટોબરના વાવાઝોડાની તીવ્રતા કેવી હશે કે અમુક રેલવે પાટા ઉખડી અને વળી ગયા હતા તો જામનગરથી ઓખા તરફ જતી ટ્રેન જે લાખાબાવળ ઉભી હતી તે પવનથી હચમચી બાજુના ટ્રેક.પરની માલગાડીના ટેકે નમેલી હતી તે ઉપરાંત અનેક મકાન દુકાન ઝાડ થાભલા પતરા વગેરેના સોથ વળેલા અને સાથે ભારે વરસાદ હતો માટે પાણીપણ ભરાયેલા આવુ તો ઘણુ વિનાશક તે વખતે થયું હતું તેમ લોકો વાગોળે છે. તો વળી 1998 મા પણ વાવાઝોડા બાદ લાઇટ,પાણી, વાહન વ્યવહાર ,સંદેશાવ્યવહાર અને જનજીવન એકાદ મહિને માંડ માંડ થાળે પડેલુ તે વખતે કલેક્ટર કચેરી મોડી રાત સુધી ધમધમતી રહેતી તેમજ આવી તો અનેક બાબતો લોકોને તાજી છે.
-નુકસાનીમાંથી શીખવુ શાણપણ ગણાય
1998 ના વર્ષમા જુનમાસના વાવાઝોડાથી એક કરોડથી વધુ નળીયા હા…એક કરોડથી વધુ અને 60,000 થી વધુ થાભલા ઉડેલા…તેના ઉપરથી તેની વ્યાપકતાનો અંદાજ આવે છે પરંતુ ખાસ વાત તો એ છે કે અત્યારે બિનજરૂરી પરિવહન અટકાવવુ, ડીઝલ જનરેટર સેટવધુ વસાવી લેવા, પુલીયા નાલા તરફના અને ખુલ્લા વિસ્તાર અને દરિયા વિસ્તારની દરેક આવન જાવન 48 કલાક બંધ જ કરાવવી, બિન જરૂરી દુરના હરવા ફરવાના સ્થળે ન જવુ, હેવી વૃક્ષોથી દુર રહેવુ, થાંભલાઓથી દુર રહેવુ, જે કંઇ ટુટે કે પડે કે ઉડે તેવુ હોય તે દૂર કરી.લેવુ ખાસ તો અગાસીઓમાથી ટાંકાઓના પતરાના ઢાંકણા અને બોર્ડ કે હોર્ડીંગ્સ ઉડી ઉડીને ક્યાય પડ્યાના અનેક દાખલા વાવાઝોડા જ નહી, પરંતુ પવન સાથે વરસાદમા પણ નોંધાયા છે આવી તો અનેક તકેદારી લોકોએ હજુ હાલ બે ત્રણ દિવસ ગભરાટ વગર સ્વસ્થ રહી સાવચેત રહી રાખવી પડશે અને દવા,પાણી,ખોરાકની ચીજ વસ્તુ પુરતી ઘરમા રાખવી જોઇએ કેમકે વાવાઝોડુ આવે કે ન આવે ભારે પવન સાથે વરસાદ આવે ન પણ આવે પણ તકેદારી અને આગોતરી તૈયારીથી ચિંતા મુક્ત રહી શકાય તેમ તંત્ર અને અનુભવીઓનુ તારણ છે.