Mysamachar.in-જામનગર
વધુ એક વખત સાસરીયાઓના સિતમથી એક દીકરીનો જીવ ગયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે, વાત જામનગર જીલ્લાના જોડિયા તાલુકાના જીરાગઢ ગામમાં રહેતી પરિણીતાને તેણીના પતિ અવાર-નવાર નશો કરી મારકૂટ કરતા હતાં તેમજ સાસુ-સસરા અને દીયર ઘરકામ બાબતે શારીરિક માનસિક ત્રાસ આપતા હતાં. સાસરિયાઓ દ્વારા અપાતા ત્રાસથી કંટાળીને પરિણીતાએ ઝેરી દવા પી આપઘાત કર્યાના બનાવમાં મૃતકના પિતા દ્વારા પતિ સહિતના ચાર શખ્સો વિરૂધ્ધ આપઘાટની દુષ્પ્રેરણા આપવા બાબતની ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જોડિયા તાલુકાના જીરાગઢ ગામમાં રહેતા જયશ્રીબેન અઘારિયા નામની મહિલાને તેણીના પતિ મીઠાભાઈ દ્વારા દારૂ પી ને નશો કરી અવાર-નવાર મારકુટ કરતો હતો. તેમજ દ્વારા અપાતા ત્રાસથી કંટાળીને જયશ્રીએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ બનાવ બાદ મૃતકના પિતા રાજુભાઈ લોરિયા દ્વારા જોડિયા પોલીસ સ્ટેશનમાં મૃતકના પતિ મીઠા ભુરા અઘારિયા, સસરા ભુરા ટપુ અઘારિયા, સાસુ રૂપલીબેન ભુરા અઘારિયા અને દીયર રોહિત ભુરા અઘારિયા નામના ચાર શખ્સો વિરૂધ્ધ જોડિયા પોલીસ મથકમાં આપઘાતની દુષ્પ્રેરણા આપવા અંગેનો ગુન્હો નોધાતા પોલીસે હાથ ધરી છે.