Mysamachar.in-જામનગર
જામનગર કોર્પોરેશનમા હવે ઉઠતી બજારે( કેમકે જનરલ બોર્ડ દર બે મહિનાનો નિર્ણય હોય 13 ડીસે.ના મુદત પૂર્ણ થાય છે તો કદાચ એ પહેલા બોર્ડ બોલાવાય કઇ મહત્વનુ હોય તો એ સિવાય આ સોમવારનુ બોર્ડ છેલ્લુ હશે) ટીપી સ્કિમ યાદ આવી છે ખુબી એ છે આ ટીપી સ્કિમ કહેવાય કોર્પોરેશનની પરંતુ તેની હદ દિશા કાપકુપ મુક્તિ વગેરે મુદા “બહારથી” ચોક્કસ લોકો નક્કી કરે છે, એ કેવુ કહેવાય? એ ગોઠવણ થઇ હોય હવે ટીપીનો એજન્ડા બોર્ડમા મુકાશે ત્યારે પ્રશ્ન એ છે કે રાજકોટ અમદાવાદ ગાંધીનગરમા ઢગલા બંધ ટીપિ સ્કિમ મંજુર થઇ ગઇ છે ઇવન જુનાગઢ ભાવનગરની પણ ટીપી સરળતાથી મંજુર થાય છે તો જામનગરની ટીપી સરકારમા મોકલાય છે ત્યારે ખામી હોય છે કે ગોટાળા ચોખા તરી આવે છે કે કોઇ વિરોધી મુદા પર સરકારનુ ધ્યાન દોરી દે છે.? એ વિચારવા જેવુ છે માટે જ ઝડપી મંજુરી આવતી નથી,
તારીખ 19 ના જનરલબોર્ડના એજન્ડામા જામનગર-કાલાવડ રોડ પર શહેરની ભાગોળે રોડની બન્ને બાજુ ઠેબા ચોકડી તરફ મ્યુ કોર્પો.ની ટાઉન પ્લાનિંગ સ્ક્રીમ નં 11,20,21 અને 23 મંજુર કરવાનું એજન્ડામાં દર્શાવ્યું છે. (નંબર 20,21,23 એડજોઇનીંગ હોવાથી 11 બાદ તુરંત આ નંબરની સ્કિમ મુકાય છે કેમકે વોર્ડ રચના મુજબ ટીપીના નંબરીંગ ઝીકઝેક હોય છે) આ ઉપરાંત શહેરમાં દિગ્જામ સર્કલથી ખંભાલીયા બાયપાસ સુધીના વિસ્તારને આવરી લેતી ટીપી સ્ક્રીમ નં.8 અને લાલપુર બાયપાસ રોડ પરની ટીપી સ્ક્રીમ 9 વર્ષ 2016 માં મ્યુ.કોર્પો એ મંજુર કરી રાજય સરકારમાં મોકલાવ્યા બાદ વિપક્ષી કોર્પોરેટર ધ્વારા શહેરી વિકાસ મંત્રાલયમાં વાંધા રજુ કરવામાં આવતા બંન્ને ટીપી સ્ક્રીમો નગર નિયોજનની શરતોની પૂર્તતા કરવાની શરતે પરત આવી હતી,
જે ફરી જનરલ બોર્ડમાંચર્ચા માટે લાવવામાં આવી હતી જે વિપક્ષના વિરોધ બાદ એજન્ડા પેન્ડીંગ રહ્યા બાદ આ બન્ને ટીપી સ્ક્રીમો ફરી ચર્ચા પર લેવાઈ નથી ઉપરાંત આ સ્કીમથી આવક થશે (કોને કોને ને કેટલી એમાં “સ્કીમ” થઇ હોય તે ખાનગી રખાયુ જ હોય સ્વાભાવિક છે કેમ કે એક સાઇડ લાઇન નેતાને પણ આમા રસ છે, તેમજ 8, 9 મા ચોક્કસ ડેવલપરને ફાયદાની ચર્ચા છે જોકે ચર્ચા તો બધી થાય તેમા તથ્ય જોવા પડે) તેમ સ્ટેન્ડીગ કમિટીના રીપોર્ટમાં જણાવાયું હતું.
-મુદત પહેલા “સ્કીમ” થી લાભ કોને? શાસકોના સભ્યોમા ટીપ્પણી
13 ડીસેમ્બરમાં મહાનગરપાલિકાના ચુટાયેલા સભ્યોની મુદત પૂરી થાય છે. સરકારે દ્ધારા બાદમા વહીવટદાર મુકાશે આવા સંજોગોમાં સોમવારની મ્યુ.કોર્પોની આગામી જનરલ બોર્ડની બેઠક સંભવત:આ ટર્મની છેલ્લી બેઠક બની રહે તેવી શક્યતા હોવાથી વિપક્ષ ધ્વારા પણ શાસકો પર સંખ્યાબંધ મુદે તડાપીટ બોલવવામાં આવે તેવી સંભાવના છે છતાય બહુમતી હોય સરકારમા મોકલવાની થાય તે દિશામા જ શાસકપક્ષ મહેનત કરશે ત્યારે શાસક પક્ષના જ અમુક સભ્યોમા આ ટીપી સ્કીમો માટે ટીકા સાથે ગણગણાટ છે તેનુ કારણ ચોક્કસ છે પરંતુ શિસ્તનુ તુત આડુ આવતુ હોય બોર્ડમા તો આંગળી જ ઉચી કરવી પડશે હા એકાદ બે ના આત્મા સળવળે છે બોલવા હવે તે આત્માનો અવાજ સોમવારના બોર્ડ સુધી યથાવત રહે તો થાય…!!! જોઇએ શુ થાય છે.