Mysamachar.in-જામનગર:
કાળજી અને રક્ષણની જરૃરીયાતવાળા બાળકને પોતાની સાથે રાખીને પાલન પોષણ કરી શકે તે માટે સરકારની ફોસ્ટર કેર યોજના અમલી છે.આ યોજના અંતર્ગત જામનગરના શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસગૃહ જામનગર સંચાલિત શિશુગૃહના 5 માસના બાળક ક્રિષ્નવનું ફોસ્ટર કેર એટલે કે દતક વિધિ મહારાષ્ટ્ર સ્થિત દંપતીને કરવામાં આવ્યું..સંસ્થાનો આ વિભાગ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળના સમાજ સુરક્ષા ખાતા હેઠળ અનુદાનિત સ્પેશ્યલ એડોપ્શન એજન્સીમાં ઉછરેલ બાળક ક્રિષ્નવનું દત્તક વિધાન વોર્ડ નંબર 3 ના સક્રિય કોર્પોરેટર સુભાષ જોશીના હસ્તે મહારાષ્ટ્રના સતારા તાલુકાના ખતાઉ ગામના વતની શેડગેને કરવામાં આવ્યું ત્યારે સંસ્થાના પ્રમુખ કરશનભાઈ ડાંગરે સૌને શુભેચ્છાઓ પાઠવી હતી તો અધિક્ષક શામભાઈ, પાર્થભાઈ પંડ્યા અને વિભાગના કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.