Mysamachar.in-જામનગર
જામનગરમાં પ્રજાના કામો કમિશનર સુચના આપી દે બાદ પણ થતા નથી તેમજ જે કોઇ નાના મોટા વિકાસ કામો થાય છે તે નક્કી કરેલ નહી પણ તેને બદલે બીજી…..ત્રીજી કોક પાર્ટીઓ કામ કરે છે, તેવા આ બે મુદાઓને લઇ સણસણતા આક્ષેપો થયા છે જો કે આ બંને મુદાઓના આક્ષેપો બાદ જવાબદારોએ શરમ અનુભવી હોય અથવા આવુ ન થવુ જોઇએ તેવો નિર્ણય કર્યો કે નહી તે બાબતો જાણવા મળી નથી, આવા તો અનેક દાખલાઓ મળે તેમાંનુ એક ઉદાહરણ એવુ છે કે…..
સ્ટ્રીટ લાઇટના પ્રશ્ને નગરસીમના કામોના પ્રશ્ને કમિશનરે રજુઆત સંદર્ભે કોર્પોરેટર અસલમખીલજીની હાજરીમા લગત અધિકારીને કીધુ કે આ કામ થઇ જવુ જોઇએ તેમ છતા અધીકારી એમ ક્યે છે કે ઇ કોન્ટ્રાકટર અમારી અંડરમા નથી.!?… લે બોલ કામ કોર્પોરેશનનો કોન્ટ્રાક્ટ….કોર્પોરેશનના પૈસા કોર્પોરેશન ના ને કોન્ટ્રાક્ટર કોર્પોરેશનના અંડરમાં નહી!! ઇ કેવુ? બીજી બાજુ આવા અનેક કામો માટે મુળ કોન્ટ્રાક્ટના બદલે પેટા કોન્ટ્રાક્ટ કે પછી ત્રીજી કે ચોથી પાર્ટી કામ કરે છે એ તપાસની બાબત છે અને તેમ છતાય લોકોની સુવિધાના સારી રીતે કામ થતા નથી તે પણ તપાસનો વિષય છે.