Mysamachar.in-જામનગર:
જામનગર શહેર જીલ્લામાં કોરોના સંક્રમણ વધવા લાગતા કલેકટર દ્વારા શહેરમાં આવશ્યક ચીજવસ્તુઓ સિવાય તમામ દુકાનો બંધ કરી સંપૂર્ણ લોકડાઉનનું અમલ કરવાના આદેશ જારી કરી દેવામાં આવ્યા છે, એવામાં જામનગર સ્થાનિક તંત્ર તરફથી સુચના આપવામાં આવતા આજથી સાત દિવસ એટલે 17 તારીખ સુધી ગ્રેઇન માર્કેટમાં આવેલ તમામ દુકાનો સંપૂર્ણપણે બંધ રાખવાનો નિણર્ય કરવામાં આવ્યો છે, ગ્રેઇનમાર્કેટ ના લગત એરિયામાં કોરોનાના કેસ થયા છે તે અનુસંધાને તમામ વેપારી ભાઇઓના આરોગ્યને ધ્યાનમાં આ નિર્ણયની અમલવારી કરવા ધી સીડ્ઝ એન્ડ ગ્રેઇન મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ જીતુ લાલ દ્વારા વેપારીઓને આ અંગેની જાણ કરી દેવામાં આવી છે.